=’width=device-width, initial-scale=1, maximum-scale=1′ name=’viewport'/> SOM-સોમ: રામાયણ-રહસ્ય-05

રામાયણ-રહસ્ય-05

ગાડી,વાડી,લાડી –વગેરે જો સુખ સદાને માટે આપતાં હોય તેવું જો લાગતું હોય તો,
શરીર બિમાર થાય અને અસ્વસ્થ બને તો તે સુખ કેમ સુખ લાગતું નથી?
ઇન્કમટેક્સની રેડ પડે ત્યારે ગાડી-વાડી-કેમ દુઃખમય બની જાય છે?
પેટમાં ચૂંક આવતી હોય તો શીખંડ-પુરી અને પકવાન નો થાળ કેમ સુખ આપતો નથી?
નજીકના કોઈ સગા નું અચાનક મૃત્યુ થાય,ત્યારે
“મારે પણ આ બધું છોડી મરવું પડશે-જવું પડશે” એ વિચાર થી શોક કેમ થાય છે?
દીકરો –દીકરી કહ્યામાં ના રહે,મન માની કરે ત્યારે સંસાર કેમ ખારો થઇ જાય છે?

માટે જ સાચી વાત એ છે કે,સુખ કોઈ સંસારના પદાર્થ માં નથી.
પદાર્થ જડ છે,અને જડ પદાર્થ માં આનંદ કે સુખ હોઈ શકે નહિ.પણ જીવ ને જડ પદાર્થ માં આનંદ નો
કેવળ ભાસ થાય છે.એ આનંદ મેળવવા જાય છે, અને તેને સાચો આનંદ મળતો નથી.
સાચો આનંદ તો પરમાત્મા માંથી –પરમ ચૈતન્ય માંથી જ મળે છે.જીવ નો આનંદ તેની અંદર જ છે.
સંસાર નો સંબંધ છુટે તો આનંદ નો સંબંધ થાય- બ્રહ્મ સંબંધ થાય.

જીવન માં કોઈ કોઈ વાર ઘણા મનુષ્યો  ને પ્રશ્ન થાય છે કે-
મનુષ્ય જીવન નો અર્થ શું?જીવન નું લક્ષ્ય શું ?જીવન શા માટે છે ?
ઘણી વાર સ્મશાનયાત્રા માં કે ચિતા પર શબને અગ્નિદાહ અપાતો જોઈ મનુષ્ય વિચારે ચડે છે-
“મારી પણ આવી દશા થવાની,હું પણ આમ જ મરી જવાનો.બધું છોડીને મારે પણ આમ જવું પડશે”
સ્મશાન માં આવો “વૈરાગ્ય” આવે છે પણ લાંબો ટકતો નથી.એટલે એને  “સ્મશાન વૈરાગ્ય” કહે છે.
તેમ છતાં આ સ્મશાન વૈરાગ્ય એ વૈરાગ્ય. તો છે જ.કારણ તે અંતર માં પેદા થાય છે.

પ્રભુ એ જ એવી રચના કરી છે કે સંસાર માં ફસાયેલા મનુષ્યને આવી રીતે પણ ઢંઢોળે છે.
કોઈ પૂર્વ-જન્મ નો ભાગ્યશાળી આવા પહેલા ધક્કાથી જ ચેતી જાય છે.પણ
રીઢા થઇ ગયેલા મનુષ્યો મન ને ચુપ કરી દે છે અને મન ને કહે છે કે બેસ બેસ ડાહ્યલા...
બહુ ડહાપણ કર્યા વગર ખાં-પી અને મોજ કર.

ખાવું,પીવું,ઊંઘવું,મરવું-એ જ માત્ર માનવ જીવન નું લક્ષ્ય નથી.
આહાર-વિહારનું આવું જ્ઞાન તો પશુ-પંખી-કીટક ને પણ છે તો પછી બંને વચ્ચે ફેર શું ?
માણસ ને પ્રભુએ મન-બુદ્ધિ આપી છે,માણસ સુખ-દુઃખ નો અનુભવ કરી શકે છે.સાચા-ખોટા નો વિચાર કરી શકે છે ને નિર્ણય પણ કરી શકે છે.

મનુષ્ય નું એક વિશિષ્ઠ લક્ષણ એ છે કે-તે પ્રભુ ને પામવાનો પ્રયત્ન કરી શકે છે,પ્રભુ ને પામી શકે છે.
પશુ પંખી તેમ કરી શકતા નથી.
ભર્તૃહરિ કહે છે કે-માણસે પોતાના જીવન નું લક્ષ્ય સમજવું જોઈએ.જો એ લક્ષ્ય નક્કી કરે તો તે માણસ,
નહિતર તો તે પૂંછ-શિંગડા વગરનો સાક્ષાત પશુ છે –એમ સમજવો.

સંસાર તો ચકલાં પણ માંડે છે,માળો બાંધે,ઈંડા મૂકે,બચ્ચાં મોટા કરે અને છેવટે મરે છે.
મનુષ્ય ને પલંગ માં આળોટવાનો જેવો આનંદ મળે છે તેવો ગધેડાને ઉકરડામાં આળોટવામાં મળે છે.

માણસ મન-બુદ્ધિ નો ઉપયોગ કરી ને પરમાત્મા ની ભક્તિ કરે તો એ માનવ નહિતર મનુષ્ય દેહમાં  તે દાનવ. ભગવાન ના નામ-જપ નો આનંદ લઇ શકે તે માનવ.

PREVIOUS PAGE      INDEX PAGE         NEXT PAGE