=’width=device-width, initial-scale=1, maximum-scale=1′ name=’viewport'/> SOM-સોમ: Gujarati Bhajan-Narsinh Mehata-ગુજરાતી ભજનો-નરસિંહ મહેતા-૨૪

Gujarati Bhajan-Narsinh Mehata-ગુજરાતી ભજનો-નરસિંહ મહેતા-૨૪







ઘડપણ કોણે મોકલ્યું જાણ્યું જોબન રહે સૌ કાળ…………...ઘડપણ


ઉંબરા તો ડુંગરા થયા રે, પાદર થયાં રે પરદેશ,
ગોળી તો ગંગા થઈ રે, અંગે ઊજળા થયા છે કેશ………….. ઘડપણ


નહોતું જોઈતું તે શીદ આવિયું રે, નહોતી જોઈ તારી વાટ,
ઘરમાંથી હળવા થયા રે, કહે ખૂણે ઢાળો એની ખાટ………... ઘડપણ


નાનપણે ભાવે લાડવા રે, ઘડપણે ભાવે સેવ,
રોજ,રોજ જોઈએ રાબડી રે, એવી બળી રે ઘડપણની ટેવ….. ઘડપણ


પ્રાતકાળે પ્રાણ માહરા રે, અન્ન વિના અકળાય,
ઘરના કહે મરતો નથી રે, તેને બેસી રહેતા શું થાય…………. ઘડપણ


દીકરા તો જૂજવા થયા રે, વહૂઅરો દે છે ગાળ,
દીકરીઓને જમાઈ લઈ ગયા રે, હવે ઘડપણના શા હાલ……..ઘડપણ


નવ નાડીઓ જૂજવી પડી રે, આવી પહોંચ્યો કાળ,
બૈરાંછોકરાં ફટ ફટ કરે રે, નાનાં મોટા મળી દે છે ગાળ………. ઘડપણ


આવી વેળા અંતકાળની રે, દીકરા પધાર્યા દ્વાર,
પાંસળીએથી છોડી વાંસળી રે, લઈ લીધી તેણી વાર…………..ઘડપણ


એવું જાણી સૌ હરી ભજો રે, સાંભળજો સૌ સાથ,
પરઉપકાર કરી પામશો રે, જે કંઈ કીધું હશે જમણે હાથ……… ઘડપણ


એવું નફટ છે આ વૃદ્ધપણું રે, મૂકી દો સૌ અહંકાર,
ધરમના સત્ય વચન થકી રે મહેતો નરસૈં ઊતર્યો ભવપાર…….ઘડપણ