=’width=device-width, initial-scale=1, maximum-scale=1′ name=’viewport'/> SOM-સોમ: રામાયણ-રહસ્ય-06

રામાયણ-રહસ્ય-06


પાપ-પુણ્ય ને પ્રાણીઓ સમજી શકતા નથી. વાઘ-વરુ વગેરે જંગલી પ્રાણીઓ શિકાર કરી ને જ જીવી શકે છે, તે તેમનો ધર્મ છે,માનવી નો ધર્મ હિંસા નો નહિ પણ અહિંસા નો છે.
બીજા જીવ ને દુઃખી કરી કે મારી ને પોતે સુખી થવાનો વિચાર ખોટો છે.
રાવણ રાક્ષસ-કુળ નો નહોતો,તે બ્રાહ્મણ-કુળમાં પેદા થયો હતો.બ્રાહ્મણ-કુળ ના સંસ્કાર બીજા ને સુખી કરવાના છે, રાક્ષસ કુળ ના સંસ્કાર બીજા ને દુઃખી કરવાના છે.રાવણે બ્રાહ્મણ ના સંસ્કાર છોડ્યા તેથી તે રાક્ષસ ગણાયો.

મનુષ્ય શરીર થી જ ભક્તિ થઇ શકે છે,ભગવાને પશુ-પંખી,ઝાડો,પહાડો વગેરે બનાવ્યા પણ તેમને સંતોષ  ના થયો એટલે ત્યારે તેમણે મનુષ્ય પેદા કર્યો.
ભાગવત માં ભગવાન કહે છે કે મને મનુષ્ય શરીર અતિ પ્રિય છે.
મનુષ્ય શરીર ભક્તિ,મુક્તિ અને જ્ઞાન નું સાધન છે.અને તેથી મનુષ્ય શરીર અતિ દુર્લભ છે.
એટલે જ તો ભગવાન પણ આ મનુષ્ય  શરીર માં અવતાર ધારણ કરે છે.

મનુષ્ય શરીર જ તપ કરીને ભગવાનને પામી શકે છે,પ્રભુ ના દર્શન કરી શકે છે.
પશુ પંખી તપ કે ભક્તિ કરી શકતા નથી.સ્વર્ગ ના દેવો પણ તપ કરી શકતા નથી.

સંતો દેવો ના શરીર ને ચાંદી નું અને મનુષ્યના શરીર ને લોઢાનું કહે છે.
ચાંદી નું શરીર આમ કિંમતી ખરું પણ પારસમણિ ના સંયોગ થી તે સોનું થઇ શકે નહિ.
જયારે, હરિ ભક્તિ નો પારસમણિ મનુષ્ય ના લોઢાના શરીર ને સોનું બનાવે છે.
એટલે પછી દેવ શરીર ની કોઈ કિંમત ખરી?

દેવો સ્વર્ગ નું સુખ ભોગવે છે પણ તે સુખો અનંત ન હોતાં અંતવાળા છે.કારણકે સ્વર્ગ માં દેવો કોઈ
નવા પુણ્ય નો સંચય કરી શકતા નથી.અને પુણ્ય પુરુ થતાં તેમને સ્વર્ગ છોડવું પડે છે.
આમ દેવો નો વેપાર એ ખોટ નો વેપાર છે.મૂડી રોજ ઓછી થતી જાય ને મૂડી માં વધારો થાય નહિ.
પુણ્યકર્મ અને પુણ્ય નો સંચય કેવળ પૃથ્વી પર મનુષ્યલોક માં જ થઇ શકે છે.
જ્ઞાન,ભક્તિ અને વૈરાગ્ય થી તપ કરી પરમાત્મા ને પામી શકાય છે.

એટલે જ  ભક્તો કહે છે કે-વ્રજ વહાલું રે વૈકુંઠ નહિ આવું.
નરસિંહ મહેતા એ ગાયું છે કે-હરિ ના જન તો મુક્તિ ન માગે માગે જન્મો જન્મ અવતાર રે.
સંત કબીર કહે છે કે-
જબ લોહા માટી મિલા,તબ પારસ કોહ કામ ?
મુઆ પછી આ શરીર રૂપી લોઢું માટી થઇ જાય,પછી પ્રભુ રૂપી-પારસમણિ શા કામનો?
( મને હમણાં જ આ શરીર માં જ મળો અને મારા શરીર (લોઢા-રૂપી) ને તમારા પારસમણિ-રૂપી
સ્પર્શ થી સોનાનો બનાવો,શરીર મરી જાય,માટી થઇ જાય, પછી મળો તો શું કામના?)

પરમાત્મા ના દર્શન વિના જીવ ને શાંતિ મળતી નથી.
સ્વપ્ન માં પ્રભુનાં દર્શન થાય તે સામાન્ય દર્શન છે,મંદિરમાં મૂર્તિમાં પ્રભુ ના દર્શન થાય તે મધ્યમ દર્શન છે,પણ ઈશ્વર ના પ્રત્યક્ષ દર્શન થાય તે ઉત્તમ દર્શન છે
ધ્રુવ-પ્રહલાદ નું દૃષ્ટાંત એ ઉત્તમ દર્શન નો પુરાવો છે.

મંદિર માં દર્શન કરી ને બહાર આવી ને મંદિર ના ઓટલા પર જ જેની તેની કુથલી કરવા બેસી જવું તે-
મધ્યમ દર્શન નો લાભ પણ ખોઈ નાખવા જેવું છે.
દુનિયા ના દરેક જીવ માં પરમાત્મા છે ને એ જ પરમાત્મા મારામાં છે-
એ પ્રમાણે આખું જગત જેને પરમાત્મા સ્વરૂપ દેખાય,તેને જ પરમાત્મા ના સ્વ-રૂપ નો અનુભવ થાય છે.
  
PREVIOUS PAGE      INDEX PAGE         NEXT PAGE