=’width=device-width, initial-scale=1, maximum-scale=1′ name=’viewport'/> SOM-સોમ: રામાયણ-રહસ્ય-15

રામાયણ-રહસ્ય-15


એકનાથ મહારાજે ભાવાર્થ રામાયણ માં લખ્યું છે કે-
યુદ્ધ માં લક્ષ્મણે ઇન્દ્રજીત નો હાથ કાપી નાખ્યો કે જે ઇન્દ્રજીત ના આંગણામાં જઈને પડ્યો.એ જોઈ ને ઇન્દ્રજીત ની પત્ની સુલોચના સતી થવા નીકળી,પણ ઇન્દ્રજીત નું મસ્તક રામજી પાસે હતું.
તેથી રાવણે કહ્યું કે “તું રામજી ની પાસે જા,એમના દર્શન કરી તારા પતિ નું મસ્તક માગી લાવ”
ત્યારે નવાઈ પામી અને સુલોચના બોલી કે-તમે મને શત્રુની પાસે મોકલો છો?
રાવણે કહ્યું-હું રામને શત્રુ માનુ છું પણ તેઓ મને શત્રુ માનતા નથી.
રાવણ ની રામ પ્રત્યે આવી શ્રદ્ધા હતી.અંતર થી તે રામ ને ઓળખાતો હતો.

મહાભારત માં પણ જેમ દુર્યોધન કહે છે કે-હું ધર્મ ને જાણું છું પણ તેમા હું પ્રવૃત્ત થઇ શકતો નથી,
અને હું અધર્મ ને પણ જાણું છું પણ તેમાંથી હું નિવૃત્ત થઇ શકતો નથી.
તેવું જ રાવણ નું છે. એ જાણે છે કે-રામનો પક્ષ ધર્મ નો પક્ષ છે,છતાં વાસના અને પ્રારબ્ધ કર્મ નો ઘેરાયેલો એ એવો નિર્બળ છે કે-બધું જાણવા છતાં જાત ને બચાવી શકતો નથી.

શિવજી રોજ રામકથા કરે છે,અને જ્યાં રામકથા થાય ત્યાં હનુમાનજી હાજર થાય છે.
હનુમાનજી ની રજા વગર રામના દરબારમાં કોઈ ને પ્રવેશ મળતો નથી.એટલે તો રામ-મંદિર માં
પહેલાં હનુમાનજી નાં દર્શન કરવાં પડે છે.

કેટલાક લોકો શિવજી અને રામજીને, શિવજી અને શ્રીકૃષ્ણ ને જુદા ગણે છે.
કેટલાક લોકો કહે છે કે-અમે તો અનન્ય ભાવે શ્રીકૃષ્ણ કે શ્રીરામની સેવા કરવા વાળા છીએ.
અમે જો શિવજી નું નામ લઈએ તો અન્યાશ્રય થઇ જાય!!
પણ આ ભેદ દૃષ્ટિ ખોટી છે.શિવ,રામ,કૃષ્ણ એ સર્વ એક જ પ્રભુ નાં જ નામો છે.અને તે સર્વે એક જ છે.
જીવ અને શિવ જો જુદા નથી તો રામ અને કૃષ્ણ શિવ થી કેવી રીતે જુદા હોઈ શકે ?
ભક્તિ માં કોઈ એક દેવ મોટા ને બીજા નાના –એવો ભેદ-ભાવ રાખવો જોઈએ નહિ.

તુલસીદાસજી શ્રીરામનું સ્વરૂપ બરોબર ઓળખી ગયા છે એટલે તેઓ રામના મુખે શિવ ની અને શિવ ના
મુખે રામજી ની પ્રશંસા કરાવે છે.એમાં કોઈ કોઈ થી ચડતું કે કોઈ કોઈ થી ઉતરતું નથી.
રામજી કહે છે કે-શિવ થી વધારે મને કોઈ પ્રિય નથી,જેને શિવ ની કૃપા મળતી નથી તેને મારી કૃપા પણ મળતી નથી.આમ રામજી શિવજી ની સ્તુતિ કરે છે.
જયારે બીજી તરફ શિવજી રામજી ની સ્તુતિ કરતાં કહે છે કે-રામના જેવો ઉદાર આ જગતમાં કોઈ નથી.વગર સેવાએ દીન પર રીઝે એવા તો જગતમાં એક રામ જ છે.મુનિઓ યોગ-સાધન કરી ને જે ગતિ પામતા નથી તે ગતિ,શ્રીરામ તેમના ભક્તો ને સહેજ માં આપે છે.

રામાયણ માં રામજી નું પ્રાગટ્ય થયું છે એમ લખ્યું છે,રામજી નો જન્મ થયો એવું લખ્યું નથી.
પરમાત્મા નો જન્મ કેવી રીતે થાય? એતો નિરંજન,નિરાકાર,અવિનાશી અને અવ્યક્ત છે.
છતાં પરમાત્મા પોતાના નિર્ગુણ સ્વ-રૂપ માંથી સાકાર સ્વરૂપે પ્રગટ થાય છે.
પરમાત્મા વિનાનું આ વિશ્વમાં (બ્રહ્માંડમાં) કોઈ સ્થળ નથી,વિશ્વ માં જે કંઇ છે તે સર્વ ઈશ્વર છે.
આવા સર્વ-વ્યાપી ઈશ્વર પોતાનીજ માયા ના પડદામાં ઢંકાયેલા હોવાથી,દેખાતા નથી.
આ માયા નો પડદો સોના જેવો મોહક અને ભભકાદાર છે.ને પ્રભુનું દર્શન થવા દેતો નથી.
પ્રભુને પણ પ્રગટ થવું ગમતું નથી,ગુપ્ત રહેવા તે આતુર છે. એ એમની લીલા છે.
તેમને પ્રગટ કરવાની શક્તિ રામ-નામ ના મંત્રમાં છે.

રામ-નામ જુના પાપો નાશ પામે છે અને નવા પાપો થતાં અટકે છે.
જુના પ્રારબ્ધ નો નાશ કરવાની શક્તિ પણ રામનામ માં છે.જપ નો આ પ્રતાપ છે.
દુર્યોધન કહે છે કે-હું જાણું છું કે પાપ શું છે,પણ પાપ કર્યા વગર હું રહી શકતો નથી.
એટલે કે એના પૂર્વ-જન્મ ના પાપ ના સંસ્કાર એટલા પ્રબળ છે કે,એ સંસ્કાર ને બળે પાપ થઇ જાય છે.

પાપ ના સંસ્કાર જેમ બળવાન છે તેમ પુણ્ય ના સંસ્કાર પણ એટલા જ બળવાન હોય છે.
રામનામનો જપ કરવાથી પુણ્ય ના સંસ્કારો બંધાય છે,ભવિષ્ય ને તે ઘડે છે અને વર્તમાન ને સુધારે છે.
તે ભૂતકાળ ના પ્રારબ્ધ કર્મો ને પણ નબળા પડી ને વખત જતાં દૂર કરે છે.
આ ચમત્કાર રામ-નામ ના જપ નો છે.મન ને સુધારવા નો બીજો સીધોસાદો કોઈ ઉપાય નથી.

PREVIOUS PAGE        INDEX PAGE         NEXT PAGE