=’width=device-width, initial-scale=1, maximum-scale=1′ name=’viewport'/> SOM-સોમ: માર્ચ 2014

રામાયણ-૪


શ્રી રામ-સેવાથી જીવન સફળ થાય છે.
ચંદન અને પુષ્પ થી રામજી ની સેવા કરીએ તેના કરતાં યે –
રામજી ની આજ્ઞા નું-મર્યાદાનું પાલન કરવું તે તેમની ઉત્તમ સેવા છે.
કોઈ પણ ધર્મ માં માનતા હોવ –કોઈ પણ સંપ્રદાય માં હોવ,કોઈ પણ ઇષ્ટદેવ હોય-પણ રામજી ની ઉપર મુજબ ની ઉત્તમ સેવા (મર્યાદા-પાલન) તો કરવી જ પડશે.રામજી ની મર્યાદાઓ નું પાલન કર્યા વગર ભક્તિ થતી નથી.

જો તેમ કરવામાં ના-આવે તો –ઈશ્વર કહે છે-કે-
“મારું કહેલું તું કરતો નથી,અને સેવા કરે છે-તે-યોગ્ય નથી-હું તારી સેવા સ્વીકારતો નથી.”
રામજી નું ચરિત્ર એટલું પવિત્ર છે-કે-તેમનું સ્મરણ કરતાં આપણે પવિત્ર થઇ જઈએ છીએ.

વર્તન રાવણ જેવું રાખે અને રામ-રામ નો જપ કરે –કશું વળતું નથી. (કોઈ ફળ મળતું નથી)
વર્તન રામ જેવું બનાવી-રામ-નામ નો જપ કરવાથી તાળવા માંથી અમૃત ઝરશે.
રામજી ના એક એક સદગુણ જીવન માં ઉતારવાનો પ્રયત્ન કરવો જોઈએ.

રામજી નો અવતાર રાક્ષસો ના સંહાર માટે થયો ન હતો, પરંતુ માનવસમાજ ને ધર્મ નું શિક્ષણ આપવા માટે થયો છે. શ્રી રામ ધર્મ ની મૂર્તિ છે.
વાલ્મીકિ રામને ઉપમા આપવા ગયા પણ કોઈ ઉપમા ન જડી,
એવો કોઈ દેવ નથી,એવો કોઈ ઋષિ નથી, જેની રામજી ને ઉપમા આપી શકાય. કોઈ પણ ઉપમા ન જડી એટલે વાલ્મીકિ એ કહ્યું-કે- રામ રામ ના જ જેવા છે. રામ જેવા જ રામ છે.

કૃષ્ણ લીલા ઓ અનુકરણ કરવા માટે નથી, પણ તે લીલા ઓ સાંભળી તન્મય થવા માટે છે.
અમુક  લીલા ઓ ચિંતન કરવા માટે છે.

રામજી ની અમુક લીલા અનુકરણીય અને અમુક લીલા ચિંતન કરવા માટે છે –એવું નથી.
રામજી નું સમગ્ર જીવન અનુકરણીય છે. રામ સર્વ ગુણો નો ભંડાર છે. પ્રત્યેક સ્ત્રી માં રામજી માતૃભાવ રાખતા.

મનુષ્ય એક બાજુ થી પુણ્ય કરે અને બીજી બાજુ થી પાપ ચાલુ રાખે છે,તે સારું નથી,
સરવાળે કંઈ પણ હાથ માં આવતું નથી.

રામ માત-પિતા ની આજ્ઞા માં હંમેશા રહેતા.
“ભરત ને રાજ્ય ભલે આપો પણ મને વનવાસ કેમ મોકલે છો ? “ તેવું રામજી એ કૈકયી ને પૂછ્યું નથી.
ઉલટું કૈકયી ને કહ્યું-કે- મા, તારો મારા તરફ પક્ષપાત છે,ભરત કરતાં તારો મારા પર વિશેષ પ્રેમ છે, ઋષિ મુનિઓ નો મને સત્સંગ પ્રાપ્ત થાય એટલા માટે મને વનવાસ આપ્યો છે. મારા કલ્યાણ માટે મને વન માં મોકલો છો. કૈકયી મા ને વંદન કરી વન માં ગયા છે.
રામજી ની માતૃ-પિતૃ ભક્તિ અલૌકિક છે. તેમના જેવી માતૃ-પિતૃ ભક્તિ જગત માં બીજે ક્યાંય જોવા મળશે નહિ. માતા-પિતા પ્રત્યક્ષ પરમાત્મા નું સ્વરૂપ છે
રામજી માને છે કે હું સ્વતંત્ર નથી,મારું જીવન ,માત-પિતા ને આધીન છે.

દશરથ મહારાજ પણ પોતાને સ્વતંત્ર માનતા નથી,કોઈ પણ કામ કરવું હોય તો વશિષ્ઠ જી ને પૂછી ને કરે છે. રામજી સદા દશરથ અને કૌશલ્યા ને પ્રણામ કરતા.

આજકાલ ના છોકરાઓ ને માત-પિતાને વંદન કરતા શરમ આવે છે, ધૂળ પડી એ વિદ્યામાં કે જે વિદ્યા ના અહમથી માં બાપ ને વંદન કરતા શરમ આવે છે.પણ એને બાપ ની મિલકત લેતાં શરમ આવતી નથી.
ગમે તેટલું ભણે પણ જીવન માં સંયમ-સદાચાર ન હોય- તો તે જ્ઞાન કામનું નથી.

અજ્ઞાની પાપ કરે તો ભગવાન સજા કરે જ છે-પણ જ્ઞાની થઇ જે પાપ કરે તેને ભગવાન વિશેષ સજા કરે છે.
ઈશ્વર ની સેવા નહિ કરો તો ભગવાન નારાજ નહિ થાય પણ માત-પિતા ની સેવા ન કરો –તો ઈશ્વર નારાજ થાય છે. માત-પિતા ના આશીર્વાદ વગર કોઈ સુખી થયો નથી.
શાસ્ત્ર માં તો ત્યાં સુધી લખ્યું છે-કે જેનાં માત-પિતા મરણ પામ્યા છે-તે ચોવીસ કલાક માં એક વખત –
માત-પિતા ને યાદ કરી ને વંદન કરે.

રામજી માં સર્વ સદગુણો એકત્ર થયા છે. એક-વાણી,એક-વચની –એક-પત્નીવ્રતધારી શ્રી રામ છે.
વડીલો નું જેટલું સારું –અનુકરણીય લાગ્યું તેટલું જ જીવન માં ઉતાર્યું છે.
રામજી એ દશરથ જી નું બધું રાખ્યું-પણ એક વસ્તુ રાખી નથી,તેમનું બહુપત્ની-વ્રત રાખ્યું નથી.
રામજી એ કહ્યું નથી –કે મારા પિતાજી એ ભૂલ કરી છે-પણ વિવેક થી ભૂલ સુધારી છે.
રામ-રાજ્ય માં પ્રભુ એ કાયદો સુધાર્યો-કે એક પુરુષ એક પત્ની જ કરી શકે.

જેનું મન એક –જ સ્ત્રી માં –પત્ની માં છે- તે –એક-પત્ની-વ્રત ધારી પુરુષ સાધુ જ છે.
પુરુષ એક જ સ્ત્રી માં કામભાવ રાખે અને ધર્માંનુંકુલ કામ ભોગવે –તો તે –ગૃહસ્થ હોવા છતાં બ્રહ્મચારી છે.
કામભાવ ને એક-માં જ સંકુચિત કરી તેનો નાશ કરવા માટે લગ્ન છે.

સૌજન્ય- www.sivohm.com

   PREVIOUS PAGE            NEXT PAGE                INDEX PAGE                           

રામાયણ-૩


દશરથ જી એ બાળ સ્વરૂપ જોયું,અને હૃદય ભરાણું  છે, પરમ-આનંદ થયો છે.
રામ-દશરથ ની ચાર આંખ મળી, રામ લાલા એ ગાલ માં સ્મિત કર્યું છે, દશરથ રાજા જીભ પર મધ મૂકી
રામ ને મધ ચટાડવા લાગ્યા, રાજાએ વશિષ્ઠ ને વેદ મંત્રો બોલવાનું કહ્યું.

વશિષ્ઠ જી કહે છે-કે-રામ ના દર્શન કરી વેદો તો શું ?મારું નામ પણ ભૂલાઈ ગયું છે. હું શું મંત્ર બોલું ?

દર્શન માં નામ-રૂપ ભુલાય છે ત્યારે-દર્શન નો આનંદ આવે છે.
“તત્ર-વેદા-અવેદા-ભવન્તિ”......ઈશ્વર દર્શન  (ઈશ્વર સાક્ષાત્કાર થાય) પછી વેદો ભુલાય છે.
પછી વેદો ની જરૂર પણ નથી.
લૌકિક નામ-રૂપ ની વિસ્મૃતિ થાય-(ભૂલાઈ જાય)-ત્યારે બ્રહ્મ સંબંધ થાય છે.

વશિષ્ઠ જી એ બાળકો નું નામકરણ કર્યું છે.
આ કૌશલ્યા નો પુત્ર છે, તે સર્વ ને આનંદ આપનાર છે. “રમન્તે યોગિનઃ યસ્મિન ઇતિ રામ “
તે સર્વને રમાડે છે-તેથી તેનું નામ રામ રાખું છું.
સુમિત્રા નો પુત્ર સર્વ લક્ષણ સંપન્ન છે-તેથી તેનું નામ લક્ષ્મણ રાખું છું.
કૈકયી નો પુત્ર રામ-પ્રેમ થી જગતને ભરી દેશે-એટલે તેનું નામ ભરત રાખું છું,
ને ચોથો પુત્ર શત્રુ ઓનો વિનાશ કરશે એટલે તેનું નામ શત્રુઘ્ન રાખું છું.

રામ વગર આરામ મળતો નથી. જીવ માત્ર આરામ-શાંતિ ને શોધે છે.
જીવ માત્ર શાંતિ નો ઉપાસક છે.એવી શાંતિ ખોળે છે- કે જેનો ભંગ ન થાય-
રામજી ની મર્યાદા નું પાલન થાય તો જ આવે શાંતિ મળી શકે.

ધર્મ નું ફળ છે –શાંતિ-અને અધર્મ નું ફળ છે અશાંતિ.
ધર્મ ની મર્યાદા નું પાલન ન કરે તેને શાંતિ મળતી નથી. સ્ત્રી-સ્ત્રીની મર્યાદા માં રહે અને પુરુષ –પુરુષ ની મર્યાદા માં રહે. અને મર્યાદા જ્યાં સુધી ઓળંગે નહિ ત્યાં સુધી અશાંતિ આવતી નથી.

પહેલાં કરતાં અત્યારે મંદિરો માં ને કથાઓ માં ભીડ વધારે થાય છે, એમ લાગે કે લોકો માં જ્ઞાન-ભક્તિ વધ્યાં છે,
પણ મનુષ્યો ને શાંતિ નથી અને તેથી-તે-શાંતિ ને મદિરો માં ખોળવા જાય છે.
લોકો ધર્મ મર્યાદા પાળતા નથી અને ધર્મ (સ્વ-ધર્મ) ને ભૂલ્યા છે. ધર્મ વગર શાંતિ નથી.
ચંદ્ર,સૂર્ય સમુદ્ર –એ બધા પ્રભુ ની મર્યાદા પળે છે, સમુદ્ર પોતાની મર્યાદા છોડે તો પ્રલય થાય.
એક મનુષ્ય જ પોતાની મર્યાદા ભૂલે છે,લોકો ને થોડા પૈસા મળ્યા,અધિકાર મળ્યા,માન મળ્યું એટલે –તે 
ધર્મ ની મર્યાદા છોડે છે....મને પૂછનાર કોણ ?.....

સનાતન ધર્મ કેવો છે-તે જાણવું હોય તો રામજી ના જીવન નો અભ્યાસ કરવો જોઈએ.
રામજી માને છે-હું ધર્મ-પરતંત્ર છું. રઘુનાથજી મર્યાદા પુરુષોત્તમ અને સર્વ સદગુણો ના ભંડાર છે.
રામ એ પરમાત્મા હોવાં છતાં ધર્મ નું,મર્યાદાઓ નું –ખુબ પાલન કરે છે.


અને કદી પણ મર્યાદા નો ભંગ કર્યો નથી.

સૌજન્ય- www.sivohm.com

   PREVIOUS PAGE            NEXT PAGE                INDEX PAGE                           

રામાયણ-૨


માતાજી ને આજે પ્રભુ એ બતાવ્યું-કે મારા ભક્તો નું હું ચારે તરફથી રક્ષણ કરું છે,એટલે ચતુર્ભુજ રૂપે પ્રગટ
થયા છે. માતાજી એ સુંદર સ્તુતિ કરી છે-નાથ, મારા માટે તમે બાળક બનો,મને મા,મા કહી બોલાવો.
એટલે ચતુર્ભુજ સ્વરૂપ અદૃશ્ય થયું છે અને બે હાથ વાળા બાળક બન્યા છે.
દાસી ઓ ને ખબર પડી,કૌશલ્યા મા ના ખોળામાં સુંદર બાળક બિરાજે છે. દાસી વધાઈ આપે છે.
કૌશલ્યા એ નવલખો હાર દાસીને આપ્યો છે.”મારો રામ સુખી થાય”
દાસી  કહે-કે- મારે કાંઇ જોઈતું નથી,મારે તો રામ ને રમાડવો છે. દાસીના ગોદ માં રામ ને આપ્યા છે.
આજે દાસી નો બ્રહ્મ સંબંધ થયો છે.
બીજી દાસી દોડતી દોડતી દશરથ રાજા પાસે ગઈ અનેઅને કહે છે-કે-
મહારાજ ,વધાઈ.વધાઈ-,લાલો ભયો હૈ,સાક્ષાત નારાયણ આવ્યા હોય તેવું લાગે છે.

દશરથજી ને વૃદ્ધાવસ્થામાં,આજે ઘણા વર્ષે પુત્ર આવ્યો છે.
પુત્ર પણ સાધારણ નહિ, સાક્ષાત પરમાત્મા આજે પુત્રરૂપે આવ્યા છે.
રાજાએ સુંદર શૃંગાર કરી પ્રથમ ગણપતિપુજન કર્યું છે, પુણ્યાહવાચન થયું,નાન્દીશ્રાદ્ધ માં પિતૃ ઓની પૂજા કરી છે, અને ત્યાર બાદ એટલું બધું દાન કર્યું છે-કે અયોધ્યા માં કોઈ ગરીબ રહ્યા નથી.
વશિષ્ઠે વેદ-મંત્રો નો ઉચ્ચાર કરી મધ માં મંત્ર નો અભિષેક કર્યો છે.અને પછી તે મધને અંદર  લઇ જઈ બાળક ને અનામિકા (આંગળી) થી ચટાડવાનું રાજા ને સૂચવ્યું.

રાજા અંતઃપુરમાં (રાણી વાસમાં) આવ્યા છે. છડીદારો પોકાર કરે છે-હટો,હટો,મહારાજ પધારે છે.
રાજ કહે છે-કે હટો હટો નહિ બોલો,બધાના આશીર્વાદ થી મારે ત્યાં દીકરો આવ્યો છે.
વશિષ્ઠ જી આગળ થયા, આજે હરિ દર્શન ની સર્વ ને લાલસા છે,દેવો-ગંધર્વો સૂક્ષ્મરૂપે આવ્યા છે.

પરમાનંદ થયો છે,બાળક રામ ના આજે સર્વ ને દર્શન થયા છે.
રાજા દશરથ આજે આનંદ થી ભાવ વિભોર થયા છે.
નિરાકાર બ્રહ્મ આજે સાકાર થઇ –તેમના ઘેર પુત્ર રૂપે પધાર્યા છે.

રામ જન્મોત્સવ માં સર્વ ને આનંદ થયો છે,બધા દેવો રાજી થયા છે, ફક્ત એક ચંદ્ર નારાજ થયા છે.
રામજી ના દર્શન કરી,સૂર્યનારાયણ સ્તબ્ધ બની સ્થિર થયા છે.”મારા વંશ માં ભગવાન આવ્યા છે!”
અતિ આનંદ માં સૂર્ય ની ગતિ સ્થિર થઇ છે,સૂર્યનારાયણ આગળ વધતા જ નથી,
તે અસ્ત તરફ જાય તો –ચંદ્ર ને દર્શન થાય ને ?
ચંદ્રમા એ રામજી ને પ્રાર્થના કરી કે-આ સૂર્ય ને આગળ જવાનું કહોને? મને તમારાં દર્શન કરવા દેતો નથી,

ચંદ્ર ને રામજી એ આશ્વાસન આપ્યું છે-કે –આજથી હું તારું નામ ધારણ કરીશ.(રામચંદ્ર)
છતાં ચંદ્ર ને સંતોષ થયો નહિ.. એટલે રામજી કહે છે-કે-તું ધીરજ રાખ,આ વખતે મેં સૂર્ય ને લાભ આપ્યો છે,પણ
ભવિષ્ય માં કૃષ્ણાવતાર ધારણ કરી તને એકલાને  જ દર્શન આપીશ. હું રાત્રે બાર વાગે આવીશ.

બાલકૃષ્ણ પ્રગટ થયા ત્યારે આખું જગત નિંદ્રા માં હતું, ફક્ત બે જીવ જાગે છે-વસુદેવ-દેવકી અને ત્રીજો ચંદ્ર.

જે રાતે જાગે તેને કનૈયો મળે છે,સુતો હોય તેને નહિ.
જાગવું એટલે શું ?
જાનિયે જીવ તબહિ જબ જાગા, જબ સબ વિષય વિલાસ વિરાગા..........

ગીતામાં પણ કહ્યું છે-કે-સર્વ જીવો ની માટે જે રાત્રિ છે-ત્યારે સંયમી પુરુષો જાગે છે,અને જયારે પ્રાણી ઓ (જીવો)
નાશવાન,ક્ષણભંગુર-સંસારિક સુખો માં જાગે છે-તે સુખો તરફ જ્ઞાની મુનિઓ દૃષ્ટિ પણ કરતા નથી,
જ્ઞાની મુનિઓ માટે તે –સમય રાત્રિ સમાન છે.



સૌજન્ય- www.sivohm.com
   PREVIOUS PAGE            NEXT PAGE                INDEX PAGE                           

રામાયણ-૧


દશરથરાજાને ત્રણ રાણીઓ હતી-કૌશલ્યા,સુમિત્રા અને કૈકેયી. છતાં કોઈ સંતતિ નહોતી.
દશરથ રાજા વસિષ્ઠ પાસે ગયા. વસિષ્ઠે કહ્યું-તમે પુત્રકામેષ્ઠી યજ્ઞ કરો.તમારે ત્યાં ચાર પુત્રો થશે.
રાજાએ યજ્ઞ કર્યો,અગ્નિદેવ ખીર લઈને યજ્ઞકુંડ માંથી બહાર આવ્યા છે,અને કહ્યું-
આ પ્રસાદ તમારી રાણીઓ ને ખવડાવજો   આપને ત્યાં દિવ્ય બાળકો થશે.

વસિષ્ઠે આજ્ઞા કરી-કૌશલ્યા ને અડધો ભાગ આપજો અને બાકી વધે તેના બે ભાગ કરી કૈકેયી-સુમિત્રાને
આપજો. મહારાજ કૈકેયી ને પ્રસાદ આપવા છેલ્લે આવ્યા-એટલે કૈકેયીએ દશરથ નું અપમાન કર્યું-
અને કહે છે-કે મને છેલ્લે પ્રસાદ આપવા કેમ આવ્યા ?

ત્યાં -આકાશમાંથી ફરતી સમડી ત્યાં આવી અને પ્રસાદ ઉઠાવી ગઈ અને અંજનીદેવી તપશ્ચર્યા કરતાં હતાં ત્યાં આવી છે અને પ્રસાદ અંજનીદેવી ને આપ્યો-જે તે આરોગી ગયા.આથી તેમને ત્યાં હનુમાનજી નું પ્રાગટ્ય થયું છે.હનુમાનજી પહેલાં આવે છે.
આ બાજુ કૈકેયી દુઃખી થઇ ગઈ-એટલે કૌશલ્યા અને સુમિત્રા એ તેમના ભાગમાંથી થોડો થોડો ભાગ આપ્યો.
ત્રણે રાણી ઓ પ્રસાદ ગ્રહણ કરે છે.

દશરથ એટલે-દશે ઇન્દ્રિયો ના ઘોડાઓ ને કાબુ માં રાખી જેનો રથ રામજી તરફ (પ્રભુ તરફ) જાય છે-તે...
આવા દશરથ ને ત્યાં ભગવાન પુત્ર રૂપે આવે છે.
દશમુખ રાવણ વિષયો ને હદ ઉપરાંત ભોગવે છે-એટલે  રાવણ ને ત્યાં ભગવાન કાળરૂપે આવે છે.

નવ માસ પરિપૂર્ણ થયા છે,રાત્રે દશરથજી સૂતેલા હતા,તેમને સુંદર સ્વપ્નું દેખાયું
“મારે આંગણે મહાત્મા ઋષિઓ આવ્યા છે, મને ઉઠાડે છે “ સ્વપ્ન માં જ દશરથજીએ સરયુમાં સ્નાન કર્યું.
પ્રભુ નો પંચામૃતથી અભિષેક કર્યો, અને સ્વપ્નમાં જ લક્ષ્મીનારાયણ ની આરતી ઉતારતા હતા.
દશરથ મહારાજ,નારાયણ ને વારંવાર વંદન કરે છે,પ્રભુ આજે તેમને હસતા દેખાય છે.

દશરથ સ્વપ્નમાં થી જાગ્યા છે,વિચારે છે-કે-લાવ,ગુરુદેવ વશિષ્ઠ ને સ્વપ્ન ની વાત કરું.
તે વશિષ્ઠ પાસે આવ્યા. અને સ્વપ્ન ની વાત કરી.
વશિષ્ઠ કહે છે-આ સ્વપ્ન નું ફળ અતિ ઉત્તમ છે,પરમાત્મા નારાયણ તમારે ઘેર આવવાના છે,તેનું સૂચક છે.
મને ખાતરી છે-કે-આ સ્વપ્ન નું ફળ તમને ચોવીસ કલાક માં મળશે.
રાજા નો આનંદ સમાતો નથી. પરમાત્મા મારે ઘેર પધારવાના છે.!!
રાજા સરયુમાં સ્નાન કરી નારાયણ ની સેવા કરે છે.
આ બાજુ કૌશલ્યા ધ્યાન માં છે, આજે પવિત્ર રામનવમી નો દિવસ છે.

ચાર વેદો શિવજી ના શિષ્યો થયા છે,શિવજી અયોધ્યા ની ગલીમાં –શ્રી રામ-શ્રી રામ-બોલતાં ભમે છે.
કોઈ પૂછે તો કહે છે-મારું નામ સદાશિવ જોશી છે. (કહે છે-કે-શંકર ના ઇષ્ટ દેવ બાળક –રામ- છે)
પ્રાતઃ કાળ થી દેવો,ગંધર્વો-પ્રતીક્ષા કરે છે. આતુરતા વગર ભગવાન નો જન્મ થતો નથી.

પરમ પવિત્ર સમય પ્રાપ્ત થયો છે,ચૈત્ર માસ,શુક્લપક્ષ,નવમી તિથી, બપોર ના બાર વાગ્યે રઘુનાથજી પ્રગટ થયા છે. દશરથ ને ત્યાં પરબ્રહ્મ શ્રી હરિ પ્રગટ થયા છે.
જે પરમાત્મા નિર્ગુણ –નિરાકાર છે-તે આજે ભક્તો ને પ્રેમ વશ સગુણ-સાકાર બન્યા છે.

આકાશ માંથી દેવો-ગંધર્વો પુષ્પ વૃષ્ટિ કરે છે.


સૌજન્ય- www.sivohm.com
             NEXT PAGE                INDEX PAGE                           

બાજે રે મુરલિયા-ભજન-લતા અને ભીમસેન જોષી


વિમુખ શિખરસે ધારા ધાએ, રાધા હરિ સન્મુખ આયે,
બાંસરીયા હરિ સાવરિયા કી,રાધા ગોરી સુનવા રે.....

બાજે રે મુરલિયા બાજે,
અધર ધરે મોહન મુરલી પર,હોંઠ પે માયા બિરાજે....

હરે હરે બાંસ કી બની મુરલિયા,મરમ મરમ કો છુએ અંગુરીયા,
ચંચલ,ચતુર અંગુરીયા જિસ પર,કનક મુન્દરીયા સાજે..........બાજે રે....

પીલી મુન્દરી અંગુરી શ્યામ,મુન્દરી પર રાધા કા નામ,
આખર દેખે,સુને મધુર સ્વર,રાધા ગોરી લાજે.............બાજે રે.....

ભૂલ ગઈ રાધા ભરી ગગરિયા,ભૂલ ગયે ગોધન કો સાવરિયા,
જાને ના જાને યે દો જાને,જાને અગ જગ લાજે,........બાજે રે......


અનુક્રમણિકા ના પાન પર જવા અહી ક્લિક કરો.

રામ કા ગુનગાન કરીએ-લતા અને ભીમસેન જોષી


રામ કા ગુનગાન કરીએ,
રામ પ્રભુ કી  સભ્યતા કા  ભદ્રતા કા ધ્યાન કરીએ.

રામ કે ગુણ ગુણ ચિરંતન,
રામ ગુણ સુમિરન રતન ધન,
મનુજતા કો કર વિભૂષિત ,મનુજતા ધનવાન કરીએ.

સગુણ બ્રહ્મ,સ્વરૂપ સુંદર,
સુજન રંજન ભૂપ સુખકર,
રામ આત્મા-રામ આત્મા-રામ કા સન્માન કરીએ-


અનુક્રમણિકા ના પાન પર જવા અહી ક્લિક કરો.

નંદલાલ-ભજન-લતાજી -લાઈવ સીંગીંગ-રેર વિડીઓ





અનુક્રમણિકા ના પાન પર જવા અહી ક્લિક કરો.

મનમોહના-કૃષ્ણ ભજન-શંકર મહાદેવન ના કંઠે




મનમોહના,કાના,બાંકે બિહારી,
હે,માધવ,હે,કૃષ્ણા,અરજ સુન હમારી.


ગોવિંદ ગોપાલ હે નંદ કે છૈયા
કેશવ હે માધવ,હે મુરલી બજૈયા.
સુધ લે લે હમરી હે રાસબિહારી....

હે,માધવ.હે કૃષ્ણા, અરજ સુન હમારી.

ધેનુ ચરૈયા,નું નાચ નચૈયા
કૃષ્ણ કનૈયા,તુ રસ રસૈયા
આયા શરણ ,તેરા પુજારી,

હે,માધવ.હે કૃષ્ણા, અરજ સુન હમારી

,

Gujarati Sundar Kaand-ગુજરાતી સુંદરકાંડ-૪૨



પ્રભુ પ્રતાપ મૈં જાબ સુખાઈ, ઉતરિહિ કટકુ ન મોરિ બડ઼ાઈ.
પ્રભુ અગ્યા અપેલ શ્રુતિ ગાઈ, કરૌં સો બેગિ જૌ તુમ્હહિ સોહાઈ.
પ્રભુનાં પ્રતાપથી હું સુકાઈ જઈશ અને સેના પાર ઉતારી જશે. એમાં મારી મોટાઈ નથી( મારી મર્યાદા નહિ રહે ),તોપણ આપની આજ્ઞા ઓળંગવી યોગ્ય નથી.એમ વેદો ગાય છે.હવે આપને જે ઠીક લાગે તે જ હું તરત કરું.


(દોહા)
સુનત બિનીત બચન અતિ કહ કૃપાલ મુસુકાઇ.
જેહિ બિધિ ઉતરૈ કપિ કટકુ તાત સો કહહુ ઉપાઇ(૫૯)
સમુદ્રનાં અત્યંત વિનીત વચનો સાંભળી કૃપાળુ શ્રી રામે હસીને કહ્યું
હે તાત ! જે પ્રકારે વાનર સેના પાર ઉતરે તે ઉપાય કહો.


ચોપાઈ 
નાથ નીલ નલ કપિ દ્વૌ ભાઈ, લરિકાઈ રિષિ આસિષ પાઈ.
તિન્હ કે પરસ કિએગિરિ ભારે, તરિહહિં જલધિ પ્રતાપ તુમ્હારે.
(સમુદ્રે કહ્યું: ) હે નાથ ! નીલ તથા નલ બંને વાનરો ભાઈ છે. તેઓએ બાળપણ માં ઋષિ પાસે આશીર્વાદમેળવ્યો છે .તેઓના સ્પર્શ કરવાથી જ ભારે પર્વતો પણ આપના પ્રતાપથી સમુદ્ર પર તરશે.


મૈં પુનિ ઉર ધરિ પ્રભુતાઈ, કરિહઉબલ અનુમાન સહાઈ.
એહિ બિધિ નાથ પયોધિ બાઇઅ, જેહિં યહ સુજસુ લોક તિહુગાઇઅ.
હું પણ પ્રભુની પ્રભુતાઈ ને હૃદયમાં ધારણ કરી મારા બળ પ્રમાણે સહાય કરીશ. હે નાથ ! એ પ્રકારે સમુદ્ર બાંધવો કેજેથી ત્રણે લોકમાં આપનો સુંદર યશ ગવાય.
એહિ સર મમ ઉત્તર તટ બાસી, હતહુ નાથ ખલ નર અઘ રાસી.
સુનિ કૃપાલ સાગર મન પીરા, તુરતહિં હરી રામ રનધીરા.
અને આ ચઢાવેલા બાણ થી મારા ઉત્તર કિનારા પાર રહેનારા , પાપના ઢગ સરખા દુષ્ટ મનુષ્યોનો નાશ કરો.કૃપાળુ અને રણધીર શ્રી રામે સમુદ્રના મનની પીડા સાંભળી તેને તરત જ હરી લીધી
( અર્થાત બાણ થી તે દુષ્ટો નો નાશ કર્યો.


દેખિ રામ બલ પૌરુષ ભારી, હરષિ પયોનિધિ ભયઉ સુખારી.
સકલ ચરિત કહિ પ્રભુહિ સુનાવા, ચરન બંદિ પાથોધિ સિધાવા.
શ્રી રામ નું ભારે બળ અને પરાક્રમ જોઈ સમુદ્ર હર્ષિત થઇ સુખી થયો . તેણે એ દુષ્ટો નું સર્વ ચરિત્ર પ્રભને
કહી સંભળાવ્યું. પછી ચરણો માં નમી સમુદ્ર ગયો.


છંદ 
નિજ ભવન ગવનેઉ સિંધુ શ્રીરઘુપતિહિ યહ મત ભાયઊ.
યહ ચરિત કલિ મલહર જથામતિ દાસ તુલસી ગાયઊ.
સુખ ભવન સંસય સમન દવન બિષાદ રઘુપતિ ગુન ગના.
તજિ સકલ આસ ભરોસ ગાવહિ સુનહિ સંતત સઠ મના.
સમુદ્ર  પોતાના નિવાસમાં ગયો રઘુનાથજીને તેની એ સલાહ ઠીક લાગી.
આ ચરિત્ર કલિયુગ નાં પાપોને હરનારું છે.આને તુલસીદાસે પોતાની બુદ્ધિ અનુસાર ગાયું છે.
શ્રી રઘુનાથજીના ગુણ સમૂહ સુખનું ધામ , સંદેહ ને દુર કરનાર    અને ખેદ નો નાશ કરનાર છે.
દુષ્ટ મન  ! તું સંસારના સર્વ આશા - ભરોસા તજી  નિરંતર આને ગા તથા સાંભળ .


(દોહા)
સકલ સુમંગલ દાયક રઘુનાયક ગુન ગાન,
સાદર સુનહિં તે તરહિં ભવ સિંધુ બિના જલજાન.(૬૦)
શ્રી રઘુનાથજી નાં  ગુણગાન સંપૂર્ણ  સુંદર મંગળો આપનાર છે . જે આને આદર સહિત સાંભળશે , તે કોઈ જલયાન (વહાણ )વિના  જ સંસાર સમુદ્ર  તરી જશે.

સુંદરકાંડ  સમાપ્ત.

આભાર પ્રિય મિત્ર અનિલ શુક્લ નો જેની પ્રેરણા થી હું ગુજરાતી  માં સુંદરકાંડ લખી શક્યો.

સોમ


          INDEX PAGE
       END

Gujarati Sundar Kaand-ગુજરાતી સુંદરકાંડ-૪૧





ચોપાઈ 
લછિમન બાન સરાસન આનૂ, સોષૌં બારિધિ બિસિખ કૃસાનૂ.
સઠ સન બિનય કુટિલ સન પ્રીતી, સહજ કૃપન સન સુંદર નીતી.
હે લક્ષ્મણ ધનુષ્ય બાણ લાવો. હું અગ્નિબાણ થી સમુદ્રને સુકવી નાખું. શઠ પ્રત્યે વિનય , કુટિલ સાથે પ્રીતિ,  
સ્વાભાવિક કંજૂસ સાથે સુંદર નીતિ ( ઉદારતા નો ઉપદેશ ),


મમતા રત સન ગ્યાન કહાની, અતિ લોભી સન બિરતિ બખાની.
ક્રોધિહિ સમ કામિહિ હરિ કથા, ઊસર બીજ બએફલ જથા.
મમતામાં આશક્ત પ્રત્યે જ્ઞાનની કથા,અત્યંત લોભી પાસે વૈરાગ્યનું વર્ણન, ક્રોધી પાસે શાંતિની વાત અને
કામી પાસે શ્રી હરિની કથા - એનું ફળ , ખારી જમીનમાં બીજ રોપવા જેવું છે.


અસ કહિ રઘુપતિ ચાપ ચઢ઼ાવા, યહ મત લછિમન કે મન ભાવા.
સંઘાનેઉ પ્રભુ બિસિખ કરાલા, ઉઠી ઉદધિ ઉર અંતર જ્વાલા.
એમ કહી રઘુનાથજીએ  ધનુષ્ય ચડાવ્યું. આ મત લક્ષ્મણજી ના  મનને બહુ ગમ્યો.પ્રભુએ ભયાનક અગ્નિબાણ સાંધ્યું, જેથી સમુદ્રની મધ્યમાં જ્વાળાઓ ઊઠી.
મકર ઉરગ ઝષ ગન અકુલાને, જરત જંતુ જલનિધિ જબ જાને.
કનક થાર ભરિ મનિ ગન નાના, બિપ્ર રૂપ આયઉ તજિ માના.
મગર, સર્પ તથા માછલાં નો સમૂહ વ્યાકુળ થયો.જયારે સમુદ્રે  જીવોને બળતા જાણ્યા, ત્યારે સોનાના
થાળમાં  અનેક મણિઓ  રત્નો ભરી , અભિમાન છોડી ,તે બ્રાહ્મણ ના રૂપમાં આવ્યો.


(દોહા)
કાટેહિં પઇ કદરી ફરઇ કોટિ જતન કોઉ સીંચ.
બિનય ન માન ખગેસ સુનુ ડાટેહિં પઇ નવ નીચ(૫૮)
( કાકભુશુન્ડી કહે છે : ) હે ગરુડજી સાંભળો. ભલે કોઈ કરોડ ઉપાય કરી (પાણી ) સીંચે ,તોપણ કેળ તો કાપ્યા પછીજ  ફળે છે,તેમ નીચ વિનયથી માનતો નથી,તેતો ભય બતાવ્યા પછી જ  નમે છે.(ઠેકાણે આવે છે.)(૫૮)


ચોપાઈ 
સભય સિંધુ ગહિ પદ પ્રભુ કેરે, છમહુ નાથ સબ અવગુન મેરે.
ગગન સમીર અનલ જલ ધરની, ઇન્હ કઇ નાથ સહજ જડ઼ કરની.
સમુદ્રે ભયભીત થઇ પ્રભુનાં ચરણો પકડી કહ્યું : હે નાથ ! મારા સર્વ  અવગુણ (અપરાધ ) ક્ષમા કરો.  
હે નાથ !  આકાશ ,વાયુ, અગ્નિ, જળ અને પૃથ્વી - એમની કરણી સ્વભાવથી જ  જડ છે.


તવ પ્રેરિત માયાઉપજાએ, સૃષ્ટિ હેતુ સબ ગ્રંથનિ ગાએ.
પ્રભુ આયસુ જેહિ કહજસ અહઈ, સો તેહિ ભાંતિ રહે સુખ લહઈ.
આપની પ્રેરણા થી માયા એ  તેઓને સૃષ્ટિ માટે ઉત્પન્ન કરેલાં છે , એમ સર્વ ગ્રંથોએ ગાયું છે. જેને માટે સ્વામીનીઆજ્ઞા હોય તે પ્રકારે રહેવામાં જ તે સુખ પામે છે.


પ્રભુ ભલ કીન્હી મોહિ સિખ દીન્હી, મરજાદા પુનિ તુમ્હરી કીન્હી.
ઢોલ ગવા સૂદ્ર પસુ નારી, સકલ તાડ઼ના કે અધિકારી.
પ્રભુએ સારું કર્યું કે મને શિક્ષા દીધી,પરંતુ મર્યાદા( જીવોની પ્રકૃતિ ) પણ આપે જ રચી છે.ઢોલ, ગમાર,શુદ્ર ,પશુઅને સ્ત્રી - એ સર્વ દંડ નાં અધિકારી છે.


          INDEX PAGE
       NEXT PAGE



Gujarati Sundar Kaand-ગુજરાતી સુંદરકાંડ-૪૦







કી તજિ માન અનુજ ઇવ પ્રભુ પદ પંકજ ભૃંગ.
હોહિ કિ રામ સરાનલ ખલ કુલ સહિત પતંગ.(૫૬-ખ)
કાંતો માન ત્યજી પોતાના નાના ભાઈ વિભીષણ નીપેઠે  પ્રભુના ચરણકમળ નો ભમરો થા; નહિ તો હે દુષ્ટ  !
શ્રી રામના બાણ રૂપી અગ્નિમાં પરિવાર સાથે પતંગિયું થઈશ.


ચોપાઈ 
સુનત સભય મન મુખ મુસુકાઈ, કહત દસાનન સબહિ સુનાઈ.
ભૂમિ પરા કર ગહત અકાસા, લઘુ તાપસ કર બાગ બિલાસા.
(આ ) સાંભળતાં જ રાવણ મનમાં ભયભીત થયો, પરંતુ  મુખથી ( ઉપલક ) મંદ હસી તે સર્વ ને સંભળાવી   
કહેવા લાગ્યો કે ,જેમ પૃથ્વી પર પડેલો ( કોઈ મનુષ્ય ) આકાશને હાથથી પકડવાની ચેષ્ઠા કરે ,તેમ આ નાનો
તપસ્વી (લક્ષ્મણ ) વાણીનો વિલાસ (બડાઈ ) કરે છે.


કહ સુક નાથ સત્ય સબ બાની, સમુઝહુ છાડ઼િ પ્રકૃતિ અભિમાની.
સુનહુ બચન મમ પરિહરિ ક્રોધા, નાથ રામ સન તજહુ બિરોધા.
શુક દૂતે કહ્યું: હે નાથ !  અભિમાની સ્વભાવને છોડી (આ પત્રિકામાં લખેલી ) સર્વ વાતો સત્ય સમજો.
ક્રોધ છોડી  મારું વચન સાંભળો. હે નાથ ! શ્રી રામ તરફનો વિરોધ ત્યજી દો.


અતિ કોમલ રઘુબીર સુભાઊ, જદ્યપિ અખિલ લોક કર રાઊ.
મિલત કૃપા તુમ્હ પર પ્રભુ કરિહી, ઉર અપરાધ ન એકઉ ધરિહી.
શ્રી રઘુવીર સમસ્ત લોકોના સ્વામી હોવા છતાં પણ તેમનો સ્વભાવ અતિ કોમળ છે. (તેમને ) મળતાં જ (તે )  પ્રભુતમારા પર કૃપા કરશે અને તમારો એક પણ અપરાધ હૃદયમાં નહિ રાખે.


જનકસુતા રઘુનાથહિ દીજે, એતના કહા મોર પ્રભુ કીજે.
જબ તેહિં કહા દેન બૈદેહી, ચરન પ્રહાર કીન્હ સઠ તેહી.
સીતાજી  શ્રી રઘુનાથજી ને આપી દો , હે પ્રભુ ! આટલું મારું કહ્યું કરો. જયારે તેણે ( એ દૂતે ) સીતાજીને  આપી દેવાકહ્યું ,ત્યારે દુષ્ટ રાવણે તેને લાત મારી.


નાઇ ચરન સિરુ ચલા સો, તહા કૃપાસિંધુ રઘુનાયક જહા.
કરિ પ્રનામુ નિજ કથા સુનાઈ, રામ કૃપાઆપનિ ગતિ પાઈ.
( એટલે તે પણ વિભીષણ ની પેઠે ) ચરણોમાં મસ્તક નમાવી જ્યાં કૃપાસાગર શ્રી રઘુનાથજી હતા ત્યાં ચાલ્યો ગયો.પ્રણામ કરી તેણે પોતાની કથા સંભળાવી અને શ્રી રામની કૃપાથી પોતાની ગતિ ( મુનિ નું સ્વરૂપ ) પ્રાપ્ત કરી.


રિષિ અગસ્તિ કીં સાપ ભવાની, રાછસ ભયઉ રહા મુનિ ગ્યાની.
બંદિ રામ પદ બારહિં બારા, મુનિ નિજ આશ્રમ કહુપગુ ધારા.
(શંકર કહે છે :)  હે ભવાની  ! તે શુક જ્ઞાની મુનિ હતો. અગત્સ્ય ઋષિના શાપથી રાક્ષસ થયો હતો.
વારંવાર શ્રી રામના ચરણોમાં વંદન કરી તે મુનિ પોતાના આશ્રમ તરફ ગયો.


(દોહા)
બિનય ન માનત જલધિ જડ઼ ગએ તીન દિન બીતિ.
બોલે રામ સકોપ તબ ભય બિનુ હોઇ ન પ્રીતિ (૫૭)
આ તરફ ત્રણ દિવસ વીત્યા છતાં જડ સમુદ્રે  વિનય માન્યો નહિ, ત્યારે શ્રી રામચંદ્ર ક્રોધ સહીત બોલ્યા :
ભય વિના પ્રીતિ થતી નથી.(૫૭)





          INDEX PAGE
       NEXT PAGE

Gujarati Sundar Kaand-ગુજરાતી સુંદરકાંડ-૩૯






મર્દિ ગર્દ મિલવહિં દસસીસા, ઐસેઇ બચન કહહિં સબ કીસા.
ગર્જહિં તર્જહિં સહજ અસંકા, માનહુ ગ્રસન ચહત હહિં લંકા
અને રાવણને મસળી ધૂળમાં મિલાવી દઈશું. સર્વ વાનરો એવા જ વચનો કહી રહ્યા છે. બધા સ્વભાવથી જ  નિશંક(નિર્ભય ) છે અને એવી ગર્જનાઓ અને તર્જનાઓ કરે છે કે જાણે લંકાને ગળી જવા ઇચ્છતા હોય !


.(દોહા)
સહજ સૂર કપિ ભાલુ સબ પુનિ સિર પર પ્રભુ રામ.
રાવન કાલ કોટિ કહુ જીતિ સકહિં સંગ્રામ(૫૫)
સર્વ વાનરો તથા રીંછો સ્વાભાવિક શુરા છે અને વળી તેઓના શિર પર (સર્વેશ્વર ) પ્રભુ શ્રી રામચંદ્રજી છે.
(એટલે  પૂછવું જ શું ?) હે રાવણ  ! તેઓ સંગ્રામમાં  કરોડો કાળને (પણ ) જીતી શકે છે.(૫૫)


ચોપાઈ 
રામ તેજ બલ બુધિ બિપુલાઈ, શેષ સહસ સત  સકહી  ન ગાઈ.
સક  સર એક સોષી સત સાગર ,તવ ભ્રાતહી પૂછે ઉ  નય  નાગર.
શ્રી રામચંદ્રજીનું તેજ ,બળ બુદ્ધિની અધિકતાને લાખો શેષનાગો  પણ ગાઈ શકતા નથી. તે એકજ બાણથી સમુદ્રોનેસુકવી શકે છે, પરંતુ નીતિનિપુણ્ શ્રીરામે (નીતિ જાળવવા ) તમારા ભાઈને ઉપાય પૂછ્યો.


તાસુ બચન સુનિ સાગર પાહીં, માગત પંથ કૃપા મન માહીં.
સુનત બચન બિહસા દસસીસા, જૌં અસિ મતિ સહાય કૃત કીસા.
પછી  તેમનાં (આપના ભાઈ નાં ) વચનો સાંભળી તે (શ્રીરામ ) સમુદ્ર પાસે રસ્તો માગી રહ્યા છે.
તેમનાં મનમાં  કૃપા છે.દૂત નાં વચન સાંભળી રાવણ ખુબ હસ્યો. (અને બોલ્યો :)
જયારે આવી બુદ્ધિ છે ત્યારે જ વાનરોને સહાયક   બનાવ્યા છે !


સહજ ભીરુ કર બચન દૃઢ઼ાઈ, સાગર સન ઠાની મચલાઈ.
મૂઢ઼ મૃષા કા કરસિ બડ઼ાઈ, રિપુ બલ બુદ્ધિ થાહ મૈં પાઈ.
સ્વભાવથી  બીકણ વિભીષણ નાં વચન માની તેમણે સમુદ્ર પાસે બાળહઠ કરવા માંડી છે ! ઓ મૂઢ ! વ્યર્થ  બડાઈશું  કરેછે ? બસ મેં  શત્રુ (શ્રી રામ ) નું બળ તથા બુદ્ધિનો તાગ મેળવી લીધો.


સચિવ સભીત બિભીષન જાકેં, બિજય બિભૂતિ કહાજગ તાકેં.
સુનિ ખલ બચન દૂત રિસ બાઢ઼ી, સમય બિચારિ પત્રિકા કાઢ઼ી.
જેના વિભીષણ જેવા બીકણ મંત્રી હોય , તેને જગતમાં વિજય તથા  ઐ શ્વર્ય  ક્યાંથી મળે ? દુષ્ટ રાવણનાં  વચનસાંભળી દૂતનો ક્રોધ વધ્યો. તેણે સમય વિચારી પત્રિકા કાઢી.


રામાનુજ દીન્હી યહ પાતી, નાથ બચાઇ જુડ઼ાવહુ છાતી.
બિહસિ બામ કર લીન્હી રાવન, સચિવ બોલિ સઠ લાગ બચાવન.
(અને કહ્યું :) શ્રી રામના નાના ભાઈ લક્ષ્મણે આ પત્રિકા આપી છે. હે નાથ  ! આને  વંચાવી છાતી ઠંડી કરો.
રાવણે હસીને તેને ડાબા હાથમાં લીધી અને મંત્રીને બોલાવી  મૂર્ખ તે (પત્રિકા ) વંચાવવા લાગ્યો.


(દોહા)
બાતન્હ મનહિ રિઝાઇ સઠ જનિ ઘાલસિ કુલ ખીસ.
રામ બિરોધ ન ઉબરસિ સરન બિષ્નુ અજ ઈસ(૫૬-ક)
(પત્રિકામાં લખ્યું હતું ) અરે મૂર્ખ કેવળ વાતોથી જ મનને રીઝવી પોતાના કુળનો નાશ ન કર ! શ્રી રામ સાથે
વિરોધ કરી તું બ્રહ્મા, વિષ્ણું તથા મહેશ્વર ને શરણે જાય તો પણ બચવાનો નથી.(૫૬-ક )




          INDEX PAGE
       NEXT PAGE