=’width=device-width, initial-scale=1, maximum-scale=1′ name=’viewport'/> SOM-સોમ: રામાયણ-52

રામાયણ-52


બીજે દિવસે સવારે-રામજી ને સ્નાન કર્યા પછી,હનુમાનજી પીતાંબર આપવા જાય છે-તો ત્યાં માતાજી ના
પાડે છે-કહે છે-તે સેવા મારી છે.કોઈ બીજી સેવા વખતે લક્ષ્મણજી ના પાડે.કહે-તે સેવા મારી છે.

હનુમાનજી સીતાજી ને કહે છે-કે-માતાજી તમે નારાજ થયાં છો?મને સેવા કેમ કરવા દેતાં નથી?
સીતાજી એ કહ્યું-કે-ગઈકાલે બધી સેવાની વહેંચણી થઇ ગઈ છે-તારા માટે કોઈ સેવા બાકી રહી નથી.

હનુમાનજી એ કહ્યું કે- એક સેવા બાકી છે.મા, રામજી ને બગાસું આવે ત્યારે ચપટી કોણ વગાડશે ?
બગાસું આવે ત્યારે ચપટી વગાડવી તે શાસ્ત્ર ની મર્યાદા છે,ચપટી ના વગાડે તો આયુષ્ય ઓછું થાય છે.
આ ચપટી વગાડવાની સેવા હું કરીશ. સીતાજી કહે છે-કે-સારું તુ ચપટી વગાડજે.

હનુમાનજી દાસ્યભક્તિ ના આચાર્ય છે, દાસ્યભક્તિ માં નજર ચરણ તરફ રાખવાની હોય છે.એટલે
આજસુધી તે દાસ્યભાવે ચરણ ને જ જોતા હતા,પણ હવે માતાજી ના હુકમ થી –હવે ચરણના નહિ પણ
મુખારવિંદ ના દર્શન કરે છે.

આખો દિવસ હનુમાનજી રામજી ની જોડે અને રાત્રે પણ જોડે, માલિક ને ક્યારે બગાસું આવે તે કેમ ખબર પડે ? છેવટે,રાત્રે - સીતાજી કહે છે-હવે તમે અહીંથી જાવ.
હનુમાનજી જવાબ આપે છે-કે-માતાજી તમે મને એક જ સેવા આપી છે,
હવે પ્રભુ ને ક્યારે બગાસું આવે તે તો કેવી રીતે ખબર પડે ? માટે હું તો અહીં રહીશ.
સીતાજી રામજી ને કહે છે-કે તમારા સેવક ને આજ્ઞા કરો કે તે બહાર જાય.

રામજી જવાબ આપે છે-હું હનુમાનજી ને કંઈ કહી શકતો નથી,હનુમાનજીએ મને ઋણી બનાવ્યો છે.
તેના એક એક ઉપકાર માટે એક એક  પ્રાણ આપું તો પણ તેનું ઋણ પૂરું થાય તેમ નથી.
પ્રાણ પાંચ છે પણ હનુમાન ના ઉપકાર અનંત છે.

કૃષ્ણાવતાર માં ગોપીઓ ના ઋણ માં રહ્યા છે,ગોપી પ્રેમ આગળ માથું નમાવ્યું છે.

પ્રભુએ આવું કહ્યું-તેમ છતાં સીતાજીએ હનુમાનજી ને આજ્ઞા કરી કે-તમે બહાર જાવ.
હનુમાનજી બહાર આવ્યા છે,વિચારે છે-કે-મને એક સેવા આપેલી તે પણ લઇ લીધી.
હનુમાનજી ને દુઃખ  થયું.કે “મને કોઈ સેવા આપતા નથી”
હનુમાનજી એ નિશ્ચય કર્યો કે-આવતી કાલ મંગળા (સવાર) ના દર્શન સુધી,હું ચપટી વગાડીશ.
કદાચ અંદર પ્રભુ ને બગાસું આવશે તો મારી સેવા થઇ જશે.
ચપટી વગાડતાં વગાડતાં,હનુમાનજી નાચે છે,રામ નામ નું કિર્તન કરે છે.

આ બાજુ રામજી એ વિચાર કર્યો,મને ક્યારે બગાસું આવી જાય ?
તેના માટે પોતાની સેવા પુરી કરવા હનુમાન ચપટી વગાડે છે,
મારો હનુમાન આખી રાત જાગરણ કરશે, એ જાગે અને હું સુઈ જાઉં તે યોગ્ય નથી.
રઘુનાથજી એ ગમ્મત કરી છે,”હનુમાનજી જ્યાં સુધી ચપટી વગાડશે ત્યાં સુધી હું બગાસાં ખાઇશ.
હું પણ હનુમાન ની જેમ આખી રાત જાગરણ કરીશ,”
ભક્ત ની ચિંતા હંમેશા ભગવાન ને રહે છે.

રામજી બગાસાં ઉપર બગાસાં ખાય છે,સીતાજી ને ગભરામણ થઇ-કે આ તો શ્વાસ ઉપડ્યો છે કે શું ?


રામજી કેમ કશું બોલતા નથી.

સૌજન્ય- www.sivohm.com

   PREVIOUS PAGE            NEXT PAGE                INDEX PAGE