=’width=device-width, initial-scale=1, maximum-scale=1′ name=’viewport'/> SOM-સોમ: રામાયણ-રહસ્ય-10

રામાયણ-રહસ્ય-10

મૃત્યુ સુધરે તેનું કે જેણે જીવન ને સુધાર્યું છે.જેણે પળેપળ નો સદુપયોગ કર્યો છે.
તન,મન,ધન,વાણી –વગેરે સર્વે નો જે સદુપયોગ કરે,અને પ્રભુ ના નામ(રામ-નામ) નો આશરો લે તેનું મરણ સુધરે છે.હરિનામ સિવાય મરણ ને સુધારવાનો બીજો કોઈ સરળ ઉપાય નથી.

તરાપ મારવા ટાંપી ને બેઠેલા કાળ (મૃત્યુ) નો મનમાં બરાબર ખ્યાલ રાખી ને વ્યવહાર ની ક્રિયાઓ કરવાની છે.તેને માટે સ્મશાન વૈરાગ્ય પુરતો નથી,દૃઢ વૈરાગ્ય ની જરુંર છે,
રોજ સ્મશાન માં જવાની જરૂર નથી પણ સ્મશાન ને રોજ યાદ કરવાની જરૂર છે.

શંકર ભગવાન સ્મશાનમાં વિરાજે છે,તેઓ જ્ઞાનના દેવ છે,તેથી સ્મશાન માં રહે છે.
સ્મશાન માં સમભાવ છે,ત્યાં રાજા આવે કે રંક,મૂર્ખ આવે કે વિદ્વાન,સ્ત્રી કે પુરુષ સર્વના શરીર ની ત્યાં રાખ થાય છે. સમભાવ એટલે “વિષમ ભાવનો અભાવ” સમભાવ એટલે ઈશ્વર ભાવ,
મનુષ્ય સર્વમાં સમભાવ રાખી વ્યવહાર કરે તો તેનું મરણ સુધરે છે.
સર્વમાં સમભાવ આવે તો દીનતા (દૈન્ય) આવે છે,ને પરમાત્મા ને પ્રસન્ન કરવાનું સાધન દૈન્ય પણ છે.

શાસ્ત્રમાં મુક્તિ ના બે પ્રકાર કહ્યા છે.
એક ક્રમ-મુક્તિ અને બીજી  સદ્યો-મુક્તિ
ક્રમ-મુક્તિ ક્રમે ક્રમે –ધીમે ધીમે થાય છે.
બસ ની લાઈનમાં ઉભા રહેલા નો વારો આવે ત્યારે તેને બેસવા મળે.તેમ.
બધા ક્રિયમાણ,સંચિત અને પ્રારબ્ધ કર્મો બળી રહે,અને જીવ શુદ્ધ થાય ત્યારે મુક્તિ મળે..
જયારે સદ્યો-મુક્તિ તરત જ મળે.સદ્યો મુક્તિ નો માર્ગ પ્રભુ-કૃપા નો છે.
એ માર્ગે જવાનું સાધન ભક્તિ છે (પ્રભુનું નામ-રામનામ-કૃષ્ણ નામ-હરિનામ છે)
મનુષ્ય ભગવદ-ભક્તિ કરે અને પ્રભુ પ્રસન્ન થાય તો પ્રભુ તેને સીધા પોતાના ધામમાં લઇ જાય છે.

પરમાત્મા ની સાધારણ કૃપા તો સર્વ જીવો પર છે પણ વિશિષ્ઠ કૃપા કોઈ કોઈ જીવ પર કરે છે.
જીવ જયારે વારંવાર પ્રભુની પ્રાર્થના કરી કરી ને થાકી જાય,અને છેવટે દીન બની ને પ્રભુને પોકારે,
ત્યારે ભગવાન ની તેના પર વિશિષ્ઠ કૃપા થાય છે.
જીવ ખૂબ નમ્ર બને અને સાધન (ભક્તિ) કરે તો તે પ્રભુ ને ગમે છે.તેમાંયે વળી
નિસાધન બની સાધન કરે તો તો તે સહુથી શ્રેષ્ઠ છે.
મારે હાથે કંઇ થતું નથી,કર્તા પ્રભુ છે,હું કંઈ કરતો નથી,એવી દૃઢ ભાવના (નિસાધન ની) જેની સિદ્ધ થઇ છે,
તેવો ભક્ત એ પરમાત્મા ની કૃપા નો અધિકારી બને છે.

ભક્તિ ને ઘણા લોકો સહેલી માને છે,પણ તે એટલી બધી સહેલી પણ નથી.
આ તો “શિર સાટે નટવર ને વરવા” ની વાત છે.
પ્રભુ ને શિર દઈ દઈ દીધું - પછી ધડ ને ચલાવવાની જવાબદારી નટવર ને હાથ છે.
શિર-સાટા ની ભક્તિ માં મરણ નો ડર નથી,દુઃખ નો ડર નથી.
મરી ને જીવે અને જીવી ને મરે એ ખરો શૂરવીર છે.એ ખરો ભક્ત છે.તેની ભક્તિ એ તેનું પ્રમાણ છે.
મરણ નું મરણ એ જ મુક્તિ છે.ભક્તિ થી મન ને પ્રભુ માં જોડી દીધું એટલે મન ની મુક્તિ થઇ.
મન ની મુક્તિ થઇ એટલે જીવ ની પણ મુક્તિ થઇ.

માટે જ રોજ પ્રભુ ને પ્રાર્થના કરવી જોઈએ કે- હે પ્રભુ,મારું મન તમારા સિવાય જગતના કોઈ પદાર્થ માં ના લાગો.હે નાથ,તમે મારા મન ને ખેંચી લો,મારા મન ને તમારા માં ભેળવી દો.
આપણું મન પથ્થર ના જેવું પૂર્ણ જડ નથી,પણ અર્ધ ચેતન અને અર્ધ જડ છે.
જરા સંકલ્પ કરવામાં આવે તો મન હજારો માઈલ દૂર જઈ આવે છે.
મન નો લય તો માત્ર ઈશ્વરમાં જ થઇ શકે છે.કારણકે સજાતીય વસ્તુ સજાતીય માં ભળે છે.
દૂધ માં ખાંડ ભળે તેમ.દુધ માં કાંકરો ભળી શકે નહિ.
જે ક્ષણે ક્ષણે સરી જાય છે તે સંસાર છે,સંસાર નો પ્રત્યેક પદાર્થ નાશવંત છે, મન તેમાં ભળી શકે નહિ.
મન તો માત્ર ઈશ્વરમાં જ ભળે,તેમના સિવાય બીજી કોઈ વસ્તુ માં મન ભળતું નથી.

PREVIOUS PAGE        INDEX PAGE         NEXT PAGE