=’width=device-width, initial-scale=1, maximum-scale=1′ name=’viewport'/> SOM-સોમ: રામાયણ-રહસ્ય-13

રામાયણ-રહસ્ય-13

એક માલિક (સ્વામી) તરીકે-રામજીએ હનુમાન જી તરફ શ્રદ્ધા અને ઋણ બતાવ્યું છે તે અદભૂત છે.
સીતાજી ના સમાચાર લઇ ને હનુમાનજી રામ પાસે આવે છે ત્યારે,
માલિક નું મન હનુમાનજી ની સન્મુખ થઇ શકતું નથી,શ્રી રામ કહે છે કે-“હે હનુમાન,હું તારો ઋણી છું અને ઋણી જ રહેવા માગું છું,તારું ઋણ વળવાનો હું વિચાર પણ કરી શકતો નથી,તારું ઋણ વળ્યું વળાય તેમ નથી,તારા ઋણ ના લીધે મારું મન તારી સન્મુખ પણ થઇ શકતું નથી.”

પ્રતિ ઉપકાર કરૌકા તોરા,સનમુખ ના હોઈ શકત મન મોરા,
સુનું સૂત તોહી ઉરીન મૈ નાહી,દેખેઊ કરી વિચાર મન માંહી.(સુંદર કાંડ)

ભક્ત ભગવાન ને ઋણી બનાવે છે.ભક્ત શાહુકાર અને ભગવાન દેવાદાર.સેવક ઋણદાતા અને સ્વામી ઋણી!
કૃષ્ણ જન્મ માં પણ શ્રીકૃષ્ણ ગોપીઓ ના દેવાદાર રહ્યા છે. તેમના ઋણ માં રહેવાનું તેમણે પસંદ કર્યું છે.
કહે છે કે-હું અમર શરીર થી અનંત કાળ લાગી તમારી સેવા કરું પણ તમારા પ્રેમ,સેવા ને ત્યાગ નો બદલો હું ચૂકવી શકું તેમ નથી.હું તમરો જનમોજનમ નો ઋણી છું.તમે ભલે મને ઋણ-મુક્ત કરો પણ હું તો
સદાય તમારો ઋણી રહીશ.

રામજી એ કોઈ પણ જીવ નું દિલ દુભવ્યું નથી.
જયારે,રામજી ને કૈકેયી એ વનવાસ આપ્યો ત્યારે રામજી કૈકેયી ને પગે લાગી ને કહે છે કે-
મા,મારો ભરત રાજા થતો હોય તો ચૌદ વરસ તો શું પણ આખી જિંદગી હું વનવાસ માં રહેવા તૈયાર છું.
મા,હું જાણું છું કે ભરત કરતાં તમને મારા પર વિશેષ પ્રેમ છે, વનમાં મને ઋષિ-મુનિઓ અને તપસ્વીઓ નો  સત્સંગ થાય તેથી જ તમે મને વનવાસ મોકલો છો. અમારા કલ્યાણ સિવાય તમારા મનમાં બીજી કોઈ કામના નથી.

રામજી સરળ છે તો સીતાજી ની સરળતા પણ એથીયે અલૌકિક છે.
હનુમાનજી, સીતાજી ને લંકાની અશોકવાડીમાં મળે છે.છેલ્લે વિદાય સીતાજી કહે છે કે-
તું આવ્યો તે સારું થયું,પણ તારા ગયા પછી રાક્ષસીઓ મને બહુ ત્રાસ આપશે.
રાક્ષસીઓ કેવો ત્રાસ આપતી હતી તે હનુમાનજી એ નજરે જોયું હતું.એટલે હનુમાનજી કહે છે કે-
માતાજી,આપ આજ્ઞા કરો, તો હમણાં જ આપને મારા ખભા પર બેસાડી રામજી પાસે લઇ જાઉં.

ત્યારે સીતાજી કહે છે કે-ના,તું મારો દીકરો છે,બાળબ્રહ્મચારી છે,પવિત્ર છે,તેમ છતાં તું પુરુષ અને હું સ્ત્રી છું,
મારા માટે પર પુરુષ નો સ્પર્શ વર્જ્ય છે.
એવા જ બીજા પ્રસંગે-
સીતાજી રાક્ષસીઓ થી ઘેરાયેલાં છે,ત્યારે રાવણ મ્યાન માંથી તલવાર કાઢી ને કહે છે કે-
બે મહિના માં તું મને તાબે નહિ થાય તો,તલવારથી તારું હું તારું માંથી કાપી નાખીશ.
સીતાજી તે વખતે પોતાની અને રાવણ ની વચ્ચે એક તણખલું મૂકે છે,તે એવું બતાવવા કે,
“મારે મન તું તણખલા ની તોલે છે.” અને પછી કહે છે કે-
મારા પ્રભુ ભગવાન રામચંદ્રજી ની ભુજાઓ શ્યામ કમળ ની માળા સમાન સુંદર અને હાથી ની સૂંઢ સમાન બળવાન છે,હે શઠ,તું સાંભળ,મારા કંઠ (ગળા) માં કાં તો એ ભુજાઓ પડશે કાં તો તારી તલવાર પડશે.
મારી કઠોર પ્રતિજ્ઞા છે કે,આ ગરદન ને ત્રીજી કોઈ ચીજ સ્પર્શ કરી શકશે નહિ.

સતી અનસૂયા એ સીતાજી ને વનવાસ સમયે આશીર્વાદ આપતાં કહ્યું હતું કે-
હે સીતા,પતિવ્રતા તરીકે લોકો તને સદા સ્મરશે.
સીતાજી સ્ત્રી ધર્મ નું તત્વ જગતને બતાવે છે,અને જગત ને અદભૂત આદર્શ પુરો પાડે છે.

લંકા-વિજય કરી રામ જયારે અયોધ્યા પાછા ફરે છે ત્યારે,સૌથી પહેલા ગુરૂ વશિષ્ઠ પાસે જાય છે.
અને તેમનો ચરણ-સ્પર્શ કરી સાથે આવેલા બધા મિત્રો ને કહે છે કે-
આ અમારા પૂજ્ય,કુલગુરુ વશિષ્ઠ જી,કે જેમની કૃપા થી મને રણમાં વિજય મળ્યો.
પછી મિત્રો નો પરિચય આપતાં તે ગુરૂ વશિષ્ઠ ને કહે છે કે-
યુદ્ધ નો યશ આ મારા શું મિત્રો નો છે,તેમની મદદ થી જ હું અઘરું કામ પૂર્ણ કરી શક્યો.
આમ, વિજય નો બધો યશ,રામજી બીજા ને દઈ દે છે.

PREVIOUS PAGE        INDEX PAGE         NEXT PAGE