=’width=device-width, initial-scale=1, maximum-scale=1′ name=’viewport'/> SOM-સોમ: ઑક્ટોબર 2011

સોમ સંગ્રહ-30

વિનય ખાતર બોલવું કે કંઈક કરવું, ખરેખર વિનય ઉપર ખાતર પાથરવા જેવું છે.
જેમણે ક્યારેય દુઃખ જોયું હશે, વેદના અનુભવી હશે, કટુતા ના અનુભવ કર્યા હશે.
કડવા ઝેર ના ઘૂંટ પીધા હશે, તેઓજ સામા ના દિલની પરિસ્થિતિ સમજી શકે છે.
કોઈ નું દિલ ન દુભાય એવું વર્તન કરવું, એ વિનય.
વિનય ખાતર નથી માંગતો, અંતરની લાગણી નું અશ્રુ સિંચન માંગે છે.
પ્રેમ માં સ્વર્ગીય આનંદ છે, તો મૃત્યુ ની પીડા પણ.
પરંતુ પ્રેમ કરી જાણવા નું સુખ તો અવર્ણનીય છે.
પ્રેમ ખરીદી શકાતો નથી એતો જાતેજ અર્પણ થઇ જાયછે.
સહાનુભૂતિ નો અર્થ એવો નથી કે ડૂબતી વ્યક્તિ સાથે,
તમે ડૂબી જાઓ પરંતુ તરતાં શીખો અને તેને બચાવવા નો
પ્રયત્ન કરો.
હાસ્ય અને રુદન જીવન નાં બે આભુષણ છે.
જિંદગી માં તમે જે ઈચ્છશો તે મળી જશે, શરત એટલી કે એ માટે લગન રાખી,
ધીરજ થી મથ્યા રહેવાનું.
સ્વામી વિવેકાનંદ.

વાંસળી નો સુર વાગ્યો





જીવન એવું જીવતા હતા,સંસાર સાગર માં સરતા હતા.
રોફ કર્નલ નો કરતા અમે,પૈસા પાછળ દોડતા હતા.

પડે થપ્પડ કાળ ની, તોયે ખ્યાતી માં ખોવાતા હતા.
જીવતર ની સવારને ગુમાવી,મડદા ની જેમ ફરતા હતા.

હૃદય ના નાજુક અમે, ગુલાબની કળી સમા.
ફૂલ ની ફોરમ સમા મહેકતા ફરતા હતા.

કાળ ને પડકારતા ,અંતર થી ખોવાયેલા જીવતા હતા.
સવાર ગઈ ,બપોર પણ ગઈ, પાનખરે પહુંચી ગયા.

અચાનક વેણું નાદ વાગ્યો,વાંસળી નો સુર વાગ્યો
“સોમ” જાગ્યો વાંસળી ના સુર માં સમાણો.
લાલજી ના ખોળા માં સુઈ, શ્યામ માં છવાણો.

“સોમ”
તા.૧૯-૧૦-૧૧-રાત્રે ૮-૩૦ કલાકે.

તેજ છું.


આજે વહેલી સવારે અટારી માં બેસી લાલજીએ લખાવેલી કવિતા.

                      

કોઈ સમજ્યું ના મને, હું કોણ છું ને કેવો છું.
હું વહેલી સવારનો લહેરાતો વાયરો છું.
ખળખળ વહેતા ઝરણાં નો પ્રવાહ છું.
નદિયો ના નીર જેમ વહી દરિયા માં સમાયો છું.
કોઈ સમજ્યું ના મને, હું કોણ છું ને કેવો છું.

પ્રભાતે ઉગેલા સૂરજ નું પહેલું કિરણ છું.
કાના ની બાંસુરી ના સુર થી વિન્ધાયેલો છું.
તારાઓ જેમ ટમટમ તો, આભલાનો તારો છું.
પૂનમના ચંદ્ર ની ચમકતી ચાંદની છું.
કોઈ સમજ્યું ના મને, હું કોણ છું ને કેવો છું. ,

રાધા સાથે રાસ રમતા, કાનુડાનો લાડકો છું.
લાલજી ની વાંસળી ના સુર માં સમાયેલો છું.
કાનજી ના રંગ માં ઘોળાયેલો રંગ છું.
અનહદ નાદ માં ઓગળી ગયેલો અવાજ છું.
કોઈ સમજ્યું ના મને, હું કોણ છું ને કેવો છું. ,

શબ્દ છું, શૂન્ય છું, દ્રશ્ય છું, અદ્રશ્ય છું.
અંતર માં અનંત છું, દરિયાનું બિંદુ છું.
શરૂઆત નથી, છેડો નથી,હું વર્તુળ નો પરિઘ છું.
ધરતી નો ઉજાસ છું, પરમ પ્રકાશ છું, તેજ છું.
કોઈ સમજ્યું ના મને, હું કોણ છું ને કેવો છું. ,
                                “સોમ”
                         તા.૨૦-૧૦-૧૧.વહેલી સવારે.

ઝાંઝવાં બનતાં સરોવર


પ્રભુ તમે મને સામા મળો પણ મન વગર,      
મારા ઝાંઝવાં બનતાં સરોવર જળ વગર.

જ્યાં જવું ત્યાં મને સામા મળો,
ભીંત પણ ચાલી શકેછે પગ વગર.

મનથી મળો, દિલ થી મળો મને.
જળ બની ભીંજવી દો મને તમે.

તમારા માં સમાવી દો મને,
સરોવર બનાવી દો “સોમ” ને
                  “સોમ”
              તા.૧૬-૧૦-૧૧.

સોમ સંગ્રહ-29


વિકસતા વહાલ જેવું, વિશ્વ માં વહાણું નથી જોયું.
શરમ ની લાલી જેવું,  રંગ નું લહાણું નથી જોયું.

પ્રિયાના નેણ જેવું કોઈ નું ઠકરાણું નથી જોયું.
ઉભરતા આત્મ જેવું ઉચ્ચ નજરાણું નથી જોયું.

નથી સૌદર્ય દેખાતું તો એ છે દોષ બુદ્ધિ નો.
તમે શું? સ્નેહથી સૌદર્ય સરજાણું નથી જોયુ?

નથી જોયું જીવનમાં જોવાજેવું, તો એમ માની લે,
યદી જીવ દેવા જોગ ઠેકાણું નથી જોયું.

રહે અદ્રશ્ય પણ તેની હવાયે પ્રાણ પૂરે છે.
વધારે આથી મીઠું કોઈ ઉપરાણું નથી જોયું.
                      “સોમ સંગ્રહ”

સોમ સંગ્રહ -૨૮


“આગળ વધો,કેવળ આગળ વધો.
થોડી ઘણી સિદ્ધિ પ્રાપ્ત થાય તો તેથી,
એમ ના સમજો કે મને સર્વ કંઈ મળી ગયું.”
                       શ્રી પરમહંસ.

માનવ વામન,અને પ્રભુ વિરાટ હોવા છતાં પણ ,
માનવ સાથે પ્રેમ કરવો એ મહામુસીબત ની વાત છે.
મહામુસીબતે મેળવેલો પ્રેમ આંખો ના આંસુ માગી જાણેછે.
જયારે પ્રભુ સાથે પ્રેમ કરવો સહજ છે,આવો ઈશ્વરીય પ્રેમ
અમૃતપાન કરાવી જાણેછે.

ચારિત્ર્ય મારી ડીગ્રી છે,જીવન મારી પરીક્ષા છે.
દુનિયા મારી યુનિવર્સીટીછે.

જે મને છે,પોતે કઈકછે.વાસ્તવ માં તે કશુજ નથી.

પૂરે વહી હૈ મર્દ જો હર હાલ મૈ ખુશ હૈ.

પંખી આકાશ અને,દરિયાની માછલી કહેછે માણસ થયો છે ગુમ.
કોણ જાણે આપણે સાંભળતા કેમ નથી આપણી પોતાની બુમ.
                                 “સ્વામી વિવેકાનંદ “

આપણે હોઈશું જ નહિ.



કોણ ઝગડે ને, કોણ ક્રોધ કરે,
કોણ એકબીજા પર તૂટી પડશે,
એકબીજા પર દાદાગીરી કરવા,
આપણે બે હોઈશું જ નહિ.

જે કહેવું તે અત્યારેજ કહીદે,
જે કરવું હોય તે હાલ કરી લે,
એક બીજાને વહાલ કરી લઈએ,
ચોકઠાં શા માટે શોધવાં?
એક બીજાની ખબર પૂછવા,
આપણે બે હોઈશું જ નહિ.

કોણ રીસાશે,કોણ મનાશે,
રીસાવા કે મનાવવા,
કે પછી એક બીજાને લાડ લડાવવા,
આપણે બે હોઈશું જ નહિ.

આંખો ઝાંખી થાય,
કે યાદશક્તિ પાંખી થાય,
તે પહેલાં હૃદય માં ભરી લઇ એકમેકને,
મને કે તને જોવા કે રોવા,
આપણે બે હોઈશું જ નહિ.

સાથ છૂટી જશે જયારે,
વિદાયની ઘડીને ટાણે,
આપણે ક્યાંથી હોઈશું,
એકબીજા ને માફ કરવા,                  
કારણ આપણે હોઈશું જ નહિ.
                   “સોમ”
                  તા.૧૪-૧૦-૨૦૧૧.       

બહાર આવે છે.






દિલની અંદર હોય તે બહાર આવે છે.
બહાર આવી કવિતા બને છે અપ્પ્સરા.

સાચવી ને દિલ માં રાખી હતી માણવા,

ઇન્દ્ર એ ઝૂંટવી લીધી કવિતા ને સ્વર્ગ માં.

માટે અહીજ માણો કવિતાને રેણું માની.

સ્વર્ગ પણ અહીજ છે,અહીજ છે અપ્પ્સરા.

                                   "સોમ"
                             તા.૧૨-૧૦-૧૧.બપોરે ૧૨-૩૦ મીનીટે.



સતાવે છે દિલ




દુખો સતાવતા નથી?


સતાવે છે દિલ "સોમ"ને.


યાદો હદય માં સંગ્રહેલી,


પાલીતા થી ભડકો થાય છે.


ના ચાંપો પાલીતા મોટા?


એક ચિનગારી કાફી છે.


દિલ તોડી કવિતા શું?

કવિતાઓ નું પુર આવી જશે.

                       "સોમ"

            તા.૧૨-૧૦-૨૦૧૧.બપોરે ૧૨-૪૦ મીનીટે. 

અમરધામ




સ્વર્ગ આખું દિલ માં છે,તે અપ્પ્સરા નથી?
દિલ માં હવે પ્રભુ નામ નો પ્યાલો છે.


અપ્પ્સરા એ ભર્યો હતો,આ જામ પ્રભુ નામ નો.

પીતાં પીતાં અમલ  થયો તને એ જામ નો.

એ અમલ ના જામ નું નામ" અમરધામ"છે. 
                                       
                                        "સોમ"

                           Wed, Oct 12, 2011 

સોમસંગ્રહ-27


પૂછ એને કે જે શતાયુ છે.
કેટલું ક્યાં અને ક્યારે જીવાયું છે.

તારા માટે આ ગઝલ મનોરંજન ,
મારે માટે તો પ્રાણવાયુ છે.


ટાઢ છે શોધી રહ્યો છું તાપણું.
કોઈ ના હો આટલા માં આપણું.

હુંફ ની બોટલ ખરીદી આ પડી,
ના ખુલ્યું દોઢું ચઢેલું ઢોકનું.

ના કર મને તું યાદ હું વીત્યો પ્રસંગ છું.
વિધવા ની છાતી માં દબાયેલો ઉમંગ છું.
ઓળખ સમજ,પકડ, પકડી શકે તો લે.
પકડ મને પળ માં બદલાતા આપણા,
ચહેરા નો રંગ છું.


થયા તેના થવા માં ઘણી વાર લાગી.
ગયા ત્યાં જવા માં ઘણી વાર લાગી.

સતત એકધારી નજર આ પણ ,
નયન ખોલવા માં ઘણી વાર લાગી.

જે સૌથી વધારે ગમેછે મને તે,
તને આપવા માં ઘણી વાર લાગી.

ભર્યું જે ભીતર માં તે નખ શીખ સાચું,
કશું બોલવા માં ઘણી વાર લાગી.

ફરીથી વિખેરી રહ્યો છું મને હું,
ભરમ તોડવા માં ઘણી વાર લાગી.

હવે આઠમો રંગ નજર આવવા નો,
ગગન આંબવા માં ઘણી વાર લાગી.
                 “સોમસંગ્રહ”
             તા.૪-૧-૨૦૦૪.         

સોમ સંગ્રહ-26



પ્રભુ ના માતાજી (શંકરલાલ જોશી) હીરપુરા દ્વારા યોજેલ  જમણવાર માં કટ્ટી (સાબરકાંઠા )ગયા
ત્યારે આમારી વચ્ચે થયેલ સંવાદ.

લાખોકા વેપાર કરોડો કી ભૂલ,
ચોપડા ખોલ કે દેખા તો મુદલ ગુમ.

દવા અને દુવા પર માનવી વિશ્વાસ રાખેછે.
મર્યા પછી ઘર માં કોણ લાશ રાખેછે.

સાસુ,તીરથ સસરા તીરથ અને અડધું તીરથ સાળી,
મા,બાપ તો આટા લુણ માં ઔર સબ તીરથ ઘરવાળી.

જુવો ત્યારે જીવન ભર સતાવે છે.
મર્યા પછી એ જ તમને શણગારે છે.
જુવોને આપણા લોકો કેવો રશમ નિભાવે છે.


મરણ વખતે પાપ નો સાચો સાર સમજાય છે.
પાપી પણ પાવન બને એવો અનુભવ થાય છે.
જેઓ કદી મુખ થી નથી દેતા નામ રામ નું,
એને ઊંચકી જનારા રામ રામ કરતા જાય છે.

જમાનો રંગ બદલે છે,દુનિયા ઢંગ બદલે છે.
સ્વજનો પણ પરાયા થઇ ,કોઈ વેળા સંગ બદલે છે.
તજી ને જાય તેને બેવફા કહેવાય શી રીતે ,
પ્રતિષ્ઠા માટે ક્યારે લોકો ઉત્સવ માં સ્થળ બદલે છે.

કોઈ પૂછતા કી તેરા ધન માલ કિતના હૈ.
કોઈ પૂછતા કી તેરા કારોબાર કિતના હૈ.
ભલા ચુપકે સે કોઈ એ ભી પૂછ લેતા ,
કી તેરા પરિવાર કિતના હૈ.
મગર કિસી ને નહિ પૂછા કી
તેરા “સોમ” સે પ્યાર કિતના હૈ.
                 
                   “સોમ સંગ્રહ “
            તા.૧૨-૩-૨૦૦૫.      

અશ્રુધાર બોલે છે



દરદ જે હોય છે દિલ માં ,
તે આવી બહાર બોલે છે.

જો મૌન હોય આંખો તો,
અશ્રુધાર બોલે છે.

ગુરૂપુર્ણીમાં ના દિવસે  ૧૦૦, ૨૦૦, કિલોમીટર દુર ગુરુ નાં દર્શન કરવા જનારા પોતાના
ઘર માં જ ગુરુ થી પણ શ્રેષ્ઠ જનેતા નાં દર્શન કરતા નથી.
“મા નું જતન કરો ઘડપણ નો ખ્યાલ રાખો.
                                        “સોમ”
                                  તા.૨-૭-૨૦૦૪.ગુરૂપુર્ણીમાં

ગાન થઇ જવું છે.




 ઉડનારા ઓ માટે આસમાન થઇ જવું છે.

શોભાવવા બીજાઓને,માન થઇ જવું છે.

અજવાળવું છે જગતને અમારા પ્રેમ પ્રકાશ થી.
નાચવા પ્રભુ ના તાલે,તાન થઇ જવું છે.

ગીત ગુન્જવવું છે,સદાચાર નું આ જગત પર.
હર ગાતા જીવન માટે,ગાન થઇ જવું છે.

નિષ્કપટતા અને નિખાલસતા ના મંદિર થવું છે.
આવનારા બધા દુખો માટે આસાન થઇ જવું છે.   

તા.૭-૯-૨૦૦૩.જીવન નો યાદગાર દિવસ ૫૦ વર્ષ પૂરાં કરી ૫૧ માં પ્રવેશ થયો 
ભૂલી જવાયેલા જન્મ દિવસ ને ઘર ના સભ્યો એ ધામ ધૂમ થી ઉજવ્યો .

પ્રભુ દિન આવા આપજે ,
આનંદ અને કિલ્લોલ માં વર્ષો વિતાવજે .
આવા પ્રેમ સભર કિલ્લોલ સાથે તારા માં સમાવજે.

                                         "સોમ"
                                   તા.૭-૯-૨૦૦૩.

સોમ સંગ્રહ-25


“રમતાં રમતાં લડી પડે ભઈ માણસ છે!
હસતાં હસતાં રડી પડે ભઈ માણસ છે!
પહાડ થી એ કઠણ મક્કમ માણસ છે!
દ્ડ દ્ડ દ્ડ દ્ડ દડી પડેભઈ માણસ છે!
 સૂર્યવંશી પ્રતાપ એનો ,માણસ છે!
ભર બપોરે ઢળી પડે ભઈ માણસ છે!
પૂજાવા ઝટ થયા પાળિયા,માણસ છે!
ટાણે ખોટ્યું પડી ,પડે ભઈ માણસ છે.

એક જ બારી ના સળિયા આરપાર બે માણસ નજર કરે છે, એક ને કાદવ દેખાય છે.
એકને તારા? તમે અન્ય ને કઈ નજરે જુવો છો,તેના પરજ તમારા સુખ નો કે દુખ નો
આધાર છે. સ્વભાવ ગત મનુષ્ય જાત ભોળી છે,એને અસ્તિત્વ નો આનંદ લુંટવો છે,
પણ એ આનંદ ક્યોં અને કેવી રીતે મળે તે જાણતી નથી.એ ધર્મો પાસે  કૈક શીખવા
જાય છે ,પરંતુ કહેવાતા ધર્માચાર્યો એ ધર્મ માં એટલી બધી વિતંડા ઓ અને ગુંચવણો
સર્જી દીધી છેકે માણસ આનંદ નું મૂળ શોધવા ને બદલે ધર્મ ની ધમાલમાં પડી અવળે
રસ્તે ચડી જાય છે.તેનું અસ્તિત્વ પાપ ને પુણ્ય ની ખેચાખેચી વચ્ચે ચૂંથાઈ ને ચીંથરું બની
જાય છે.સીધું સાદું સત્ય તો એ છે કે બીજા કોઈ ને ખોટા પુરવાર કરવા ની જરૂર અનુભવ્યા
વિના આપણે આપણી સચ્ચાઈ વિષે સંતોષ લઇ શકીએ ત્યારે આપણા પીઢ પણા નો
આરંભ થયો ગણાય.
           
                         માણસે આનંદ ની શોધ કરતાં કરતાં જરૂરિયાતો ના વિનિમય
માટે નાણું શોધી કાઢ્યું?આ નાણા એ એક મેક ને નજીક લાવવા ના બદલે વર્ગો,ભેદો અને
વિગ્રહો સર્જ્યા ,પાપ પુણ્ય ની દ્રષ્ટી એ જોઈએ તો બીજા ની મહેનતના ફળ ઉપર જીવવા ની
માણસ ની ઈચ્છા એ જગતભર ના પાપનું મૂળ છે.કોઈ એ કહ્યું છે કે તુજ તારો દીવો થા ,
જગત ને દોષ દેવા કરતાં પોતાની ક્ષતિઓ  જોવી અને નિવારવી એ સૌથી વધુ કષ્ટદાયી
પણ સાચી પ્રક્રિયા છે.
ફરતો લીલો સુકો માણસ ,
સપનાં નો લઇ ભૂકો માણસ,
  ભવ્ય ઇમારત નો જાણે આ,
  જુનો-પાનો હુક્કો માણસ,
  નવરા બેઠેલા ઈશ્વરનો ,
  એક રૂપાળો તુક્કો માણસ,
  મત્ત ગડાકું જેવાં સંસ્મરણો,
  પીધા કરતો હુક્કો માણસ,
  રોજ અરીસા સામે ઉભો,
  રોજ ઉગામે મુક્કો માણસ.”

એપિકટેટસ નામ ના ચિંતકે આપણ ને એક સોનેરી સલાહ આપી છે.
“તમે શું એ નથી જાણતા કે,આપણે ચાહે તે કામ કરતા હોઈએ છતાં
અંતે તો રોગ અને મૃત્યુ આપણ ને આંબી જવાનાં છે! તો જે ઘડી એ
એ તમને આંબી જાય ત્યારે તમે શું કરતા હો એવું ઈચ્છો છો? એ
ઘડી આવી પહુંચે ત્યારે કશુક વધારે સારું કરવાનું તમારી પાસે હોય
તો અત્યાર થી જ કરવા મંડી જજો.
                                          “સોમ સંગ્રહ”
                                તા.૩૧-૧૨-૨૦૦૧.

સોમ સંગ્રહ -24


ગભરુ આંખો માં કાજળ થઇ લહેરાઈ જવામાં.
વેચાઈ જવા કરતાં વધુ વહેચાઈ જવામાં ,
હર ફૂલ મહી ખુશ્બુ પેઠે ખોવાઈ જવામાં.
શમા ની ચોખટ ઉપર ઓલવાઈ જવામાં,
વસમી ઠોકર ને પણ ખાઈ જવામાં.
એક સાવ અજાણી આંખ થી અથડાઈ જવામાં,
પારેવાં ની જેમ ગૂંથાઈ વિખરાઈ જવામાં,
જે આવે ગળામાં એ ઉલટ થી ગાઈ જવામાં.
લિજ્જત છે ,લિજ્જત છે


“અમે તો જીવતા જીવે મજા માણી છે જન્નતની,
ખુદા ને પણ ગમે એવી હૃદય માં હુર રાખી છે.
વિચારું છું કે મહોબત તજી દઉં કિન્તુ ,
ફરી ફરી અહી માનવ જનમ નથી મળતાં.”


“જીવન સ્વપ્ન છે એજ જુનાં પરંતુ,
નવેસર થી એવી મરામત કરી છે.
શીકલ બદલી ગઈ છે એ ખંડેર કેરી.
તમે પણ કહેશો કરામત કરી છે.
મુબારક તમોને,ગુલો ની જવાની .
અમોને ના તોલો તણખલા ની તોલે ,
અમે એજ બુલબુલ છીએ જેમણે આ,
ચમન ની હમેશાં હિફાજત કરી છે.”
                     “ઘાયલ”
 સોમ સંગ્રહ