=’width=device-width, initial-scale=1, maximum-scale=1′ name=’viewport'/> SOM-સોમ: Gujarati Sundar Kaand-ગુજરાતી સુંદરકાંડ-૧૨

Gujarati Sundar Kaand-ગુજરાતી સુંદરકાંડ-૧૨






(દોહા)
સુનુ માતા સાખામૃગ નહિં બલ બુદ્ધિ બિસાલ.
પ્રભુ પ્રતાપ તેં ગરુડ઼હિ ખાઇ પરમ લઘુ બ્યાલ.(૧૬)
હે માતા ! સંભાળો વાનરોમાં વધારે બુદ્ધિ બળ હોતાં નથી, પરંતુ પ્રભુના પ્રતાપથી ઘણો જ નાનો સર્પ
ગરુડ ને ખાઈ શકે છે.(અત્યંત નિર્બળ પણ મહા બળવાન ને મારી શકે છે.) (૧૬)


ચોપાઈ
મન સંતોષ સુનત કપિ બાની, ભગતિ પ્રતાપ તેજ બલ સાની.
આસિષ દીન્હિ રામપ્રિય જાના, હોહુ તાત બલ સીલ નિધાના.
ભક્તિ,પ્રતાપ, બળ અને તેજ થી યુક્ત હનુમાનજીની વાણી સાંભળી સીતાજીના મનમાં સંતોષ થયો.
તેમણે શ્રી રામના પ્રિય જાણી હનુમાનજીને આશિષ દીધી કે ,
હે તાત ! તમે બળ તથા શીલ ના ભંડાર થાઓ. 


અજર અમર ગુનનિધિ સુત હોહૂ, કરહુબહુત રઘુનાયક છોહૂ.
કરહુકૃપા પ્રભુ અસ સુનિ કાના, નિર્ભર પ્રેમ મગન હનુમાના.
હે પુત્ર !તમે વૃદ્ધાવસ્થા થી રહિત,અમર તથા ગુણોનો ભંડાર થાઓ,શ્રી રઘુનાથજી તમારા પર ઘણી કૃપા કરે. 
’પ્રભુ કૃપા કરે ’એમ કાને સંભાળતાં જ હનુમાનજી  પૂર્ણ પ્રેમમાં મગ્ન થયા.


બાર બાર નાએસિ પદ સીસા, બોલા બચન જોરિ કર કીસા.
અબ કૃતકૃત્ય ભયઉમૈં માતા, આસિષ તવ અમોઘ બિખ્યાતા.
હનુમાનજીએ વારંવાર સીતાજીના ચરણોમાં મસ્તક નમાવ્યું અને પછી હાથ જોડી કહ્યું:
હે માતા ! હવે હું કુતાર્થ થયો.આપના આશીર્વાદ સફળ અને પ્રસિદ્ધ છે.


સુનહુ માતુ મોહિ અતિસય ભૂખા, લાગિ દેખિ સુંદર ફલ રૂખા.
સુનુ સુત કરહિં બિપિન રખવારી, પરમ સુભટ રજનીચર ભારી.

તિન્હ કર ભય માતા મોહિ નાહીં, જૌં તુમ્હ સુખ માનહુ મન માહીં.
હે માતા ! સાંભળો.સુંદર ફાળો વાળા વૃક્ષો જોઈ મને ઘણી જ ભૂખ લાગી છે.
સીતાજીએ કહ્યું: હે પુત્ર ! સાંભળો. ઘણા વીર રાક્ષસ યોદ્ધાઓ આ વનની રાખેવાળી  કરે છે.
હનુમાનજીએ કહ્યું: હે માતા ! જો તમે મનમાં સુખ માનો  (પ્રસન્ન થઇ આજ્ઞા આપો )
તો મને તેમનો બિલકુલ ભય નથી.
(દોહા)
દેખિ બુદ્ધિ બલ નિપુન કપિ કહેઉ જાનકીં જાહુ,
રઘુપતિ ચરન હૃદયધરિ તાત મધુર ફલ ખાહુ. (૧૭)
હનુમાનને બુદ્ધિ તથા બળમાં નિપુણ જોઈ સીતાજીએ કહ્યું: હે તાત ! જાઓ 
શ્રી રઘુનાથજી ના ચરણો ને હદય માં ધારણ કરી મધુર ફળ ખાવો.(૧૭)


ચોપાઈ
ચલેઉ નાઇ સિરુ પૈઠેઉ બાગા, ફલ ખાએસિ તરુ તોરૈં લાગા.
રહે તહાબહુ ભટ રખવારે, કછુ મારેસિ કછુ જાઇ પુકારે.
પછી હનુમાનજી સીતાજીને મસ્તક નમાવીને ચાલ્યા અને બગીચામાં પેઠા.ફળ ખાધા અને વૃક્ષોને તોડવા લાગ્યા.
ત્યાં ઘણા રક્ષક યોદ્ધાઓ  હતા, તેમાંથી કેટલાક ને મારી નાખ્યા અને કેટલાકે રાવણ પાસે જઈ પોકાર કર્યો.


નાથ એક આવા કપિ ભારી, તેહિં અસોક બાટિકા ઉજારી.
ખાએસિ ફલ અરુ બિટપ ઉપારે, રચ્છક મર્દિ મર્દિ મહિ ડારે.
હે નાથ ! એક મોટો વાનર આવ્યો છે, તેણે અશોકવાટિકા ઉજ્જડ કરી છે,ફળ ખાધા ,
વૃક્ષો ઉખેડી નાખ્યા  અને રક્ષકોને મસળી મસળી ને જમીન પર પડ્યા છે.




          INDEX PAGE
       NEXT PAGE