ઝગમગ જ્યોત અપાર છે, શૂન્યમાં ધૂન લાગી,
અખો આનંદ શુ ત્યાં મળ્યો, ભવભ્રમણા ભાગી.
અખો આનંદ શુ ત્યાં મળ્યો, ભવભ્રમણા ભાગી.
મરીને માણસ ભૂત થાય છે, અને જીવતાથી નહિ બીનારો મરેલાથી બીએ છે,
એ કેવી વિચિત્ર વાત છે!
અખો કહે છે`કોઈ જાનવર મરીને ભૂત નથી થતું, ને માણસ કેમ થાય છે?
પશુ મૂઓ કો ભૂત ન થાય, અખા માણસ કેમ અવગત થાય?
પછી કહે છે` તારે ભૂત ન થવું હોય ને બ્રહ્મ થવું હોય તો મરતાં પહેલાં જ્ઞાન સરોવરમાં ડૂબીને મરતા પહેલાં જ મરી જા પછી તું હરિરૂપ થઈ જશે`
મરતા પહેલાં જાને મરી, પછી જે રહેશે તે હરિ
અખો કહે છે`કોઈ જાનવર મરીને ભૂત નથી થતું, ને માણસ કેમ થાય છે?
પશુ મૂઓ કો ભૂત ન થાય, અખા માણસ કેમ અવગત થાય?
પછી કહે છે` તારે ભૂત ન થવું હોય ને બ્રહ્મ થવું હોય તો મરતાં પહેલાં જ્ઞાન સરોવરમાં ડૂબીને મરતા પહેલાં જ મરી જા પછી તું હરિરૂપ થઈ જશે`
મરતા પહેલાં જાને મરી, પછી જે રહેશે તે હરિ
મારા ગ્રહો નબળા છે કહી માથે હાથ દઈ બેઠેલાને અખો કહે છે
હરિની ભક્તિ કર, હરિનું શરણ લે, પછી ગ્રહો તને શું કરવાના છે?
ગ્રહો જ બાપડા કોઈ લૂલા છે, તો કોઈ કાણા છે,
હરિજનને ગ્રહ શું કરે? જે ગ્રહ બાપડા પરવશ ફરે
કાણો શૂક્ર ને લૂલો શનિ, બ્રહસ્પતિએ સ્ત્રી ખોઈ બાપડી
(શુક્રાચાર્ય ગુરૂ આંખે કાણો હતો,શનિ લંગડો હતો,બ્રહ્સ્પતિ-ગુરૂ ની સ્ત્રી ને ચંદ્ર -સોમ ઉઠાવી ગયો હતો)
અખો કહે છે ભક્તિ જ માણસને તારશે. ભક્તિ પંખી છે, ને જ્ઞાન વૈરાગ્ય એની બે પાંખો છે.
ભક્તિ ગાય છે, ને જ્ઞાન વૈરાગ્ય એના પુત્રો છે. ગાય ઘરમાં આવી એટલે વત્સ પાછળ આવ્યા જ જાણો
ભાઈ, ભક્તિ જેવી પંખિણી, જેને જ્ઞાનવૈરાગ્ય બે પાંખ છે,
ચિદાકાશ માંહે તે જ ઊડે જેને સદ્ગુરુ રૂપી આંખ છે!
એ ભક્તિના બે પુત્ર છે, જ્ઞાન વૈરાગ્ય કહાવે,
જ્યાં ગાય ઘરમાં આવી, સહેજે વત્સ ચાલ્યાં આવે
આમ અખાએ સમાજના સૂતેલા આત્માને જગાડયો છે અને એને જ્ઞાનનો રાહ ચીંધ્યો છે.
સૂતર આવે તેમ તું રહે, જેમ તેમ કરીને હરિને લહે.
ઊનું ટાઢું નહિ આકાશ, પાણીમાં નહિં માખણ છાશ,
બ્રહ્મજ્ઞાન એવું છે અખા, જ્યાં નહિ સ્વામી સેવક સખા.
ઈશ્વર જાણે તે આચાર, એ તો છે ઉપલો ઉપચાર.
મીઠાં મહુડાં માન્યાં દ્રાક્ષ, અન્ન નોય અન્ન માંની રાખ.
સોનામુખી સોનું નવ થાય, અખા આંધળીને પાથરતાં વાણું વાય.
પાને પોથે લખિયા હરિ, જેમ વેળુમાં ખાંડ વિખરી
માયાના મર્કટ સૌ લોક પલકે સુખ ને પલકે શોક.
અખા માયા કરે ફજેત, ખાતાં ખાંડ ને ચાવતાં રેત.
જ્ઞાની વિહારી ગોપી જશા, તે જ જ્ઞાની જેને ગોપીની દશા.
અખાએ ઘણા ગ્રંથો લખ્યા છે.
એના છપ્પા, `અનુભવબિંદુ' અને `અખેગીતા' જોતાં એ કેવળાદ્વૈત તરફ ઢળતો વેદાન્તી જણાય છે.
એની `બ્રહ્મકુમારી' અજબ છે.
આમ અખો જ્ઞાનવૈરાગ્યનું ગૌરવ કરે છે, અને જ્ઞાનવૈરાગ્ય વગરની ભક્તિને અપંગ કહેછે.
એ જ જ્ઞાન-વૈરાગ્યને એ ભક્તિરૂપે ગાયનાં વત્સ કહે છે.
આમ જ્ઞાન ભક્તિને વૈરાગ્ય ત્રણેના અલગ વાડા નથી,
પણ એક જ વાત ના ત્રણ પાસાં છે એવું એ સ્પષ્ટ કરે છે.
અખો વિદ્વાન છે, બહુશ્રુત છે, મહા અનુભવી છે.
એ પ્રચલિત કહેવતો તથા અવનવી ઉપમાઓનો પૂરા બળથી ઉપયોગ કરે છે
એટલે એની વાણી ચોટદાર બને છે.
કશામાં દોષો જોવાનો એનો હેતુ નથી, પણ આત્માના વિકાસમાં ક્યાં નડતર છે એ તો દેખાડવું જ પડે ને?
એ વિના રોગનો ઉપાય થાય કેવી રીતે? અખાની વાણી લક્ષ્યવેધી છે.
ગુજરાતી ભાષાના એ એક ઉત્તમોત્તમ કવિ છે, ઉત્તમોત્તમ ભક્ત છે, ઉત્તમોત્તમ જ્ઞાની છે.
`અખેગીતા' ખરેખર `ગીતા' નામને યોગ્ય છે.
ગુજરાતી ઉપરાંત વ્રજભાષા અને હિંદમાં પણ અખાએ કવિતા કરી છે.
અખાના આત્મદર્શનનું એક ગીત અહી નીચે આપ્યું છે.
શાં શાં રૂપ વખાણું રે સંતો, શાં શાં રૂપ વખાણું?
ચંદા ને સૂરજ વિના મારે વાયું છે વાણું સંતો..
નેજા રોપ્યા નિજધામમાં, વાજાં અનહદ વાગે,
ત્યાં હરિજન બેઠા અમૃત પીએ, માથે છત્ર બિરાજે સંતો.
વિના રે વાદળ, વિના વીજળી, જળ સાગર ભરિયું,
ત્યાં હંસરાજા ક્રીડા કરે, ચાંચે મોતિડું ધરિયું,
ઝગમગ જ્યોત અપાર છે, શૂન્યમાં ધૂન લાગી,
અખો આનંદ શુ ત્યાં મળ્યો, ભવભ્રમણા ભાગી.