=’width=device-width, initial-scale=1, maximum-scale=1′ name=’viewport'/> SOM-સોમ: Gujarati Sundar Kaand-ગુજરાતી સુંદરકાંડ-૧૫

Gujarati Sundar Kaand-ગુજરાતી સુંદરકાંડ-૧૫








મારે નિસિચર કેહિં અપરાધા, કહુ સઠ તોહિ ન પ્રાન કઇ બાધા.
સુન રાવન બ્રહ્માંડ નિકાયા, પાઇ જાસુ બલ બિરચિત માયા.
તેં કયા અપરાધથી રાક્ષસોને માર્યા? રે શઠ કહે, શું તને પ્રાણ જવાનો ભય નથી? (હનુમાનજીએ કહ્યું: )
હે રાવણ ! સાંભળ, જેમનું બળ (શક્તિ) પામી માયા સંપૂર્ણ બ્રહ્માંડો ના સમૂહો રચે છે;


જાકેં બલ બિરંચિ હરિ ઈસા, પાલત સૃજત હરત દસસીસા.
જા બલ સીસ ધરત સહસાનન, અંડકોસ સમેત ગિરિ કાનન.
જેના બળથી હે દશમસ્તક વાળા ! બ્રહ્મા,વિષ્ણુ તથા મહેશ્વર  ( અનુક્રમે સુષ્ટિનું ) સર્જન, પાલન અને સંહાર કરે છે;
જેના બળથી હજાર મુખોવાળા  શેષનાગ  પર્વત તથા વન સહીત સમસ્ત બ્રહ્માંડને મસ્તક પર ધરે છે;


ધરઇ જો બિબિધ દેહ સુરત્રાતા, તુમ્હ તે સઠન્હ સિખાવનુ દાતા.
હર કોદંડ કઠિન જેહિ ભંજા, તેહિ સમેત નૃપ દલ મદ ગંજા.
ખર દૂષન ત્રિસિરા અરુ બાલી, બધે સકલ અતુલિત બલસાલી.
જે દેવોની રક્ષા માટે અનેક જાતના દેહ ધારે છે અને તમારા જેવા મૂર્ખોને શિક્ષા આપે છે;
જેમણે શંકરનું કઠોર ધનુષ્ય તોડ્યું અને તેની સાથે રાજાઓના સમૂહનો ગર્વ ભાગ્યો;
જેમણે ખર,દુષણ,ત્રિશિરા તથા વાલી ને માર્યા કે જેઓ  સઘળા અતુલિત બળ વાળા હતા.


(દોહા )
જાકે બલ લવલેસ તેં જિતેહુ ચરાચર ઝારિ.
તાસુ દૂત મૈં જા કરિ હરિ આનેહુ પ્રિય નારિ.(૨૧)
પણ, જેમના લેશમાત્ર બળથી  (એટલે શંકરે તને આપેલા બળથી ) તેં સમસ્ત ચરાચર જગત જીત્યું છે;
અને જેમની પત્નીને તું ( ચોરી થી ) હરી લાવ્યો છે, તેમનો હું દૂત છું.(૨૧) 


ચોપાઈ 
જાનઉમૈં તુમ્હારિ પ્રભુતાઈ. સહસબાહુ સન પરી લરાઈ.
સમર બાલિ સન કરિ જસુ પાવા, સુનિ કપિ બચન બિહસિ બિહરાવા.
હું તમારી પ્રભુતા (સારી રીતે ) જાણું છું,સહસ્ત્ર બાહુ - સહસ્ત્રાજુન સાથે તમારી લડાઈ થઇ હતી 
અને વાલી સાથે યુદ્ધ  કરી તમે યશ મેળવ્યો છે !
હનુમાનજીના માર્મિક વચનો સાંભળી રાવણે હસીને વાત ઉડાવી દીધી.


ખાયઉફલ પ્રભુ લાગી ભૂખા, કપિ સુભાવ તેં તોરેઉરૂખા.
સબ કેં દેહ પરમ પ્રિય સ્વામી, મારહિં મોહિ કુમારગ ગામી.
(વળી હનુમાનજીએ કહ્યું:) હે રાક્ષસોના સ્વામી ! મને ભૂખ લાગી હતી,તેથી મેં ફળ ખાધાં અને 
વાનર સ્વભાવ ના  કારણે વૃક્ષો તોડ્યા. હે નિશાચરોના પતિ ! દેહ સર્વને ઘણો પ્રિય છે.
કુમાર્ગે જનારા (દુષ્ટ )રાક્ષસો જયારે મને મારવા લાગ્યા;


જિન્હ મોહિ મારા તે મૈં મારે, તેહિ પર બાંધે ઉ તનયતુમ્હારે.
મોહિ ન કછુ બાે કઇ લાજા, કીન્હ ચહઉનિજ પ્રભુ કર કાજા.
ત્યારે જેઓએ મને માર્યો, તેઓને મેં પણ માર્યા,  અને ઉપરથી તારા પુત્રે મને બાંધ્યો છે.
પણ મને બંધાઈ જવાની   કોઈ લાજ નથી, હું તો મારા પ્રભુનું કાર્ય કરવા ચાહું છું. 




          INDEX PAGE
       NEXT PAGE