=’width=device-width, initial-scale=1, maximum-scale=1′ name=’viewport'/> SOM-સોમ: રામાયણ-રહસ્ય-14

રામાયણ-રહસ્ય-14

રામજી ની નજરમાં ઊંચ,નીચ,ગરીબ કે શ્રીમંત –એવો કોઈ ભેદભાવ નથી.આથી નાના-મોટા બધા સેવકો પુરા ભક્તિભાવ થી તેમની સેવા કરે છે.એમની સેના માં નથી પગારદાર નોકરો કે નથી ભીષણ શસ્ત્રાસ્ત્રો.
રાવણ લડવા માટે રથ માં બેસી ને આવે છે,અને રામજી તો પગે ચાલી ને જ જાય છે.યુદ્ધ એમને પ્રિય નથી ,પણ ધર્મસંકટ છે.
રાવણ રણમાં પડ્યો,ત્યારે તેની અંત્યેષ્ટિ ક્રિયા તેઓ રાજ-સન્માન-પૂર્વક અને વિધિપૂર્વક કરાવે છે.અને રાવણ ને વેદાવદ મહાત્મા તરીકે વર્ણવે છે.

ધર્મ ના બળ પર વિજય મેળવી ને રામજી અયોધ્યા આવી ને અયોધ્યા-પતિ બન્યા.
ત્યારે એવો યુગ પ્રવર્તયો કે લોકો આજે પણ તે સમય ને રામ-રાજ્ય કહે છે.
તુલસીદાસે રામરાજ્ય ને “સુ-રાજ્ય” અથવા “ધર્મ-રાજ્ય” તરીકે ઓળખાવ્યું છે.
રામરાજ્ય ની સ્થાપના માત્ર સ્થૂળ ધરતી કે સ્થૂળ શરીર પર નહિ પણ લોકો ના અંતરમાં થઇ છે.
એટલે જ લોકો આજે પણ રામ-રાજ્ય ને યાદ કરે છે.

વાલ્મિકીજી શ્રીરામ ને સત્ય-પ્રતિજ્ઞ,સત્ય-ધર્મ-પરાયણ-અને સત્પુરુષ કહ્યા છે.
લોકો ના આદર્શ તરીકે રામજી નું ચરિત્ર, એ -હૃદય,બુદ્ધિ,ભક્તિ તમામનો સુંદર સમન્વય બતાવે છે.
માનવી ની તમામ સદવૃત્તિઓ અને સદાચારો નો સમન્વય રામજી માં જોવા મળે છે.

ભગવાન શંકર રામાયણ ના આચાર્ય કહેવાય છે.શિવજી જગતને બતાવે છે કે-
હું ઝેર પી ગયો,પણ રામ-નામ ના પ્રતાપે મને કશું થયું નહિ.
ભગવાન શિવ નિત્ય રામ-નામ નું પાન કરે છે તેથી તે શિવ છે. શિવ એટલે કલ્યાણ-સ્વરૂપ.
શિવજી કહે છે કે-હું રામકથા કરું છું પણ રામજી કેવા છે તે હું જાણતો નથી.
શિવજી નો આ વિનય છે. જે એમ કહે કે હું કંઈ જાણતો નથી –તે બધું જાણે છે.
બાકી આજ-કાલ થોડું ભણેલા પણ મહાજ્ઞાની હોવાનો દેખાવ કરે છે.

શિવજી રોજ ઉમાને રામકથા સંભળાવે છે.શિવજી કહે છે કે-
હે સુમુખી,હું તો સદા “રામરામ રામરામ” ના મનોરમ જપ માં લીન રહું છું.
“રામ રામેતિ રામેતિ રામે  રામે મનોરમે,સહસ્ત્રનામ તુલ્યમ રામનામ વરાનને”
આ મંત્ર ને શ્રીરામ મહામંત્ર કહે છે.રામ નું નામ ભગવાન નાં હજાર નામ બરાબર છે.
એટલે કે જેવું વિષ્ણુ સહસ્ત્ર નામ સ્તોત્ર, તેવું જ રામરક્ષા સ્તોત્ર.

રામરક્ષા સ્તોત્ર ની શરૂઆત માં જ કહ્યું છે કે-
“ચરિતમ રઘુનાથસ્ય શતકોટિ પ્રવિસ્તરમ,એકૈકમક્ષરમ્ પુંસાં મહાપાતક નાશનમ”
(રઘુપતિ રામ ના ચરિત્ર નો શતકોટિ વિસ્તાર છે,એના એક એક અક્ષર મનુષ્યોના મહાપાતકોનો નાશ
કરનાર છે.)
શતકોટિ એટલે સો કરોડ.કહે છે કે-રામચરિત્ર નું વર્ણન ભગવાન શંકરે સો કરોડ શ્લોકો માં કર્યું છે.
એકવાર દેવો,દૈત્યો અને ઋષિઓ શિવજી ની પાસે આવ્યા ને એમણે રામાયણ ની માગણી કરી.
માગે એને ના કેમ કહેવાય? અને શિવજી તો પાછા આશુતોષ.જલ્દી પ્રસન્ન થાય તેવા.
શિવજીએ સરખે ભાગે રામ-કથા વહેંચી અને છેલ્લે માત્ર “રામ નું નામ” રહ્યું તે પોતે રાખ્યું.
દૈત્યો પણ રામ-કથા નો પાઠ કરતા હતા.રામજી નાં વખાણ તો રાવણે પણ કર્યાં છે.

PREVIOUS PAGE        INDEX PAGE         NEXT PAGE