=’width=device-width, initial-scale=1, maximum-scale=1′ name=’viewport'/> SOM-સોમ: રામાયણ-61

રામાયણ-61


ભાગવત માં જેમ દશમ સ્કંધ છે-તેમ રામાયણ માં સુંદરકાંડ છે.
સુંદરકાંડ માં હનુમાનજી ને સીતાજી નાં દર્શન થાય છે. સીતાજી –એ પરાભક્તિ છે.
જેમનું જીવન સુંદર થાય એને પરાભક્તિ નાં દર્શન થાય છે.
સમુદ્રને (સંસાર સમુદ્ર ને) ઓળંગી ને જે જાય, ત્યારે તેને પરાભક્તિ નાં દર્શન થાય.

તે ઓળંગે છે-માત્ર હનુમાનજી.બ્રહ્મચર્ય અને રામનામ ના પ્રતાપે હનુમાનજી માં દિવ્ય શક્તિ છે.
સમુદ્ર ઓળંગે એટલે પહેલાં રસ્તામાં “સુરસા” (સારા રસો) મળે છે.સુરસા ત્રાસ આપે છે.
નવીન રસ લેવાવાળી વાસનામય જીભ (ઇન્દ્રિયો) એટલે જ સુરસા.
જેને  સંસ્રાર-સમુદ્ર ઓળંગવો હશે –તેણે- જીભને (ઇન્દ્રિયો ને) મારવી પડશે-વશ કરવી પડશે.
હનુમાનજી એ સુરસા નો પરાભવ કર્યો છે.

મનુષ્ય ને સુખ આપનાર ,જીવન ને સુંદર બનાવનાર સંપત્તિ નથી-પણ સંયમ છે.
સંયમ રાખી જેનું જીવન ભક્તિમય થાય તેનું જ જીવન સુંદર બને છે.

સીતાજી એ પરાભક્તિ છે,અને પરાભક્તિ છે ત્યાં શોક રહી શકે નહિ,તેથી તે “અશોક”વન માં રહે છે.
જીવ ને એકવાર પરમાત્મા એ અપનાવ્યો પછી ત્યાં શોક કે મોહ રહી શકે નહિ.
સીતાજી એ હનુમાનજી ને અપનાવ્યા છે.

સુંદરકાંડ પછી આવે છે-લંકાકાંડ
જીવન સુંદર અને ભક્તિમય થયું –ત્યાર પછી રાક્ષસો મરે છે.
કામ,ક્રોધ,લોભ,મોહ મત્સર-આ બધા વિકારો તે રાક્ષસો છે. ઘણા લોકો કહે છે-કે આ વિકારો જશે પછી ભક્તિ કરીશું,પણ એ વાત સાચી નથી.ભક્તિ વગર આ વિકારો જતા નથી.
ભક્તિ થી જ ધીરે ધીરે વિકારો ઓછા થાય છે.

કામ ને જે મારે તે કાળ ને મારી શકે છે,લંકા શબ્દ ને ઉલટાવો –તો થશે-કાલ (કાળ).
કાળ સર્વને મારે છે-પણ હનુમાનજી કાળ ને મારે છે.લંકા ને બાળે છે..

લંકા કાંડ પછી આવે છે-ઉત્તરકાંડ
તુલસીદાસજીએ સર્વસ્વ ઉત્તરકાંડ માં ભર્યું છે.ઉત્તરકાંડ માં મુક્તિ મળશે.
કાકભુશુંન્ડી એ ગરુડજી ને જ્ઞાન અને ભક્તિ સમજાવ્યા અને અંતમાં ભક્તિ ની મહત્તા બતાવી છે.
વશિષ્ઠ જી એ પણ રામજી ને કહેલું કે-
ભક્તિ ના જળ વગર અંતઃકરણ ના મળનો કદી નાશ થતો નથી.
ઉત્તરકાંડ  માં ભક્તિ નો મહિમા છે.ભગવાન થી એક ક્ષણ પણ વિભક્ત ના થાય તે ભક્ત.

પૂર્વાર્ધ માં રાવણ ને (કામને) મારે –તેનો ઉતરાર્ધ-ઉત્તરકાંડ-સુંદર બને છે.
જીવન ના યૌવન કાળ માં જે કામ ને મારે તેની વૃદ્ધાવસ્થા સુંદર બને છે.જ્ઞાન-ભક્તિ મળે છે.તે રાજ કરે છે.
શરીર દુર્બળ થાય પછી-સંયમ રાખે તેમાં શું આશ્ચર્ય ?

રામાયણ ના -આ સાત કાંડો નું નામ આપ્યું છે-સોપાન.
માનવજીવન ની ઉન્નતિ ના આ સાત પગથિયાં છે. મુક્તિ નાં સાત પગથિયાં છે.
રામકથા સાગર જેવી છે. રામજી ના ચરિત્ર નું કોણ વર્ણન કરી શકે ?તેનો પાર નથી.
કંઈ નહિ-તો-છેવટે-શિવજી ના જેમ હૃદય માં –રામનું નામ રાખવામાં આવે તો પણ ઘણું છે.

હનુમાનજી કહે છે-કે-સંસારમાં વિપત્તિ તે જ છે-કે-જયારે રામના નામનું સ્મરણ ના થાય.
રાજ્યાભિષેક પછી-અયોધ્યાવાસીઓ ને રામજી –બોધ આપે છે.
આ બોધ માત્ર અયોધ્યાવાસીઓ માટે જ નહિ પણ આપણા સર્વને માટે છે.
“આ માનવશરીર મળ્યું છે-તે વિષય-ભોગ ભોગવવા માટે નથી. વિષય નું સુખ એક ઘડી પૂરતું સ્વર્ગ જેવું છે,અને અંતે તે દુઃખમય છે. માનવશરીર પામ્યા છતાં-જે મનુષ્ય –વિષયો પાછળ જ લાગી રહે છે-
તે મનુષ્ય તો અમૃત –આપી અને તેના બદલામાં વિષ-લઇ રહ્યો છે.”

ભાગવતમાં -સંક્ષિપ્ત માં આવતી આ રામાયણકથા ની અહીં સમાપ્તિ થાય છે.



સૌજન્ય- www.sivohm.com
   PREVIOUS PAGE           END                INDEX PAGE