=’width=device-width, initial-scale=1, maximum-scale=1′ name=’viewport'/> SOM-સોમ: રામાયણ-૧૬

રામાયણ-૧૬


જનક મહાજ્ઞાની છે.સંસાર માં રહે છે-પણ જનકરાજાના “મન” માં સંસાર નથી.
સંસાર માં રહેવાથી પાપ થતું નથી પણ સંસારને મન માં રાખવાથી પાપ થાય છે.
ગીતામાં બીજા કોઈ રાજાનાં વખાણ કર્યા નથી પણ શ્રીકૃષ્ણે જનકરાજા ના વખાણ કર્યા છે-
લખ્યું છે-કે-“જનક રાજાએ કર્મ દ્વારા જ પરમ સિદ્ધિ ને પ્રાપ્ત કરી હતી.”
જનકરાજાની  સતત આત્મદૃષ્ટિ હતી. સતત એક જ ભાવના હતી કે “હું શરીર નહિ-શુદ્ધ ચેતન આત્મા છું”

રામ-લક્ષ્મણ અને વિશ્વામિત્ર જનકપુરી ની બહાર આંબાવાડી માં રહ્યા છે.
સાયંકાળે સંધ્યા કરે છે,વિશ્વામિત્ર જોડે સત્સંગ કરે છે-અને રાત્રે બંને ભાઈ ગુરુના (વિશ્વામિત્રના) ચરણ ની
સેવા કરે છે.રામ-લક્ષ્મણ ની સેવા જોતાં –વિશ્વામિત્ર નુ હૃદય પીગળ્યું છે-હૃદય થી આશીર્વાદ આપ્યો છે-
કે- તમારું કલ્યાણ થાઓ.

આશીર્વાદ માગવાથી મળતાં નથી.આશીર્વાદ હૃદયમાંથી નીકળે છે. સેવા જોતાં –પ્રેમ થી હૃદય પીગળે-
ત્યારે હૈયા માંથી જે શબ્દ નીકળે –તેનું નામ આશીર્વાદ છે.

ગુરુજી ની આંખ મળી છે-એટલે રામજી હવે સૂતા છે,હવે લક્ષ્મણ રામજી ના ચરણ ની સેવા કરે છે.
લક્ષ્મણ વિચારે છે-કે હવે તો મોટાભાઈ ના લગ્ન થશે –એટલે તે ભાભી ના થશે-ચરણ ની સેવા કરવાનો
આજે છેલ્લો દિવસ છે.કાલથી મારી સેવા જશે,મને રામજી ની સેવા ના કરું ત્યાં સુધી ચેન પડતું નથી.
લક્ષ્મણ વ્યાકુળ થયા છે-આંખમાંથી આંસુ નીકળ્યા છે.
રામજી તો અંતર્યામી છે-લક્ષ્મણ ને કહે છે-લક્ષ્મણ,લગ્ન થયા પછી પણ તું અંતઃપુરમાં આવજે-
મારા જમણા ચરણની સેવા તું કરજે અને ડાબા ચરણ ની સેવા સીતાજી કરશે.
લક્ષ્મણ,તને જોયા વગર મને પણ નિંદ્રા આવતી નથી,ભલે મારું લગ્ન થાય પણ હું તને છોડવાનો નથી.
રામજી નો આવો બંધુ-પ્રેમ હતો.

બીજા દિવસનું સવાર થયું છે-લક્ષ્મણ સહુથી પહેલાં ઉઠયા છે.
લક્ષ્મણજી સૂવે છે-સહુથી છેલ્લા અને ઉઠે છે-સહુ થી પહેલા. સાચા સેવક નો તે -ધર્મ બજાવે છે.
વિશ્વામિત્ર શાલિગ્રામની પૂજા કરતા હતા-પૂજા માટે ફૂલ-તુલસી લેવા રામ-લક્ષ્મણ ને બગીચામાં મોકલ્યા.

બગીચામાં આવી રામજી વિચારે છે-કે- માળી ને પૂછ્યા વગર ફૂલ લઉં તો ચોરી કરવાનું પાપ લાગે,એટલે-
બગીચાના માળીને પૂછે છે-કાકા,પૂજા માટે ફૂલ લઉં ? માળી કહે છે-કે હું તો રાજાનો અધમ નોકર છું.
રામજી કહે છે-ભલે તમે રાજાના નોકર હો,પણ ઉંમર માં તો તમે મારા પિતા જેવડા છો,પિતા સમાન છો.
માળી ની આંખ માંથી આંસુ આવ્યા છે.રામજી નો વિનય જોઈ માળી વારંવાર વંદન કરે છે.

રામજી ની પ્રત્યેક લીલા માં મર્યાદા દેખાય છે,રામ સર્વ ને માન આપે છે.
તુલસી ને પ્રણામ કર્યા સિવાય તુલસી તોડી શકાતી નથી-એવો નિયમ છે.
રામ-લક્ષ્મણ તુલસી ને વંદન કરે છે-અને તુલસી તથા ફૂલ –પૂજાને માટે તોડી ને ભેગાં કરે છે.

બગીચામાં અંબાજી નુ મંદિર છે-સીતાજી તે વખતે અંબાજી ના દર્શન કરવા આવ્યા છે.
સીતા-રામજી ની દૃષ્ટિ નુ મિલન થયું છે.

આ કથા તુલસી દાસજી, તુલસી-રામાયણ માં લઇ આવ્યા છે. બીજી કોઈ રામાયણ માં આ કથા નથી.

સીતાજીએ જગદંબા ને વંદન કર્યું-માગ્યું-કે-મને રામજી –પતિ તરીકે મળે.
અંબાજી પ્રસન્ન થયાં છે-અને આશીર્વાદ આપ્યા છે.

રામ-લક્ષ્મણ વિશ્વામિત્ર પાસે આવ્યા છે-વિશ્વામિત્ર ને રામે કહ્યું-કે-
“જેનો સ્વયંવર થવાનો છે-તે રાજ-કન્યા બગીચામાં આવી હતી, તે અમને જોતી હતી.”
રામજી નો સ્વભાવ સરળ છે-તેમના માં છળકપટ નામ માત્ર નથી.

વિશ્વામિત્ર કહે છે-કે બેટા હું બધું જાણું છું,કે સીતાજી ત્યાં રોજ આવે છે,અને એટલે જ મેં તને ત્યાં મોકલ્યો હતો.કારણ -સીતાજી ને ખબર પડે કે મારો રામ કેવો સુંદર છે.

સૌજન્ય- www.sivohm.com

   PREVIOUS PAGE            NEXT PAGE                INDEX PAGE