=’width=device-width, initial-scale=1, maximum-scale=1′ name=’viewport'/> SOM-સોમ: Gujarati Bhajan-Narsinh Mehata-ગુજરાતી ભજનો-નરસિંહ મહેતા-૧૮

Gujarati Bhajan-Narsinh Mehata-ગુજરાતી ભજનો-નરસિંહ મહેતા-૧૮







જ્યાં લગી આત્મા તત્વ ચીન્ધે નહિ,
ત્યાં લગી સાધના સર્વ જૂઠી,


મનુષ્ય-દેહ તારો એમ એળે ગયો,
માવઠાની જેમ વૃષ્ટિ જૂઠી.


શુ થયું સ્નાન, પૂજા ને સેવા થકી,
શું થયું ઘેર રહી દાન દીધે ?


શુ થયું ધરી જટા ભસ્મ લેપન કર્યે,
શું થયું વાળ લોચન કીધે ?


શું થયું તપ ને તીરથ કીધા થકી,
શું થયું માળા ગ્રહી નામ લીધે ?


શું થયું તિલક ને તુલસી ધાર્યા થકી,
શું થયું ગંગાજળ પાન કીધે ?


શું થયું વેદ વ્યાકરણ વાણી વદે,
શું થયું રાગ ને રંગ જાણ્યે ?


શું થયું ખટ દર્શન સેવ્યા થકી,
શું થયું વરણના ભેદ આણ્યે ?


એ છે પ્રપંચ સહુ પેટ ભરવા તણા,
આતમરામ પરિબ્રહ્મ ન જોયો;


ભણે નરસૈંયો કે તત્વદર્શન વિના,
રત્ન-ચિંતામણિ જન્મ ખોયો.



   Previous Page
      Next Page