=’width=device-width, initial-scale=1, maximum-scale=1′ name=’viewport'/> SOM-સોમ: રામાયણ-24

રામાયણ-24


શ્રુંગવેરપુર માં ગંગાજી ને રામચંદ્રજી પ્રણામ કરે છે.ગુહકરાજ ને ખબર પડી-કે સીતારામ પધાર્યા છે.
તે ત્યાં આવ્યો છે.ગુહકે કહ્યું-કે-મારું રાજ્ય તમને અર્પણ કરું છું,રાજ્ય તમારું છે,મારે ત્યાં રહો,
ગામમાં પધારો. રામજી કહે છે-કે મારે કોઈ ગામમાં ચૌદ વર્ષ સુધી પ્રવેશ કરવો નથી.
ગંગાકિનારે સીસમ ના ઝાડ નીચે-મુકામ કર્યો છે.

રામચંદ્રજી મંત્રી ને કહે છે-કે હવે આપ અયોધ્યા પધારો.વિપત્તિ ના સમયે મહાપુરુષો ધૈર્ય છોડતા નથી.
મંત્રીજી, મારા પિતાને પ્રણામ કહેજો.
મંત્રી સુમંત કહે છે-કે-સીતાજી ને મોકલો,સીતાજી આવશે તો દશરથજી ને કંઈક અવલંબન મળશે.
સીતાજી કહે છે-કે-‘મારા પતિ જ્યાં હોય ત્યાં મારે રહેવાનું છે.’  સુમંત ત્યાંથી વિદાય થાય છે.

રાત્રિ નો સમય થયો છે.રામ-સીતા દર્ભ ની પથારી માં સૂતાં છે.લક્ષ્મણ ચોકી કરે છે.
લક્ષ્મણજી એ નિશ્ચય કર્યો છે-કે-ચૌદ વર્ષ મારે નિંદ્રા કરવી નથી.
દર્ભ ની પથારી માં રામસીતા ને જોઈ ને ગુહક ને દુઃખ થાય છે.ગુહક કૈકેયી નો તિરસ્કાર કરે છે.
તે વખતે લક્ષ્મણ ગુહક રાજા ને ઉપદેશ કરે છે-તેને “લક્ષ્મણ-ગીતા” કહે છે.

મનુષ્ય ને સુખ દુઃખ આપનાર તેનું કર્મ છે.કર્મ ના આધારે આ સૃષ્ટિ છે.
તેથી જ્ઞાની-મહાત્માઓ કોઈ ને દોષ આપતા નથી.  રામ સ્વ-ઇચ્છાથી વન માં આવ્યા છે.
સુખ-દુઃખ નું કારણ અંદર શોધે તે સંત.જ્ઞાની પુરુષો સુખ-દુઃખ નું કારણ બહાર શોધતા નથી.
મનુષ્ય ને જગતમાં સુખ-દુઃખ આપનાર જગત માં કોઈ જ નથી. સુખ-દુઃખ એ મન ની કલ્પના છે.
સદા-સર્વદા મન ને સમજાવો-કે તને જે સુખ દુઃખ થાય છે-તે તારા કર્મ નું ફળ છે.

રામજી ને સુખ નથી કે દુઃખ પણ નથી. રામ તો પરમાનંદસ્વરૂપ છે.
રામજી નું તો જે સ્મરણ કરે તેને પણ દુઃખ થાય નહિ,ઉલટું સ્મરણ થી સુખ થાય છે.
કૈકેયી ના પ્રત્યે રામજી ને ક્રોધ આવ્યો નથી, રામજી ને કર્મ નું બંધન નથી. તેઓ કર્મ થી પર છે.
રામજી પોતાની ઈચ્છા થી પ્રગટ થયા છે. ત્યારે જીવ ને જે અવતાર મળે છે-તે તેના કર્મથી મળે છે.
પરમાત્મા જયારે લીલા કરવા આવે છે-ત્યારે કર્મ ની મર્યાદા માં રહે છે, જગતને તે આદર્શ બતાવે છે-
કે “હું ઈશ્વર છું છતાં કર્મ ની મર્યાદા પાળું છું”
રામકથા અનેક ગ્રંથો માં વર્ણવવામાં આવી છે....
કૈકેયીએ રામ ને વનવાસ આપ્યો,કૌશલ્યા ને અતિદુખ થયું ત્યારે રામજી –કૌશલ્યાને કહે છે-
“આ મારા કર્મ નું ફળ છે,પૂર્વજન્મ માં મેં જે કૈકેયી ને દુઃખ આપ્યું હતું,તેનું આ ફળ છે.
પરશુરામ અવતાર માં જે કર્યું હતું તે રામાવતાર માં ભોગવવાનો સમય આવ્યો છે.”

પૂર્વજન્મ માં કૈકેયી રેણુકા હતી,જમદગ્નિ ઋષિ ની પત્ની અને પરશુરામ ની મા.
એક વખત ચિત્રસેન ગંધર્વ-અનેક અપ્સરાઓ સાથે વિહાર કરતો હતો,રેણુકા એ આ દૃશ્ય જોયું.
તેના મન માં થોડો વિકાર આવ્યો,કે- આ ગંધર્વ કન્યાઓ ના જેવું સુખ મને મળ્યું નહિ.
રેણુકા ને ઘેર આવતા વિલંબ થયો એટલે જમદગ્નિ જાણી ગયા કે –રેણુકા એ મનથી વ્યભિચાર કર્યો છે-
તેથી તેમણે પોતાના દીકરા –પરશુરામ ને કહ્યું- કે તારી મા પાપી છે-તેને મારી નાખ.
અને પરશુરામે તરત પિતાની આજ્ઞા નો અમલ કર્યો –અને રેણુકા નું માથું કાપી નાખ્યું.

રામજી કૌશલ્યા ને સમજાવે છે કે-
પૂર્વ જન્મ માં મેં મા ને દુઃખ આપ્યું, તેથી આ જન્મ માં કૈકેયી મા એ મને દુઃખ આપ્યું”
મહાત્માઓ કહે છે-કે-રામાવતાર માં વાલી ને માર્યો-તે જ-વાલી કૃષ્ણાવતાર માં પારધી થઇ આવ્યો,અને
ભગવાન ને બાણ મારેલું. કરેલા કર્મ નું ફળ ભોગવવું જ પડે છે.

આખી રાત લક્ષ્મણજી અને ગુહક સાથે વાતો થઇ છે.
સવારે બ્રાહ્મમુહૂર્ત માં રામજી સ્નાન કરી શિવ પૂજન કરે છે.
રઘુનાથ જી આદર્શ બતાવે છે-કે-હું ઈશ્વર છું છતાં શિવપૂજન કરું છું.
ગુહક ને ઘેર જવા કહ્યું-પણ ગુહક ના પાડે છે.રામજી કહે –સારું હું  ચિત્રકૂટ માં નિવાસ કરું પછી જજો.
રઘુનાથજી એ વડના દૂધ થી વાળ ની જટા બનાવી છે. હવે તપસ્વી રૂપ થયા છે.



સૌજન્ય- www.sivohm.com
   PREVIOUS PAGE            NEXT PAGE                INDEX PAGE