=’width=device-width, initial-scale=1, maximum-scale=1′ name=’viewport'/> SOM-સોમ: Gujarati Sundar Kaand-ગુજરાતી સુંદરકાંડ-૧૮

Gujarati Sundar Kaand-ગુજરાતી સુંદરકાંડ-૧૮






રહા ન નગર બસન ઘૃત તેલા, બાઢ઼ી પૂ કીન્હ કપિ ખેલા.
કૌતુક કહઆએ પુરબાસી, મારહિં ચરન કરહિં બહુ હાી.
( પુંછડું લપેટવામાં એટલું કપડું અને ઘી -તેલ ગયાં કે ) નગરમાં કપડાં  કે ઘી -તેલ રહ્યાં નહિ.
હનુમાનજીએ એવો ખેલ કર્યો કે પુંછડું લાંબુ થઇ ગયું.નગરવાસી લોકો કૌતુંક જોવા આવ્યા.
તેઓ હનુમાનજીને  પગથી લાતો મારતા હતા અને તેમની ઘણી હાંસી કરતા હતા.  


બાજહિં ઢોલ દેહિં સબ તારી, નગર ફેરિ પુનિ પૂ પ્રજારી.
પાવક જરત દેખિ હનુમંતા, ભયઉ પરમ લઘુ રુપ તુરંતા.
નિબુકિ ચઢ઼ેઉ કપિ કનક અટારીં, ભઈ સભીત નિસાચર નારીં.
ઢોલ વાગવા લાગ્યા.સર્વ  લોક તાળીઓ પાડવા લાગ્યા.હનુમાનજીને નગરમાં ફેરવ્યા પછી 
પુંછડા માં આગ લગાડી.અગ્નિને બળતો જોઈ હનુમાનજી અત્યંત નાના રૂપ વાળા બન્યા 
અને (નાગપાશ ) બંધન માંથી નીકળી    
સોનાની અટારીઓ પર જઈ ચડ્યા.તેમને જોઈ રાક્ષસોની સ્ત્રીઓ ભયભીત થઇ.


(દોહા) 
હરિ પ્રેરિત તેહિ અવસર ચલે મરુત ઉનચાસ.
અટ્ટહાસ કરિ ગર્જ઼ા કપિ બઢ઼િ લાગ અકાસ(૨૫)
એ સમયે ભગવાને પ્રેરેલા ઓગણપચાસ મરુતો (વાયુ) વાવા લાગ્યા.
હનુમાનજી અટ્ટહાસ્ય કર ગરજ્યા.અને વધીને આકાશ સુધી પહાંચ્યા.(૨૫)  


ચોપાઈ  
દેહ બિસાલ પરમ હરુઆઈ, મંદિર તેં મંદિર ચઢ઼ ધાઈ.
જરઇ નગર ભા લોગ બિહાલા, ઝપટ લપટ બહુ કોટિ કરાલા.
તાત માતુ હા સુનિઅ પુકારા, એહિ અવસર કો હમહિ ઉબારા.
હમ જો કહા યહ કપિ નહિં હોઈ, બાનર રૂપ ધરેં સુર કોઈ.
(હનુમાનજી નો )દેહ વિશાળ હોવા છતાં ઘણો જ હલકો હતો. તે દોડીને એક મહેલથી બીજા મહેલ પર  ચડી 
જતા હતા. નગર સળગી રહ્યું, લોકો બેહાલ થયા,આગની કરોડો ભયંકર લપટ-ઝપટો લાગી રહી,
ચારે તરફ  પોકાર સંભળાઈ રહ્યાકે,હા તાત ! હા માત ! આ અવસરે અમને કોણ બચાવશે?
અમે તો પ્રથમ જ કહ્યું હતું કે, આ વાનર નથી (પણ) વાનર રૂપ ધરનાર કોઈ દેવ છે.      


સાધુ અવગ્યા કર ફલુ ઐસા, જરઇ નગર અનાથ કર જૈસા.
જારા નગરુ નિમિષ એક માહીં, એક બિભીષન કર ગૃહ નાહીં.
આ નગર અનાથ ની પેઠે બળી રહ્યું છે,એ સત્પુરુષો ના અપમાનનું જ ફળ છે.
હનુમાનજીએ એક ક્ષણ માં આખું    નગર સળગાવી દીધું; એક વિભીષણ નું ઘર બાળ્યું નહિ.


તા કર દૂત અનલ જેહિં સિરિજા, જરા ન સો તેહિ કારન ગિરિજા.
ઉલટિ પલટિ લંકા સબ જારી, કૂદિ પરા પુનિ સિંધુ મઝારી.
( શંકર પાર્વતીને કહે છે: ) હે પાર્વતી ! જેમણે અગ્નિને બનાવ્યો છે,તેમના જ દૂત હનુમાનજી છે,એ કારણથી તે    
અગ્નિથી બળ્યા નહિ.હનુમાનજીએ ઉલટ પલટ કરી આખી લંકા સળગાવી અને પછી તે સમુદ્રમાં કુદી પડ્યા. 



          INDEX PAGE
       NEXT PAGE