=’width=device-width, initial-scale=1, maximum-scale=1′ name=’viewport'/> SOM-સોમ: રામાયણ-રહસ્ય-12

રામાયણ-રહસ્ય-12

સીતાજી ના હરણ પછી,શ્રીરામ શબરી ના આશ્રમ માંથી નીકળી,પંપા સરોવર ના કિનારે લક્ષ્મણજી જોડે વાર્તાલાપ કરતા બેઠા હતા,ત્યારે શંકરજી આકાશમાંથી તેમણે નિહાળી રહ્યા હતા,
શંકરજી ને રામજી પ્રસન્ન ચિત્ત દેખાય છે.પણ તે જ સમયે નારદજી ત્યાં આવે છે તેમને શ્રીરામ વિરહવંત દેખાય છે. ઈશ્વર ના સ્વરૂપ ની આ બલિહારી છે.

તુલસીદાસજી આ ભાવ સ્વરૂપ નું આપણી આગળ વર્ણન કરે છે.
કોઈ ને રામનું મર્યાદા-સ્વ-રૂપ ગમે ,કોઈ ને કૃપા-રૂપ ગમે,કોઈને કોમળ-રૂપ ગમે તો કોઈને વીર-રૂપ ગમે.જેને રામજી નું જે રૂપ પ્રિય હોય તે સ્વ-રૂપે તે દેખાય છે.

જનક રાજાના દરબારમાં રાજાઓ,ઋષિ-મુનિઓ,સ્ત્રીઓ-સહુ ને શ્રીરામ જુદા જુદા રૂપે દેખાય છે.
તેવી જ રીતે વનવાસ પુરો કરી ને અયોધ્યા આવે છે ત્યારે સહુ ને એક સાથે મળે છે.
કોઈ ને વંદન તો કોઈ ને ભેટી ને મળે છે, જેનો જેવો ભાવ.

એટલે જ તુલસીદાસજી કહે છે કે-રામ-કથા તો પતિતપાવની ગંગા છે.
આવો,એમાં સ્નાન કરો અને પવિત્ર થાઓ. ગંગાજી કદી પૂછતા નથી કે તમે કેવા મેલાઘેલા છે?
એ તો કહે છે કે-આવો,પધારો હું તમારું સ્વાગત કરું છું.
રામજી-રૂપ (રામ-કથા રૂપ) ગંગાજી એકદમ નજીક છે,હાથ પર છે,ડૂબકી મારો તેટલી જ વાર.....

તુલસીકૃત રામાયણ માં ગંગાજી ને પેઠે શ્રીરામ એકદમ નજીક લાગે છે,
વાલ્મીકિ રામાયણ માં એટલા સમીપ લાગતા નથી.
એટલે જ સંતો કહે છે કે-
શ્રીરામ ને ભક્ત ની નજક લાવવા માટે વાલ્મીકિ એ જ તુલસીદાસજી રૂપે અવતાર લીધો હતો,

તુલસીદાસજી કહે છે કે-જાકી રહી ભાવના જૈસી,પ્રભુમૂરત દેખી તીન તૈસી”
(જેવી જેની ભાવના તેવી પ્રભુ ની મૂર્તિ તેમને દેખાય છે.)
પરમાત્મા-સ્વ-રૂપ ની આ સ્વાભાવિક લીલા છે.

ધનુષ્ય-ભંગના પ્રસંગ સમયે-પરશુરામજી ક્રોધ કરી ને ધસી આવે છે,ત્યારે રામજી નો વર્તાવ
સ્વસ્થ,શાંત અને સંયમી છે.તેમની નમ્રતા અદભૂત છે.
જે શિવ-ધનુષ્ય ને રાવણ જેવો મહાબલિ ઊંચકી શકતો નથી તેને શ્રીરામ ઊંચકી ને રમત રમતમાં
ઊંચકી લે છે,તેવા અતિ શક્તિશાળી મહામાનવ પ્રભુ ની નમ્રતા કેવી અજોડ છે !!
પરશુરામજી ને કહે છે કે-મહારાજ,તૂટેલું ધનુષ્ય તો સંધાવાનું નથી,
પણ ઉભા રહી ને આપણા પગમાં પીડા થતી હશે,આપ આસન ગ્રહણ કરો,તો હું આપની સેવા કરું.

એક મિત્ર તરીકે રામજી સુગ્રીવ ને કહે છે કે-મિત્ર નું દુઃખ જોઈ ને જે દુઃખી થતો નથી તેનું મોઢું જોવામાં પણ પાપ છે.ખરો મિત્ર તે છે કે પોતાના પહાડ જેવા દુઃખ ને રજ સમાન ગણી,
મિત્ર ના રજ જેવડા દુઃખ ને મેરુ (પહાડ) સમાન જાણે.
“નિજ દુઃખ ગિરિ સમ રજ કરી જાના,મિત્રક દુઃખ રજ મેરુ સમાના”
સીતાજીના અપહરણ નું દુઃખ મેરુ સમાન હતું તેમ છતાં સુગ્રીવ ની વહારે ધાયા છે.
સીતાજી ના વિયોગ થી થયેલ રામની વેદનાનો ભાવ એ રામાયણ નો એક  ઉત્તમ અંશ છે.
મનુષ્ય નો અવતાર ધારણ કર્યો એટલે રામજી ની આ સ્વાભાવિક લીલા છે.

PREVIOUS PAGE        INDEX PAGE         NEXT PAGE