=’width=device-width, initial-scale=1, maximum-scale=1′ name=’viewport'/> SOM-સોમ: ગુજરાતી ભજનો
લેબલ ગુજરાતી ભજનો સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો
લેબલ ગુજરાતી ભજનો સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો

Gujarati Bhajan-Narsinh Mehata-ગુજરાતી ભજનો-નરસિંહ મહેતા-૪૬.






વહાલા મારા ! વૃંદાવનને ચોક કે વહેલા પધારજો રે લોલ;
ગોકુળ ગામ તણી વ્રજનાર કે વેગે બોલાવજો રે લોલ.


અમને રાસ રમ્યાના કોડ કે નાથ-સંગ બેલડી રે લોલ;
લેવા મુખડાના મકરંદ કે મળી તેવતવડી રે લોલ.


રૂડું જમનાજી કેરું નીર કે તટ રળિયામણો રે લોલ;
રૂડો બંસીવટનો ચોક કે ચંદ્ર સોહામણો રે લોલ.


મળિયો વ્રજવનિતાનો સાથ કે તાળી હાથ શું રે લોલ;
માનિની મદમત્ત ભીડે બાથ કે કોમળ ગાત શું રે લોલ.


ફરતી ગાન કરે વ્રજનાર કે વચમાં શ્રીહરિ રે લોલ;
કંકણ-ઝાંઝરનો ઝમકરા કે ઘમકે ઘૂઘરી રે લોલ.


જોવા મળિયા ચૌદે લોક કે ઈન્દ્ર ત્યહાં આવિયા રે લોલ;
રૂડાં પારિજાતકના પુષ્પે કે પ્રભુને વધાવિયાં રે લોલ;


બ્રહ્મા રુદ્ર ધરે એનું ધ્યાન કે પાર પામે નહીં રે લોલ;
નાચે નરસૈંયો રસમગ્ન કે જોઈ લીલા નાથની રે લોલ.










Gujarati Bhajan-Narsinh Mehata-ગુજરાતી ભજનો-નરસિંહ મહેતા-૪૫.






વા વાયા ને વાદળ ઊમટ્યાં,
ગોકુળમાં ટહુક્યા મોર,
મળવા આવો સુંદીરવર શામળિયા.


તમે મળવા તે ના’વો શા માટે
નહીં આવો તો નંદજીની આણ ………. મળવા.


તમે ગોકુળમાં ગોધન ચોરંતા,
તમે છો રે સદાના ચોર ... …………….મળવા.


તમે કાળી તે કામળી ઓઢંતા,
તમે ભરવાડના ભાણેજ ……………... મળવા.


તમે વ્રજમાં તે વાંસળી વાજંતા,
તમે ગોપીઓના ચિત્તના ચોર ……….. મળવા
.
મહેતા નરસિંહના સ્વામી શામળિયા,
એમને તેડી રમાડ્યા રાસ ……………. મળવા.











Gujarati Bhajan-Narsinh Mehata-ગુજરાતી ભજનો-નરસિંહ મહેતા-૪૪.








  




નાચતાં નાચતાં નયન-નયણાં મળ્યાં,
મદભર્યા નાથને બાથ ભરતાં,


ઝમકતે ઝાંઝરે તાળી દે તારુણી
કામિની કૃષ્ણ-શું કેલિ કરતાં.


પ્રેમદા પ્રેમશું અધર ચુંબન કરે,
પિયુ-સંગ પરવરી સબળ બાળા,


તાલ-મૃંદગ મધ્ય ઘમઘમે ઘૂઘરી,
શ્યામ-શ્યામા કરે ચપળ ચાળા.


ઉર-શું ઉર ધરે, નાથ રંગે રમે,
જેહને જ્યમ ગમે ત્યમ રમતાં,


ભણે નરસૈંયો રંગરેલ-ઝકોળ ત્યાં,
રણ ઠર્યો સપ્ત સ્વર ગાન કરતાં.








Gujarati Bhajan-Narsinh Mehata-ગુજરાતી ભજનો-નરસિંહ મહેતા-૪3.





ચાંદની રાત કેસરિયા તારા રે
પોઠી ભરી ચાલ્યા વણઝારા રે.


વણઝારે આડત કીધી રે,
કાયાનગરી ઈજારે લીધી રે.
દાણી દાણ ઘટે તે લેજો રે,
પોઠી અમારી જાવા દેજો રે.


જેવા વાડીના કુમળા મરવા રે,
તેવા પોઠી અમારે ભરવા રે.
ભલે મળિયા ભલે મળિયા રે,
તારા ગુણ નવ જાય કળિયા રે.


મહેતા નરસૈંયાના સ્વામી રે,
સર્વે ગોપી આનંદ પામી રે.







Gujarati Bhajan-Narsinh Mehata-ગુજરાતી ભજનો-નરસિંહ મહેતા-૪૨.





ગોરી તારાં નેપુર રણઝણ વાજણાં રે,
વાજ્યાં કાંઈ માઝમ રાત મોજાર;
સૂતું નગર બધું જગાડિયું
તે તો તાહરાં ઝાંઝરનો ઝમકાર…………..ગોરી તારાં નેપુર


સેજલડી ઢંઢોળી હું પાછી ફરી રે,
પિયુડો તે પોઢ્યો પાડોશણ પાસ;
એક ને અનેક વહાલો મારો ભોગવે રે,
અમને નહિ અમારાની આશ !...................ગોરી તારાં નેપુર



કૂવો હોયે તો ઢાંકીને મૂકીએ રે,
સૈયર ઢાંક્યો ક્યમ જાય ?
મનનો માન્યો હોય તો કાઢી મૂકીએ રે,
પરણ્યો કાઢી ક્યમ મૂકાય ?........................ગોરી તારાં નેપુર


મારે આંગણે આંબો મહોરિયો રે,
ગળવા લાગી છે કાંઈ સાખ;
ઊઠો ને આરોગો, પ્રભુજી પાતળા રે !
હું રે વેજું ને તું રે ચાખ……………………...ગોરી તારાં નેપુર


મારે આંગણે દ્રાક્ષ, બિજોરડી રે,
બિચ બિચ રોપી છે નાગરવેલ;
નરસૈંયાનો સ્વામી મંદિર પધારિયો રે,
હૈયું થયું છે કોમળ ગેહેલ…………………..ગોરી તારાં નેપુર 




ગોરી તારાં નેપુર રણઝણ વાજણાં રે,વાજ્યાં કાંઈ માઝમ રાત મોજાર;
સૂતું નગર બધું જગાડિયુંતે તો તાહરાં ઝાંઝરનો ઝમકાર


(અહીં એક ગોપી બીજી ગોપી ને ઉદ્દેશી ને કહે છે કે-આખી રાત તુ રાસમાં રમી ને તારા ઝાંઝર નો રણકાર (નાદ) થી નગર જાગ્યું)


સેજલડી ઢંઢોળી હું પાછી ફરી રે,પિયુડો તે પોઢ્યો પાડોશણ પાસ;
એક ને અનેક વહાલો મારો ભોગવે રે,અમને નહિ અમારાની આશ !


(ગોપીએ પોતાની શરીર રૂપી સેજલડી ને ઢંઢોળી,પણ તેને પોતાની અંદર ના આત્મા (કૃષ્ણ ) દર્શન ના થયા
અને તેને એમ લાગે છે કે-મારો એ કૃષ્ણ (આત્મા) તો પડોશણ એટલે બીજી ગોપીમાં છે.
એટલે કે પોતાના માં નહિ પણ બીજા માં તેને કૃષ્ણ નો ભાસ થાય છે.
એ કૃષ્ણ પરમાત્મા રૂપે એક છે અને આત્મા રૂપે અનેક માં દરેક માં છે,અને આત્મા બની ને શરીર ને ભોગવે છે,
ગોપી ને બીજી ગોપીમાં જ દર્શન થવાથી ઈર્ષ્યા ભાવ થયો,
પણ પછી વિચાર્યું કે પોતાના માં રહેલા કૃષ્ણ (આત્મા) ની આશ પોતે કેમ ના રાખી? તેનું તેને આશ્ચર્ય થાય છે.


 
કૂવો હોયે તો ઢાંકીને મૂકીએ રે,સૈયર ઢાંક્યો ક્યમ જાય ?
મનનો માન્યો હોય તો કાઢી મૂકીએ રે,પરણ્યો કાઢી ક્યમ મૂકાય ?


હવે જયારે તેને પોતાના માં જ શ્રીકૃષ્ણ ના (આત્માના) દર્શન થયા,ત્યારે ફરી પછી ભાવ વિભોર થઇ જઈ ને
કહે છે કે -આ કૃષ્ણ તો ક્યાં મન નો માન્યો છે? એ તો જન્મ થી સાથે જ છે,તેની સાથે મીરાંબાઈ ને જેમ લગ્ન થયું છે,
એ તો ક્યાં કુવો છે કે તેને ઢાંકો? એણે કાઢી શકાય તેમ નથી.પણ કોઈ વખત તે ભૂલી ગઈ કે તે
પોતાના માં  ના હોતાં બીજાના માં છે.


મારે આંગણે આંબો મહોરિયો રે,ગળવા લાગી છે કાંઈ સાખ;
ઊઠો ને આરોગો, પ્રભુજી પાતળા રે !હું રે વેજું ને તું રે ચાખ


પણ હવે જયારે તેને ચોક્કસ ખબર પડી ગઈ કે પોતાના અંદર( આંગણે) રહેલો આત્મા-રૂપી કૃષ્ણ નો આંબો
મહોરી ઉઠયો છે અને તેનું  ફળ પાકું થયું છે,એટલે તે પોતાના આત્મા ને જ ઉઠાડી ને કહે છે કે-
તમારું ફળ તમે જ ખાઓ.હું તે તમારી આગળ વેરું છું અને તમે ખાવ.



મારે આંગણે દ્રાક્ષ, બિજોરડી રે,બિચ બિચ રોપી છે નાગરવેલ;
નરસૈંયાનો સ્વામી મંદિર પધારિયો રે,હૈયું થયું છે કોમળ ગેહેલ


નરસિંહ કહે છે કે-મારા હૈયામાં પરમાત્મા રૂપી ફળ ની પ્રાપ્તિ થઇ જઈ અને
તે એકદમ કોમળ બની ગયું છે અને તેને હવે ક્યાંય બીજે પરમાત્માની શોધ કરવાની જરૂર નથી.










Gujarati Bhajan-Narsinh Mehata-ગુજરાતી ભજનો-નરસિંહ મહેતા-૪૧.






કેસરભીનાં કાનજી,
કસુંબે ભીની નાર;
લોચન ભીનાં ભાવશું,
ઊભાં કુંજને દ્વાર ... ………..કેસરભીનાં કાનજી


બેમાં સુંદર કોને કહીએ,
વનિતા કે વ્રજનાથ;
નિરખું પરખું પુરુષોત્તમને,
માણેકડાં બેહુ હાથ ... ……..કેસરભીનાં કાનજી


વેગે કુંજ પધારિયા,
લચકે થઈ ઝકઝોળ;
નરસૈંયાનો સ્વામી ભલે મળ્યો,
રંગ તણાં બહુ રોળ ……... કેસરભીનાં કાનજી







Gujarati Bhajan-Narsinh Mehata-ગુજરાતી ભજનો-નરસિંહ મહેતા-૪૦.






કાનજી તારી મા કહેશે પણ અમે કાનુડો કહેશું રે.
એટલું કહેતા નહી માને તો ગોકુળ મેલી દેશું રે... ………….કાનજી તારી મા....


માખણ ખાતાં નહોતું આવડતું મુખ હતું તારૂં એંઠુ રે.
ગોપીઓએ તારું ઘર કેરાણુ જઈ ખુણામાં પેઠું રે…………... .કાનજી તારી મા....


ઝુલણી પહેરતાં નહોતું આવડતું અમે તે દી' પહેરાવતાં રે.
ભરવાડોની ગાળ્યું ખાતો અમે તે દિ' છોડાવતાં રે…………. કાનજી તારી મા....


કાલો ઘેલો તારા માત-પિતાનો અમને શેના કોડ રે.
કરમ સંજોગે આવી ભરાણા આંગણાં જોડાજોડ રે…………... કાનજી તારી મા....


ઘૂટણીયા ભેર હાલતો ચાલતો બોલતો કાલું ઘેલું રે.
ભલે મળ્યા મહેતા નરસિંહના સ્વામી પ્રેમ ભક્તિમાં રેલું રે…...કાનજી તારી મા....