=’width=device-width, initial-scale=1, maximum-scale=1′ name=’viewport'/> SOM-સોમ: Kabir-Sant Kabir-Gujrati-કબીર- સંત કબીર-૨૦

Kabir-Sant Kabir-Gujrati-કબીર- સંત કબીર-૨૦


સુમિરન લગન લગાઈકે-મુખસે કચુ ના બોલ,
બાહર કે પટ બંધ કર લે,ભીતર કે પટ ખોલ,


પ્રભુના નામનું સ્મરણ અને પ્રભુને પામવાની લગન લાગવી જોઈએ.
બુદ્ધિ ને બહાર ભટકતી અટકાવી ને અંદરની બાજુ વાળવાથી,
અંદર ના પટ ખુલી જાય છે અને આત્મ તત્વ ના દર્શન થાય છે.


માળા ફેરત જગ હુઆ,ગયા ના મન કા મેલ
આશકા ,મણકા છોડ દે, મન કા મણકા ફેર.


હાથમાં માળા ફેરવી ફેરવી વર્ષો વીતી જાય છે,પણ પ્રભુના દર્શન થતાં નથી,
કે મન નો મેલ દૂર થતો નથી, બુદ્ધિ સુધારતી નથી.
આ આરતી (આશ્કા) અને માળા ને છોડી દે,
અને પોતાના મન ને સુધાર



મો કો કહાં ઢૂંઢો બંદો, મૈં તો તેરે પાસ મેં;


(પરમાત્મા કહે છે-મને ક્યાં શોધે છે ? હું તો તારી પાસેજ (આત્મારૂપે) છું)



ના મૈં બકરી, ના મૈં ભેડી મેં, છુરી ગંડાસા મેં;
નહીં ખાલ મેં, નહીં પોંછ મેં; ના હડ્ડી ના માંસ મેં;
ના મૈં દેવલ, ના મૈં મસજિદ, ના કાબે કૈલાસ મેં;


(નથી -હું કોઈ પ્રાણી કે મનુષ્ય રૂપે,કે નથી હું કોઈ એક ચોક્કસ સ્થાન માં)


મૈં તો રહો સહર કે બહાર, મેરી પુરી મવાસ મેં;
કહે કબીર સુનો ભાઈ સાધો,


(હું બધાની બહાર-એક નિરાકાર સ્વરૂપે સર્વત્ર રહેલો છું)


(મૈ) સબ સાંસો કી સાંસ મેં;

(અને સર્વ -જીવો જે -હરેક ક્ષણે શ્વાસ લઇ જીવી રહ્યા છે-તેમનો હું શ્વાસ છું
તેમણે શ્વાસ લેવાની શક્તિ આપનાર હું છું)