=’width=device-width, initial-scale=1, maximum-scale=1′ name=’viewport'/> SOM-સોમ: ઑક્ટોબર 2013

Kabir-sant Kabir-Gujrati-કબીર-સંત કબીર-૫


મૂર્ત્તિ પૂજાને  લગતી   તેમણે એક સાખી લખી છે.જે આ પ્રમાણે છે.
પાહન પૂજે હરિ મિલૈં, તો મૈં પૂજૌં પહાડ ;                        
ઈસસે તો ચાકી ભલી, પીસી ખાય સંસાર.     
                  
(જો પથ્થર (પાહન) પૂજવા થી હરિ મળતા હોય તો તો પથ્થરો થી ભરેલા આખા પહાડ ને હું પૂજુ,
આવા પથ્થરો ના બનેલા ભગવાન તો  કશા કામ માં આવતા નથી,તેનાથી તો,ઘરમાં રહેલી ઘંટી ના
પથ્થરો વધુ સારા છે કેમકે તેનાથી ધાન્ય પિસાય છે અને તે પથ્થરો થી પીસાયેલો લોટ સંસારના
લોકો ના ખાવામાં આવે છે,અને જેનાથી લોકો નું પેટ ભરાય છે-અહીં પથ્થરો ની મૂર્તિ  બિલકુલ કશા કામની નથી તેવું કહેવાનો ઉદ્દેશ છે.)


(આ જ કબીર ની મૂર્તિઓ બની તે મંદિર માં પૂજાય છે તે શું આશ્ચર્ય નથી?
કબીરા બેઠા  સત્ લોક માં,જુવે જગત નો ખેલ.
મૂર્તિ,પથ્થર મેં નાપૂજ્યા,પથ્થર કરી મને પુજે લોક.
મૂર્તિ બની કબીર ની કે જેને કર્યો તો મૂર્તિ-પૂજા નો વિરોધ,
કહે સોમમોટા મંદિરો માં પૂરી કબીર ને પૂજે જગતના લોક..સોમ” )


કબીર ના નામથી મળેલા ગ્રંથો ની સંખ્યા ભિન્ન ભિન્ન લેખો અનુસાર જુદી જુદી છે.
એચ.એચ. વિલ્સન ના મત અનુસાર કબીર ના નામ પર આઠ ગ્રંથ છે.
જયારે બિશપ જી.એચ.વેસ્ટકોટ -કબીર ના ચોરાસી (૮૪ ) ગ્રંથો ની સુચી પ્રસ્તુત કરે છે.
રામદાસ ગોઉંડે એ  ઈકોતેર (૭૧) પુસ્તકો ગણાવ્યાં છે.(રેફરન્સ-વિકિપીડિયા)


કબીર ની વાણી નો સંગ્રહ “બીજક" ના નામ થી પ્રસિદ્ધ છે.
આના ત્રણ ભાગ છે.(૧) રમૈની (૨) સબદ - અને  (૩) સાખી
આ ત્રણે પંજાબી ,રાજસ્થાની ,ખડીબોલી,અવધી,પૂરબ,બ્રજભાષા આદિ ઘણી ભાષાઓ ની ખીચડી છે.


આમ કબીર ની વાણી તેમનાં મૌખીક ઉપદેશ તેમની
સાખી, રમૈની, બીજક, બાવન-અક્ષરી, ઉલટબાસી વગેરેમાં જોઇ શકાય છે.
ગુરુ ગ્રંથસાહેબમાં તેમનાં ૨૦૦ પદ અને ૨૫૦ (કે વધુ?) સાખીઓ છે.


કબીર પરમાત્મા ને મિત્ર,માતા,પિતા અને પતિ ના રૂપ માં જુવે છે.
તેઓ ક્યારેક કહે છે.
“હરિ મોરે પિયુ,મેં રામ કી બહુરિયા.”(હરિ મારા પતિ અને હું, રામ ની પત્ની.)
તો ક્યારેક કહે છે.
“ હરિ-જનની મેં બાલક તેરા “ (હરિ મા અને હું તેનો બાળક.)


આનાથી  પુરવાર થાય છે કે તે એક મહાન ભક્ત હતા,


કબીર શાંતિમય જીવન પ્રિય હતા.તેઓ અહિંસા,સત્ય,સદાચાર આદિ ગુણો ના પ્રસંશક હતા.
ગાયો અને પ્રાણીઓ  ની કતલ-ગો માંસ-ભક્ષણના વિરોધી હતા.




Kabir-sant Kabir-Gujrati-કબીર-સંત કબીર-૪


કબીરદાસ, યાદ રહે કે તમે શહેનશાહોના શહેનશાહ, નેક નામદાર, ખુલકના ખાવિંદ દિલ્હીશ્વર સિકંદર લોદી સામે ખડા છો ! તમે બાઅદબ બાદશાહને નમન કરો.
"બંધવા, કોણ શહેનશાહ ? કયો શહેનશાહ ? મારો તો એક જ શહેનશાહ.
અને તે પરમ કૃપાળુ પરમેશ્વર.
આ માથું એ શહેનશાહોના શહેનશાહ સિવાય બીજા કોઈ સમક્ષ નમતું નથી." કબીરે દૃઢતા પૂર્વક જણાવ્યું.
કબીરની ગુસ્તાખી જોઈ દરબારીઓમાં સોપો પડી ગયો.
અપમાનિત બાદશાહ સિકંદરની આંખોના ખૂણા લાલ થયા.
વજીરોના હાથ તલવારની મૂઠે મંડાયા.
કબીરનું માથું આંચકી લેવા એક નહીં પણ અનેક તલવારો મ્યાનમાં સળવળવા લાગી.
ત્યાં કબીરે મધુર સ્વરે ગાવા માંડ્યું -


લાલી મેરે લાલ કી ,જિત દેખું તિત લાલ.લાલી દેખન મેં ગઈ ,મેં ભી હો ગઈ લાલ.
(મારા લાલ નો મહિમા અપાર છે. જ્યાં જોઉ છું ત્યાં મને મારા લાલ (ભગવાન) જોવા મળે છે,
લાલની લાલી જોતાં જોતાં હું પોતે પણ  લાલ બની ગયો છું)


"બાદશાહ સલામત, આ બંદો આ શહેનશાહ સિવાય અન્ય કોઈ શહેનશાહને પિછાણતો નથી.
તમને શહેનશાહ તરીકે નહિ પણ તમારા માં રહેલા શહેનશાહ ના શહેનશાહ મારા લાલ ને
હું જરૂર અદબ કરી શકું,પણ તમારો અને મારો સર્વ નો શહેનશાહ એક છે.આપણે બધા તે એક જ
શહેનશાહ ના બંદા છીએ."
કબીરદાસના એ શબ્દો સાંભળી તથા એમના  સત્ય વચન સાંભળી
ઉગ્ર સિકંદરનો રોષ આપમેળે શમી ગયો.
તેણે સરદારોને મ્યાન કરવા જણાવ્યું. પોતે સિંહાસન ઉપરથી ઊઠી એ
વીરોના પણ વીર કબીર નાં વધામણાં કર્યાં.
અત્યાર સુધી જેને બધા નમતા આવ્યા હતા એ વિજેતા સિકંદરે
પોતાનું શિર કબીરદાસનાં ચરણોમાં નમાવ્યું.


આમ વિજયની કલગીથી વિભૂષિત બનીને સંત અગ્નિપરિક્ષામાંથી પાર ઉતર્યા.


સદગુરુ કબીર સાહેબે મનુષ્ય માત્ર નું એક જ ગોત્ર બતાવી વિશ્વ બંધુત્વ ની ભાવના સરળતા થી સમજાવી,જાતીય ભેદભાવ નો વિધ્વંસ કરેલો છે.


એકે પવન એક હૈ પાણી;એક મટીયા એકે કુમ્હારા,
એક સબનકા સર્જનહારા,એક ચાક સબ ચિત્ર બનાયા,
વ્યાપક એક સકલ કી જ્યોતિ,નામ ધરે કા કહીયે ભાતી.
હંસ દેહ તજી ન્યારા હોઈ,તાકર જાતિ કહહુ કોઈ


(બધા જીવો ને એક જ સર્જનહારે (કુંભારે) બનાવ્યા છે.
જેમ એકજ માટી અને એક જ પાણી માંથી કુંભાર એક જ ચાકડા (ચાક) ઉપર,જુદા જુદા વાસણો બનાવે છે.(જેમ સફેદ કાગળ પર જેમ એક જ પેન્સિલ થી (ચાકથી) જુદા જુદા ચિત્રો બને છે.)
જે જુદા જુદા વાસણો એક જ પવન થી સુકાય છે. (અહીં “એક" શબ્દ મહત્વનો છે)
તમામ જીવો (આત્માઓ) એક જ પરબ્રહ્મ (પરમાત્મા) નું સર્જન છે .
પરમાત્માની  જ્યોતિ (પ્રકાશ) એ વ્યાપક (બધે જ) છે અને તે જ જ્યોતિ (પ્રકાશ) બધા જ જીવો ની અંદર સમાયેલી છે.ખાલી નામ જુદાંજુદાં છે,પણ તેમાં નું ચૈતન્ય (આત્મા) એક જ છે.
પણ જયારે આત્મા દેહ છોડે છે ત્યારે આત્મા વગરના  રહી ગયેલ દેહ ની કોઈ નાતી -જાતિ હોતી નથી.)  



        

Kabir-Sant Kabir-Gujrati-કબીર - સંત કબીર-૩



અવતાર,મૂર્તિ,મસ્જીદ,મંદિર આદિ ને તેઓ માનતા નહોતા.


ના તીરથ મેં, ના મૂરત મેં, ના એકાન્ત નિવાસ મેં,
ના મન્દિર મેં ના મસ્જિદ મેં, ના કાશી કૈલાસ મેં,
ના મૈં જપ મેં ના મૈં તપ મેં, ના મૈં બરત ઉપાસ મેં,
ન મૈં ક્રિયા કર્મ મેં રહતા, નહી યોગ સન્યાસ મેં,
નહીં પ્રાણ મેં નહીં પિણ્ડ મેં, ન બ્રહ્માણ્ડ આકાશ મેં,
ના મૈં ભ્રુકુટી ભંવરગુફા મેં, (મૈ) સબ શ્વાસન કી શ્વાસ મેં,  


(ઈશ્વર એ કોઈ તીર્થસ્થાન માં બેઠો નથી,કે નથી તે મૂર્તિમાં બેઠો,કે નથી કોઈ ગુફાઓ ના એકાંત સ્થાનમાં
બેઠો,ઈશ્વર નથી-મંદિર માં કે નથી મસ્જિદ માં,નથી કાશી માં કે કૈલાસ માં, નથી જપમાં કે નથી તપમાં, નથી વ્રત-ઉપવાસમાં,નથી ક્રિયા-કર્મ માં,નથી યોગમાં,નથી સન્યાસ માં,નથી પિંડમાં (શરીરમાં),નથી બ્રહ્માંડ માં,નથી આકાશ માં,નથી ભૃકુટીની ભવરગુફા(આજ્ઞાચક્ર)માં,
પણ પરમાત્મા બધા જીવો જે શ્વાસ (શક્તિ) લઈને શરીર ને જીવિત રાખી રહ્યા છે,
તે બધા જીવો ના શ્વાસ નો શ્વાસ (શક્તિ) છે.(જીવો ને શ્વાસ લેવાની શક્તિ આપનાર ઈશ્વર છે)
ટૂંકમાં એમ કહી શકાય કે શરીર ને શક્તિ આપનાર શ્વાસ છે,શ્વાસ લીધા વગર શરીર જીવી શકે નહિ,
પણ શ્વાસ કંઈ એમ નેમ લઇ શકાતો નથી,શ્વાસ લેવાની જે શક્તિ આપે છે -
તે ચૈતન્ય (આત્મા) માં ઈશ્વર વિરાજમાન છે.)



કબીર સરળ ભાષામાં કોઇ પણ સમ્પ્રદાય અને રૂઢ઼િઓની પરવા કર્યા વગર સાચી વાત કહેતા હતા.
હિંદૂ-મુસલમાન બધા સમાજમાં વ્યાપ્ત રૂઢ઼િવાદ તથા કટ્ટરપંથનો ખુલ્લેઆમ વિરોધ કર્યો.


“ધર્મ એ કંઈ ધર્મગુરૂઓ નો ઈજારો નથી. ઈશ્વર ના દરબાર માં ઊંચ નીચ ના ભેદ ભાવ નથી.
શું રામ, શું રહિમ, શું કૃષ્ણ, શું કરીમ, પરમ તત્વ એક જ છે.નામ કેવળ જુદાં છે."


૧૪મી સદીમાં સંત કબીર પોતાના દોહાઓ દ્વારાલોકોની ધર્માંધતાને આમ પડકારતા.
કબીરની વાણી સાંભળી મોલવીઓ અને બ્રાહ્મણો છંછેડાયા. તેમને પોતાનાં આસન ડોલતાં લાગ્યાં.
કબીરની વધતી જતી લોકપ્રિયતા એ ધર્માંધો સાંખી શક્યા નહીં.
તેમનો કોઈ હિસાબે કાંટો કાઢવા તેઓ તત્પર બન્યા.
એ વેળાએ દિલ્હીમાં લોદી વંશનો સિકંદર રાજ કરે.
કબીરના વિરોધીઓની ગણતરી બાદશાહની કાનભંભેરણી કરી,
કબીરને પિંજરે નાખી, એનું નૂર હણી લેવા ની હતી.


આખરે એક દિવસ સંતને સિકંદરના દરબારમાં હાજર થવાનો હુકમ મળ્યો.
સંત બાદશાહને દરબાર પહોંચ્યા. કાચાપોચાનો જુસ્સો દબાઈ જાય એવો એ યુગ હતો.
ત્યારે વજ્રમાંથી ઘડાયેલી કબીરની કાયા સીનો તાણીને સિકંદર લોદી સમક્ષ ખડી થઈ.

કોઈ એક દરબારીએ હુકમ કર્યો.



Fall-Season-In NJ,USA

Kabir-sant Kabir-Gujrati-કબીર-સંત કબીર-૨

રાત્રિ ના એક પ્રહર સમયે કબીર પંચગંગા ઘાટ ના પગથિયાં ઉપર પડી ગયેલા તે
સમયે રામાનંદજી ગંગા સ્નાન કરવા પગથિયાં ઉતરી રહ્યા હતા. અને તેમનો પગ કબીર ના શરીર પર પડ્યો.તેમના મુખ માંથી તત્કાળ “રામ-રામ” શબ્દ નીકળી પડ્યો.


આ “રામ”  ને કબીરે દીક્ષા મંત્ર માની લીધો અને રામાનંદજી ને પોતાના ગુરુ સ્વીકારી લીધા.
કબીર ના જ શબ્દો માં  જોઈએ તો-


“હમ કાશી મેં પ્રગટ ભયે હૈ,રામાનંદ ચેતાયે.”
(હું કાશી માં જન્મ્યો અને રામાનંદે મારી ચેતના ને પ્રગટાવી-પરમાત્મા ની પહેચાન કરાવી.)


“જોગી હુઆ ઝલક લગી -મિટિ ગયા ખેચાતાન,ઉલટિ સમાના આપ મેં હૂઆ બ્રહ્મ સમાન.”
(પરમાત્મા  (બ્રહ્મ)ને પામવા જોગી બન્યો.(સાધન કર્યું) અને પરમાત્મા ની ઝલક થઇ.
બહાર ભટકતો એવો હું -જયારે ઊલટો ફરીને-અંતર્મુખ થઈને સ્વ-રૂપમાં (આત્મામાં)સમાઈ ગયો
અને આત્મા અને પરમાત્મા (બ્રહ્મ) જેવું ઐક્ય થયું -ત્યારે પરમ તત્વની ઝાંખી  થઇ  હું પોતેજ બ્રહ્મ થઇ ગયો.)


કબીર ગૃહસ્થી હતા.
તેમની પત્ની નું નામ માતા લોઈ હતું.
પુત્ર નું નામ કમાલ અને પુત્રી નું નામ કમાલી હતું.
તેમના શિષ્યો માં ધર્મદાસ અને સુરતી ગોપાલ મુખ્ય હતા.
તેમના ઘર માં સાધુ સંતો નો જમાવડો રહેતો હતો.


કબીર સાક્ષર નહોતા. તેમને અભ્યાસ કરવા ની તક મળી નહોતી.
“મસી કાગદ છૂવો નહિ,કલમ ગહી નહિ હાથ.”
((હું ) કાગળ ને અડ્યો નથી અને કલમ હાથ  માં પકડી નથી.)


તેમણે સ્વયં ગ્રંથ નથી લખ્યા, મોઢે થી ભાખ્યા (બોલ્યા) અને તેમના શિષ્યો એ તે લખી લીધા.


તેમના સમસ્ત વિચારો માં રામ નામ નો મહિમા પ્રતિધ્વનિત થાય છે.


કબીરા સબ જગ નિર્ધના,ધનવન્તા નહિ કોઈ,ધનવન્તા સો જાનિયે જા કે રામ-નામ સુખ હોય.
(દુનિયા ના બધા મનુષ્યો નિર્ધન છે,ધનવાળો-સુખી  તે જ છે જેની પાસે રામ-નામ નું ધન છે)


તેઓ એક ઈશ્વર ને માનતા હતા.કર્મ કાંડ ના ઘોર વિરોધી હતા.

માળા ફેરત જગ હુઆ,ગયા ના મન કા મેલ, આશકા ,મણકા છોડ દે, મન કા મણકા ફેર.
(હાથમાં માળા ફેરવી ફેરવી વર્ષો વીતી જાય છે,પણ પ્રભુના દર્શન થતાં નથી,
કે મન નો મેલ દૂર થતો નથી, બુદ્ધિ સુધરતી નથી.
આ આરતી (આશ્કા) અને માળા ને છોડી દે,અને પોતાના મન ને સુધાર.)

માલા તો કરમે ફિરે,જીભ ફિરે મુખ માંહી,મનુઆ તો ચૌ દિશા ફિરે,એ તો સુમિરન નાહિ.
(માળા હાથમાં એમ નેમ ફરતી હોય,જીભ મુખમાંફરતી હોય, અને મન ચારે દિશામાં દોડતું હોય તો તે સાચું સ્મરણ નથી)

Kabir-Sant Kabir-Gujarati-કબીર-સંત કબીર-૧

જીવન ચરિત્ર
Kabir-Sant Kabir-કબીર-સંત કબીર
સંત કબીર એક મહાન સંત કવિ હતા.


તેમના સાહિત્ય નો પ્રભાવ હિંદુ અને મુસ્લિમ ધર્મ માં તથા સુફી પંથ માં જોવા મળે છે.કબીર પોતાના સરળ ,સાર ગર્ભિત અને મર્મ સ્પર્શી ભજનો ને લીધે આજે પણ એટલા જ પ્રસિધ્ધ છે.

કબીર સ્પષ્ઠવક્તા અને નીડર હતા.પોતાના સિધ્ધાંતો માટે
દરેક પ્રકારની યાતના ,આલોચના સહન કરનારા હતા.


તેમના જન્મ વિષે વિવિધ મત પ્રવર્તે છે.
કબીરપંથી ઓ ના મત અનુસાર તેઓ નું અવતરણ થયું છે.જ્યોતિ સ્વરૂપે આકાશ માંથી ઉતરી કમળ ના પુષ્પ ઉપર બાળક સ્વરૂપે કાશી ના લહરતારા તળાવ પાસે ઈ.સ. ૧૩૯૮ ની જેઠ સુદ પુનમ ના રોજ પ્રગટ થયા હતા.
                      
ઘણા ના મત અનુસાર તેમનો જન્મ વિધવા બ્રાહ્મણી ના ગર્ભ થી કાશી માં થયેલ.
બ્રાહ્મણી એ લોકલાજ થી આ પુત્ર ને લહરતારા તળાવ પાસે ત્યજી દીધેલ


જેને વણકર દંપતિ નીરુ અને નીમા એ પાલક માતા-પિતા તરીકે પાલન પોષણ કરી ઉછેર કર્યો હતો.
આમ તેમના પાલક-માતા નું નામ નીરુ અને પાલક-પિતાનું નામ નીમા હતું.


કેટલાક માને છે જન્મ થી મુસ્લિમ હતા અને યુવાવસ્થા માં સ્વામી રામાનંદ ના પ્રભાવ થી તેમને

હિંદુ ધર્મ ની બાબત માં જાણકારી મળી.






જ્ઞાનેશ્વરી ગીતા-અધ્યાય-૧૫-પુરુષોત્તમ યોગ-૧


આગળ ના અધ્યાય -૧૪ ના અંતિમ ભાગમાં આવ્યા મુજબ એવો નિર્ણય થયો કે-
જેને બ્રહ્મજ્ઞાન (નિરાકાર બ્રહ્મ=પરમાત્માનું જ્ઞાન) ની પ્રાપ્તિ થઇ હોય છે-
તે જ મોક્ષ ને પામે છે.(મુક્ત થાય છે)
પણ જે-
યજ્ઞો કરે,સત્કર્મો કરે,સેવા પૂજા કરે,પુણ્યકર્મો કરે- –તેને “બ્રહ્મદેવ નો લોક” (બ્રહ્મા=બ્રહ્મદેવ- નો લોક)
એટલેકે-બ્રહ્મલોક –સ્વર્ગ-મળે છે. જ્યાં સુખો ભોગવી ને પુણ્ય કર્મ પૂરું થતા ફરીથી જન્મ છે.

આ રીતે જ્ઞાન (બ્રહ્મ-જ્ઞાન-સત્ય નું જ્ઞાન-પરમાત્મા નું જ્ઞાન) એ મોક્ષ આપે છે-એમાં શંકા નથી,
પુસ્તકો વાંચી ને આવું જ્ઞાન તો સર્વે ને છે-પણ બધા મુક્ત થઇ શકતા નથી, મુક્ત થતા નથી-
કારણકે –આ જ્ઞાન ના માટે અંતઃકરણ –એવું શુદ્ધ હોવું જોઈએ-કે –જેથી તે જ્ઞાન ને ગ્રહણ કરી
પોતાના માં (પોતાના અંતઃકરણ માં) સ્થિર કરી શકે.

શ્રીકૃષ્ણે પોતાના વિવેચન થી એમ દર્શાવ્યું છે-કે-
વૈરાગ્ય વગર જ્ઞાન ટકતું નથી. (વૈરાગ્ય વગર અંતઃકરણ શુદ્ધ થતું નથી)

હવે પ્રશ્ન એ થાય છે-કે-વૈરાગ્ય મન માં શી રીતે પ્રવેશે ?
તો એના માટે –એક સરસ દૃષ્ટાંત છે.
જમવા બેઠેલો કોઈ મનુષ્ય ને “ભોજન માં ઝેર નાખવામાં આવ્યું છે” એવી ખબર પડતાં જ-
તે થાળી છોડી ને ઉભો થઇ જાય છે-તેને ભોજન પ્રત્યે વૈરાગ્ય ઉપજે છે-

તે જ પ્રમાણે-
આ સર્વ સંસાર કે જે ક્ષણે ક્ષણે બદલાય છે (એટલે કે જે સંસાર અનિત્ય છે)-
એમ જાણી -સંસાર અસત્ય (મિથ્યા) છે-એવો દૃઢ નિશ્ચય જયારે કોઈ મનુષ્ય ને થાય-
ત્યારે વૈરાગ્ય તે મનુષ્ય ની પાછળ પડે છે.(વૈરાગ્ય ને –તે પછી ધક્કા મારી ને પણ હટાવી શકાતો નથી)
એટલે કે વૈરાગ્ય અંતઃકરણ માં પ્રવેશ કરે છે. અને –આમ અંતઃકરણ શુદ્ધ થવા થી જ્ઞાન તેમાં ટકે છે.

સંસાર અસત્ય છે-સંસાર મિથ્યા છે-
આ ૧૫ મા અધ્યાય માં -શ્રીકૃષ્ણ આ વાત ને સમજાવવા વૃક્ષ નું રૂપક (દૃષ્ટાંત) આપે છે.
ખૂબ જ કુશળતાથી “સંસાર-વૃક્ષ” નું વર્ણન કરી-સંસાર મિથ્યા છે-એ સમજાવે છે.
(માત્ર-૨૦ શ્લોક ના –આ અધ્યાય ને કડકડાટ બોલી જનાર અસંખ્ય મનુષ્યો જોવા મળે છે-પણ-
આ અધ્યાય નો ગૂઢ સંદેશ કેટલા સમજ્યા હશે તે તો ભગવાન જાણે !!!)

સામાન્ય રીતે સામાન્ય-વૃક્ષ નાં મૂળ જમીન માં હોય છે અને શાખાઓ (વિસ્તાર) ઉપર હોય છે,

પણ આ વિલક્ષણ (ચમત્કારિક)  વૃક્ષ ઉલટું છે. તેનાં મૂળ ઉપરની બાજુએ છે.(ઉર્ધ્વમુલ)
અને વિસ્તાર (ડાળીઓ) નીચેની બાજુએ છે-તથા તે સમસ્ત આકાશ માં વ્યાપ્ત છે.(વિસ્તરેલું છે)

જેનું નામ આપ્યું છે—સંસાર-વૃક્ષ.

કલ્પના કરવાની છે-કે –સંસાર-વૃક્ષ ના મૂળ ઉપરની બાજુએ છે.
પણ -આ વૃક્ષ ને કંઈ જમીન ઉપરથી ઉખેડી નાખવામાં આવ્યું નથી!!!
કે નથી જમીન ઉપરથી ઉખેડી ને ઉલટું કરવામાં આવ્યું !!!

પણ-આ કલ્પિત સંસાર-વૃક્ષ નાં મૂળ ઉપર તરફ -પરમાત્મા ને જોડાયેલાં છે.
અને એટલે જ તે લીલુંછમ રહે છે, અને તે સુકાઈ જતું નથી.

સૌજન્ય-www.sivohm.com

જ્ઞાનેશ્વરી ગીતા ઉપર આધારિત  
            PREVIOUS PAGE
         NEXT PAGE 
          INDEX PAGE

લખવું હતું કંઈ



આજે લખવું હતું કંઈ ,લખાઈ ગયું કંઈ.
પંછી આવી  ચુપચાપ ઉડી ગયું કંઈ.


કદી લાલોને કદી સોમનાથ તું.
ચૂંટી ખણી અટકચાળા કાં કરે તું……..લખવું હતું કંઈ…..


હૈયે ચડી વાત કહેતો નથી ને ?      
માયા કરી મસ્ત  શબ્દ બને તું.


ચુપ ચાપ બેસી વિચારું ઘણું પણ.                                         
હોઠે ન આવે શબ્દો બની તું.……..લખવું હતું કંઈ…


પવન બની ઘૂમરીઓ ચડાવી ગયો તું
અનંત ની કેડી ચડાવી પાછો કાં વાળે?


ચડાવ્યો છે તો હવે  પૂર્ણ પહુચાડી દે તું.
કૃપા કરી સોમનાથ ક્ષણ માં પહોંચાડી દે તું….લખવું હતું કંઈ…   


“સોમ” ૨૪-૧૦-૧૩ રાત્રે ૯-૦૦ કલાકે.