=’width=device-width, initial-scale=1, maximum-scale=1′ name=’viewport'/> SOM-સોમ: ફેબ્રુઆરી 2013

સોમ સંગ્રહ -૭૫


માછલી સાથે જ દરીયો નીકળ્યો,
લ્યો ઋણાનુબંધ પાછો નીકળ્યો.

ચાંદની સમજી અમે મુઠ્ઠી ભરી,
મૂઠ ખોલી ત્યાં જ તડકો નીકળ્યો.

સાંજ પડતાંયે ફર્યુ ના એટલે,
શોધવા પંખીને માળો નીકળ્યો.

હુંજ મારા ભાર થી થાકી ગયો,
હું હતો એ ‘હું’ જ ખોટો નીકળ્યો.

આશરો કેવળ નદીને જે હતો,
એક દરિયો એય ખારો નીકળ્યો.

થોભવાનો થાક વસમો હોય છે,
માર્ગ સમજ્યો એ ઉતારો નીકળ્યો

આગીયાઓ ઉજળા છેકે પછી-,
વેશ બદલી સૂરજ  ઊડતો નીકળ્યો.


                                                            ધૂની માંડલિયા.

કબીર વાણી.


મો કો કહાં ઢૂંઢો બંદો, મૈં તો તેરે પાસ મેં,
ના મૈં બકરી, ના મૈં ભેડી મેં, છુરી ગંડાસા મેં,
નહીં ખાલ મેં, નહીં પોંછ મેં; ના હડ્ડી ના માંસ મેં,
ના મૈં દેવલ, ના મૈં મસજિદ, ના કાબે કૈલાસ મેં,
મૈં તો રહો સહર કે બહાર, મેરી પુરી મવાસ મેં,
કહે કબીર સુનો ભાઈ સાધો, સબ સાંસો કી સાંસ મેં.

મો કો કહાં ઢૂંઢે બન્દે, મૈં તો તેરે પાસમેં,
ના તીરથ મેં, ના મૂરત મેં, ના એકાન્ત નિવાસ મેં,
ના મન્દિર મેં ના મસ્જિદ મેં, ના કાશી કૈલાસ મેં,
ના મૈં જપ મેં ના મૈં તપ મેં, ના મૈં બરત ઉપાસ મેં,
ન મૈં ક્રિયા કર્મ મેં રહતા, નહી યોગ સન્યાસ મેં,
નહીં પ્રાણ મેં નહીં પિણ્ડ મેં, ન બ્રહ્માણ્ડ અકાશ મેં,
ના મૈં ભ્રુકુટી ભંવરગુફા મેં, સબ શ્વાસન કી શ્વાસ મેં,
ખોજી હોય તુરત મિલિ જાઉં, એક પલ કી હિ તલાસ મેં,
કહહિં કબીર સુનો ભાઈ સાધો, મૈં તિ હૂં વિશ્વાસ મેં.
સંત કબીર.

મો કો કહાં ઢૂંઢો બંદો, મૈં તો તેરે પાસ મેં;

(પરમાત્મા કહે છે-મને ક્યાં શોધે છે ? હું તો તારી પાસેજ (આત્મારૂપે) છું)


ના મૈં બકરી, ના મૈં ભેડી મેં, છુરી ગંડાસા મેં;
નહીં ખાલ મેં, નહીં પોંછ મેં; ના હડ્ડી ના માંસ મેં;
ના મૈં દેવલ, ના મૈં મસજિદ, ના કાબે કૈલાસ મેં;

(નથી -હું કોઈ પ્રાણી કે મનુષ્ય રૂપે,કે નથી હું કોઈ એક ચોક્કસ સ્થાન માં)

મૈં તો રહો સહર કે બહાર, મેરી પુરી મવાસ મેં;
કહે કબીર સુનો ભાઈ સાધો,

(હું બધાની બહાર-એક નિરાકાર સ્વરૂપે સર્વત્ર રહેલો છું)

(મૈ) સબ સાંસો કી સાંસ મેં;

(અને સર્વ -જીવો જે -હરેક ક્ષણે શ્વાસ લઇ જીવી રહ્યા છે-તેમનો હું શ્વાસ છું
તેમણે શ્વાસ લેવાની શક્તિ આપનાર હું છું)

મો કો કહાં ઢૂંઢે બન્દે, મૈં તો તેરે પાસમેં;

(મને ક્યાં શોધે છે-આ તો હું રહ્યો તારી પાસે જ-તારા શ્વાસ રૂપે-
તને શ્વાસ લેવાની શક્તિ આપનાર તરીકે)

ના તીરથ મેં, ના મૂરત મેં, ના એકાન્ત નિવાસ મેં,
ના મન્દિર મેં ના મસ્જિદ મેં, ના કાશી કૈલાસ મેં,
ના મૈં જપ મેં ના મૈં તપ મેં, ના મૈં બરત ઉપાસ મેં,
ન મૈં ક્રિયા કર્મ મેં રહતા, નહી યોગ સન્યાસ મેં,
નહીં પ્રાણ મેં નહીં પિણ્ડ મેં, ન બ્રહ્માણ્ડ અકાશ મેં,
ના મૈં ભ્રુકુટી ભંવરગુફા મેં,    

(મારું કોઈ એક નિશ્ચિત સ્થાન નથી,જગતની કોઈ એવી ચીજ નથી જેમાં હું રહેલો નથી
અને તેમ છતાં હું સીધે સીધો તેમાં રહેલો નથી -પણ.
દૂધ માં જેમ માખણ રહેલું છે-તેમ હું સર્વ માં રહેલો છું)

(મૈ) સબ શ્વાસન કી શ્વાસ મેં,

(હરેક ક્ષણે જીવો જે શ્વાસ લઇ રહ્યા છે-તેમનો હું શ્વાસ છું-તેમના શ્વાસ ની હું શક્તિ છું)

ખોજી હોય તુરત મિલિ જાઉં, એક પલ કી હિ તલાસ મેં,
કહહિં કબીર સુનો ભાઈ સાધો,

(મને કોઈ ખરેખર ખોળવા નો પ્રયત્ન કરે અને -એક ક્ષણ માટે પણ જો તલાશ કરે તો -
હું મળી જાઉં તેમ જ છું)

મૈં તિ હૂં વિશ્વાસ મેં.

(જો મારામાં શ્રદ્ધા અને વિશ્વાસ રાખી -જો મારી પાછળ પડી ને
મને ખોળે તો-મારા વિષે વિચારે તો--હું ત્યાંજ -તેમની પાસે જ છું.

શ્વાસ લેવાની શક્તિ તને કોણ આપે છે ?
તારા શ્વાસ નો  શ્વાસ -એટલે કે -

જીવ જીવે છે-શ્વાસ ની શક્તિ થી,અને જીવ ને શ્વાસ લેવાની જે શક્તિ આપે છે-
તે શ્વાસ નો શ્વાસ હું છું.....તે શ્વાસ ની શક્તિ હું છું.

એટલે કે પ્રત્યેક જીવ ના આત્મા માં હું વિરાજેલો છું.અને આત્મા ને (પરમાત્મા ને)
ખોળવો-હોય તો-
જરૂર છે-શ્રદ્ધા-આત્મશ્રદ્ધા-આત્મવિશ્વાસની-અને એક પ્રયત્ન ની........)